________________
સંગ્રહ ૧
૪ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૧-૯-૪૪ આત્મસ્વરૂપને નિર્ણય તે ગ્યતા આવ્યું થઈ જાય છે. જ્ઞાની પુરુષના અવલંબનવાળા જીવને કલ્પિત પદાર્થને વિષે સની માન્યતા થાય તેવું બનવાને પ્રસંગ આવતો નથી. યેગ્યતા ન હોય અને ઉતાવળ કરે તે કંઈ કામ લાગતું નથી.
કષાયની ઉપશાંતતા, માત્ર એક્ષ-અભિલાષ; ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ-નિવાસ. દશા ન એવી જ્યાંસુધી, જીવ લહે નહીં જોગ; મેક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર-રોગ.” આવે જ્યાં એવી દશા, સદ્દગુરુધ સહાય, તે બો સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન,
જે જ્ઞાને લય મેહ થઈ પામે પદ નિર્વાણ.” સુવિચારદશા આવ્યું તેનું પરિણામ જે આવવું જોઈએ તે આવે છે. સમ્યફ વિચારથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. રુચિ જાગ્રત થવી જોઈએ. તેમાંથી બધું થઈ રહે છે. રુચિ જાગ્રત થઈ છે તે ઘણી ઉત્તમ વાત છે. કામકાજના પ્રસંગે આવી પડે ત્યારે, પૂર્વકર્મ આવ્યાં છે તે લક્ષ રાખી, ખાસ વસ્તુ વીસરવા જેવી નથી.
૫ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૪-૯-૪૪ વિચાર તે આવીને જતા રહે, જ્યારે વિચારદશા આવ્યે ગમે તેવા પ્રસંગોમાં પણ ઉપગ રહે, એકાકારપણું થાય નહીં. એટલે વિચાર અને વિચારદશા બન્નેમાં ફરક છે.
મુમુક્ષુપ્રકરણ અને વરાગ્યપ્રકરણ શ્રી રામને પરિણામ પામ્યાં ત્યારે વસિષ્ઠ ગુરુએ ઉપદેશ આપે. જ્યાં સુધી તેવી યોગ્યતા ન હતી ત્યાં સુધી ઉપદેશ આપે નહિ. યેગ્યતા આબે સપુરુષને જે કહેવું છે તે સમજાય છે અને ત્યારે જ એમ થઈ જાય કે પુરુષને આ જ કહેવું હતું.
૬ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૫-૯-૪૪ પરમકૃપાળુદેવે જણાવ્યું છે: “તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત્ એવા સંતે ક્યાં છે, કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પિષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું?” (૧૨૮) આપણે તેવી મુઝવણ રહી નથી. પૂ. પ્રભુશ્રીએ આ આશ્રમ સ્થાપ્યો છે કે જ્યાં રહીને સત્સંગ કરી શકાય અને પિતાના આત્માને નિર્મળ કરી શકાય. સત્સંગ જેવું જીવને એકેય બળવાન સાધન નથી. સત્સંગને માટે પ્રભુશ્રી કહેતા કે તે માના થાન (સ્તન) જેવું છે. બાળકને દૂધપાક હજમ થાય નહીં, પરંતુ માનું દૂધ પચી જાય, ઘણું માફક આવે; તે પીને બાળક ઊછરે છે. તેમ જીવને સત્સંગ કારણરૂપ છે. પ્રભુશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org