SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ બધામૃત જ રહે તે સંસારસાગર તર્યો કહેવાય. જગતમાં બધેય દુઃખ છે દુખ. તારા જેવડા છોકરા હોય તે બેડિંગમાં કપડાં વગેરે બધું સંભાળે છે ને? તેમ આત્માની વાત પણ સંભાળવાની છે. આપણું મૂળ ધન તે જ્ઞાનધન છે તે વધારવાનું છે. પ્રભુશ્રીજી એક વાત કહેતા. એક ગુરુને તારા જે શિષ્ય હતે. વિહાર કરતાં એક ગામડામાં ગુરુ શિષ્ય જઈ ચઢયા. ધર્મશાળામાં ઊતર્યા. પંથને શ્રમ ગુરુને લાગેલે દૂર કરવા શિખે છેડી સેવા કરી. અને ગોચરીનો વખત થતાં વસ્તીમાં જવા આજ્ઞા માગી. ગુરુની રજા મળતાં ભિક્ષાએ જવાની તૈયારી કરી એક લત્તામાં શિષ્ય જતો હતો ત્યારે પાંજરામાં રહેલા એક પોપટે કહ્યું : મહારાજ પધારો.” શિષ્યને નવાઈ લાગી. પાંજરા પાસે ગયે ત્યાં પોપટે કહ્યું: “માજી, મહારાજ વહેરવા પધાર્યા છે. ત્યાં તે ઘરમાંથી એક વૃદ્ધ બાઈ અને બે ત્રણ છેકરાં બહાર આવ્યાં. વિનય સહ મહારાજને ભિક્ષા લેવા અંદર લઈ ગયાં. મહારાજ જોઈતી ગ્ય ભિક્ષા લઈ બહાર આવ્યા ત્યારે પિપટે પૂછયું : “મહારાજ, તમારી સાથે કોઈ મોટા સાધુ છે?” શિષ્ય કહ્યું: “હા, મારા ગુરુજી છે.” પોપટે પૂછયું : “તે મારી એક વાત તેમને પૂછી કાલે જવાબ મને જણાવશે” શિષ્ય હા પાડી એટલે પોપટે કહ્યું: “હું આ પાંજરામાંથી કેવી રીતે મુક્ત થાઉં? એટલું પૂછી લાવજે.” બીજેથી ડી ડી ભિક્ષા લઈ શિષ્ય ગુરુ પાસે ગયે. ત્યાં તેણે પોપટની વાત તથા પ્રશ્ન ગુરુને જણાવ્યાં. જ્ઞાની ગુરુ એકદમ જમીન પર ગબડી પડ્યા. થોડીવાર હાથ–પગ હલાવી મુખથી કંઈ અવાજ કરી, શાંત પા કલાક પડી રહ્યા. શિષ્ય ગભરાયે, શીત ઉપચાર કરવા લાગે. પછી ભાનમાં આવ્યા હોય તેમ બેઠા થયા. બન્નેએ ભોજન કર્યું. બીજે દિવસે ગોચરીને વખત થયો ત્યારે શિષ્ય ગુરુની આજ્ઞા લઈ ભિક્ષા માટે વરતીમાં ગયે. પોપટને બધી બીના કહી. પોપટ રામજી ગયે. મહારાજ ગયા પછી “ચીંચીં” શબ્દ કરી, પાંખો ફફડાવી, તે શાળીઆ પરથી પાંજરામાં પડી ગયે. છોકરાં આવીને જુએ તે પોપટ બેભાન જણાયે. તેથી પાંજરું છોડી અગાશીમાં વાવાશ ખુલ્લું કરીને બધાં જમવા ગયાં. પોપટ પાંજરામાંથી નીકળી ઊડી ગયો. આ રહસ્યમય કથા બહુ વિચારવા ગ્ય છે. તેમાં મુક્તિમાર્ગ દર્શાવ્યું છે. [“ગ્રંથ-યુગલ’’માંથી આ વાત કહી ને? તેને સ્ટીમરમાં બેઠા બેઠા વિચાર કરીએ કે આપણને આવી વાત શા માટે કહી હશે? હમણાં તને આ વાત નહીં સમજાય, પણ પછી સમજાશે. એટલું યાદ રાખજે કે મને જ્ઞાની પુરુષે એવી વાત શા માટે કહી હશે? બને તેટલે એને વિચાર કરે. ભૂલી ન જઈએ. ૪૦ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૨, ૨૦૦૯ કોણ જાણે ક્યારે દેહ છૂટશે, તેની ખબર નથી. એક જણ ખાવા બેઠે હતે. કેળિયે લઈ મોઢામાં મૂકતો હતો એટલામાં દેહ છૂટી ગયે. જેમ ગધેડાનું પૂછડું પકડ્યું હોય અને લાત મારે તેય છોડે નહીં, તેમ જીવ સંસારમાં દુઃખ ભોગવે છે, તેમ છતાં તેને જ પકડી રાખે છે, છોડતું નથી. એક દિવસ પુરુષાર્થ કરવાથી કર્મ ખસે એવાં નથી. આખી જિંદગી સુધી કરે ત્યારે સે. જેમ નાને છોકરા માટીના બળદને, ઘેડાને, મટરને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy