________________
બોધામૃત પુરુષાર્થ કર્યો આગળ વધાય. પુરુષાર્થ કરે નહીં અને આગળની વાતનો વિચાર કરવા બેસે તે કેમ સમજાય? ઈ સેવાય તે મેર થાય. દરરોજ ખખડાવી જુએ કે બચુ કેમ થતું નથી તે ઈંડું નકામું જાય. જ્ઞાનીની આજ્ઞા મળી છે તે વિશ્વાસ રાખી આરાધન કર્યા કાએગ્ય સમયે બધું માલમ પડશે.
પ્રભુશ્રી કહેતા કે તારી વારે વાર છે. વિષય કષાય મંદ પડે તે જ જ્ઞાની પુરુષને બાપ અસર કરે. નહીં તે ગાયની ખરી જમીન ઉપર પડી હોય તે જગામાં પાણી કેવી રીતે રહે? કેટલું રહે? તેમ થાય. અને સમુદ્રમાં કેટલું માય? વૈશાળા અને તેને અમુહાવ માલમ પડે. નિરાકુળતામાં જ સુખ છે, વિષથ૭ષામાં પ્રવર્તવાથી વ્યાકુળતા થાય છે અને પરિણામે પશ્ચાત્તાપ થાય છે. નિરાકુળતાનો અનુભવ થાય ત્યારબાદ વ્યાકુળતા ન થાય તેમ પ્રવર્તન કરવું. જે મેહ સંસારનાં કાર્યો પ્રત્યે છે તે ઓછો થાય તે પુરુષનાં વચનામાં, સદ્વિચારમાં નિરંતર ચિત જાય અને બધું ઝેરરૂપ લાગે, ત્યારે કામ બને તેમ છે. બન્ને વાત સાથે ન બને. કૃપાળુદેવે કહ્યું કે આ મનુષ્યપણાની એક એક પળ અમૂલ્ય નચિંતામણિ તુલ્ય છે. માટે સમય નિરર્થક ન જવા દે.
સપુરુષના અવલંબનની ખાસ જરૂર છે. કેઈ માણસને તરતાં ન આવડતું હોય, તે કહે કે હું મારે હાથે તરીને સમુદ્ર પાર કરીશ તે બનવા યોગ્ય નથી; તે તે ડૂબે જ. આ સંસારસમુદ્ર છે તે જ્ઞાનીના અવલંબને પાર કરી શકાય છે.
૩ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૦–૮-૪૪ મુમુક્ષુ-ઈન્દર તરફથી કે પુસ્તકની માગણું કરે તે આપવાં? પૂજ્યશ્રી–જેને પુસ્તક આપવાનું હોય તેને કહેવું કે જેના ભાવથી પુસ્તક લે છે તે
પ્રમાણે એક વખત આશ્રમમાં જવાથી ખાસ લાભનું કારણ થાય તેમ છે. પુસ્તક તે ગમે ત્યાંથી મળી શકે, પરંતુ જ્ઞાની પુરુષની આજ્ઞાથી જે લેવામાં આવે તે
ઘણું લાભ થાય તેમ છે તેવું સમજાવવું મુમુક્ષુ આ લોકની અન્ય પણું સુખેરછા રહ્યા કરે છે, જેથી જીવની જોગ્યતા રેખાઈ
જાય છે.” (૨૫૪) “આ લેકની અલ્પ પણ સુખેચ્છા એટલે શું? પૂજ્યશ્રી–પરપદાર્થોથી સુખબુદ્ધિ, એટલે અમુક આટલું હોય અથવા અમુક જગા આવી
હોય કે આવી જાતના સંગે હોય તે ધર્મ થાય. અને તેવા સંગ મળ્યા હોય તો તેવા ખ્યાલથી ધર્મયાન કર્યા કરે. એવી માન્યતા હોય કે અમુક આવું હોય તેથી ધર્મધ્યાન થાય, તે પછી પ્રતિકૂળ સંગે આવતાં ખાસ વસ્તુ છે તે વિસારી દે, કારણ, તે તેને અગાઉ અભિપ્રાય હતે. પરંતુ એમ જ નિશ્ચય થઈ ગયે હોય કે જે કંઈ આ આત્માને આનંદ અથવા સુખ મળે છે તે, પિતાથી જ મળે છે, પરવસ્તુથી નથી મળતાં જે એમ જ નક્કી કરી દીધું હોય કે મોક્ષ મેળવવામાં અસંગતા આવવી ખાસ જરૂરી છે અને એ આવ્યે જ મેક્ષ થાય તેમ છે; તે પછી ગમે તેવા સંગે આવી પડે તેપણ નિશ્ચયમાં ફરક પડે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org