________________
સંગ્રહ ૫
૨૮૭ [“ચારિત્ર ચક્રવતી” વંચાતાં].
૩૫ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ વદ ૩, ૨૦૦૯ નર, તિર્યંચ, દેવ અને નારકી એ ચારે ગતિમાં સમતિ થઈ શકે છે. એક તો ભવ્ય હાય, જેને મન પ્રાપ્ત થયું હોય, જેને વિશુદ્ધિલબ્ધિ–એટલે સારાં કામ કરવામાં ઉત્સાહ–તે પ્રાપ્ત થઈ હય, ઊંઘમાં કે સ્વપ્નામાં સમકિત ન થાય તેથી જે જાગૃત હોય, જેને પતિ પૂરી થઈ હોય અને જેને અર્ધ પુદ્ગલ-પરાવર્તનથી વધુ સંસાર બાકી રહ્યો ન હોય. એટલી ગ્યતા હોય ત્યારે જીવને સમતિ પ્રાપ્ત થાય છે.
કેઈ એમ કહે કે મારે આજે જ સમક્તિ કરવું છે, મરી જઉં', પણ સમકિત તે પ્રાપ્ત કરવું જ, એમ કર્યાથી ન થાય. એ પોતાના હાથની વાત નથી. એને માટે યોગ્યતાની જરૂર છે. ઘણું યેગ્યતા વધે ત્યારે થાય છે. પુરુષાર્થથી જ મુખ્યપણે થાય છે, પણ એ એકદમ થતું નથી. કર્મોની સ્થિતિ ઓછી થાય ત્યારે થાય છે. દ્રવ્યલિંગી મુનિને આખી જિંદગી ચારિત્ર પાળતાં છતાં મોક્ષ થતો નથી અને કોઈ જીવ નિત્યનિગોદમાંથી નીકળી, મનુષ્યભવમાં આવી આઠ વર્ષે સમકિત પામે, દીક્ષા લઈને કેવળજ્ઞાન પામી મેક્ષે જતું રહે છે; કારણ કે એને બેટા સંસ્કાર પડેલા હતા નથી, કેરા કાગળ જેવો હોય છે, તેથી એને કઈ સાચી વસ્તુ મળે કે ઝટ પકડાઈ જાય.
પ્રશ્ન—નિગોદમાં પણ નિકટભવિ હોય છે? - પૂજ્યશ્રી–હા, નિગોદમાં પણ હોય છે. પહેલાંથી જ જીવ નિગોદમાં છે. ત્યાંથી આવીને મનુષ્યભવ પામી ક્ષે જઈ શકે છે. આસન્નભવ્યપણું, મનસહિતપણું, કર્મની વિશેષ નિર્જરા અને વિશુદ્ધ પરિણામ એ સમ્યક્ત્વનાં અંતરંગ કારણ છે. મરુદેવામાતા કેળના વૃક્ષમાંથી આવી, મનુષ્યભવ પામી, કેવળજ્ઞાન પામી મેક્ષે જતાં રહ્યાં. અર્ધપુદ્ગલપરાવર્તન કાળ પણ કંઈ જે તે નથી, અનંત કાળ જેવો છે. ગમે તે સમકિત આવ્યું હોય તે પણ અર્ધપુદ્ગલપરાવર્તન કાળમાં મોક્ષે જાય જ. કેઈ જ અર્ધપુદ્ગલપરાવર્તન કાળ પૂરે થવામાં અંતમુહૂર્ત બાકી હોય તેટલામાં સમક્તિ પ્રાપ્ત કરી લે છે, મુનિ પણું આવી જાય છે અને કેવળજ્ઞાન પામી ક્ષે જતા રહે છે. જેને પૂર્વે બાંધેલાં કમેની સ્થિતિ અંતઃકટોકટી સાગરની થઈ જાય છે તેને જ સમતિ થાય છે. સાતમી નરકમાં પણ કઈ જીવ ત્યાં ઘણું દુઃખ હેવાથી સમતિ પામે છે. હવે ત્યાં તો કેઈ ઉપદેશ દેનાર નથી, છતાં સમતિ થાય છે.
૩૬ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ વદ ૫, ૨૦૦૯ કૃપાળુદેવ લખે છે કે “અહીં તે અમૃતની સાડી નાળિયેરી છે.” (૧૮૦). કૃપાળુ દેવનું ગમે તે વચન હોય તે અમૃત જ છે. વખત મળે તે જ્ઞાની પુરુષનાં વચન વિચારવામાં, વાંચવામાં ગાળ. ઈન્દ્રિયેના સંચા ક્યારે ખરાબ થઈ જશે, તેની ખબર નથી. કૃપાળુદેવે લખ્યું છે કે જે તે વૃદ્ધ હોય તે મત ભણી દષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર” (૨–૨૮) કેમ સમાધિમરણ થાય, તે લક્ષ રાખવાનું છે. ઘણું કૂતરાકાગડાના ભવ મળ્યા, ત્યાં સમાધિમરણ થયું નહીં, પણ હવે આ ભવમાં તે સમાધિમરણ કરવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org