________________
ઉં?
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ,
તા. ૨૦-૮-૪૩ મોક્ષમાળામાં બધાં શાસ્ત્રોનો સાર છે. વખત તેને વાંચી સર્વ સાર જાણી લે. બધે સમાવેશ તેમાં કરેલો છે. ચોવીશીમાં આનંદઘનજીનાં પદે ઉત્તમ છે. શાસ્ત્રો વાંચીને ગુણે પ્રાપ્ત કરવાના છે. ભૂમિકા તૈયાર થયા બાદ પુરુષને ઉપદેશ કલ્યાણકારી થાય છે.
મંદ વિષય ને સરળતા સહ આજ્ઞા સુવિચાર,
કરુણા કમળતાદિ ગુણ પ્રથમ ભૂમિકા ધાર.” જેના વિષયે મંદ છે, જે સરળતાપૂર્વક જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધે છે, જેના વિચારે ઉત્તમ છે, જે સર્વ જીવને સરખા, આત્મવત્ માને છે, જેને કમળતા હૃદયની હોય છે તેવા પુરુષ તે પ્રથમ ભૂમિકામાં છે.
પતંગિયું, માછલી આદિ એક એક વિષયને આધીન તીવ્રતાને લીધે મરણને પામે છે, તો આપણે પાંચ ઈન્દ્રિયે છે તેને તીવપણે ઉપયોગ થાય તે શી દશા થાય? માટે ઈન્દ્રિના પ્રવર્તન વખતે વિચારપૂર્વક રહેવું. આ જીવનું ભૂંડું કરનાર ઇન્દ્રિ છે. એક મકાનમાં ઊભા હોઈએ અને બારીઓમાંથી બહારનું અવલેન કર્યા કરીએ અને રૂમમાં અંદર શું છે તે ન જોઈએ, તેમ ઇન્દ્રિય વડે બહારના પ્રવર્તનમાં સમય પસાર થઈ જાય છે. અંતરને વિચાર કરવાને અવકાશ જ નથી મળતું. જે મંદ વિષયે હોય તે અવકાશ મળે.
પથ્થર, લાકડું કેમળ હોય તે જેવું કેતરકામ કરવું હોય તેવું થઈ શકે છે, બરછટ ઉપર કતરણ થઈ શકતી નથી. તેમ આત્મા કોમળ હોય તે જ્ઞાની પુરુષને બંધ અસર કરે. જ્ઞાની પુરુષનાં વચને જીવને નીચે પડતાં બચાવે છે.
નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન;
ગણે કાણની પૂતળી, તે ભગવાન સમાન.” આટલું યાદ આવી જાય તે કેટલું કામ કરી નાખે ! શાસ્ત્ર ભણી પંડિત થયે હોય તેપણુ જ્ઞાની પુરુષના વચન કરતાં વધુ આગળ ન પડે. તે વખતે શાસ્ત્રો કામ ન લાગે, પરંતુ જ્ઞાની પુરુષનાં અનુભવવાળાં ટૂંકા વચને ઘણું ઉપયોગી નીવડે.
૨ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૯-૯-૪૪ જેઓને સત્યરુષને જેગ નથી થયે તેમને તે જગ પ્રાપ્ત કરવાની કેટલી વ્યાકુળતા તથા મૂંઝવણ થાય ? આપણને તે વાતની ખામી નથી. હવે તે પુરુષાર્થ કરવાને છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org