SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ રસ્પ સહ૫ તે કર્મ ક્યાંથી બંધાય? એને મોક્ષ થાય. અર્પણબુદ્ધિમાં શંકા થાય તે કંઈ લાભ ન થાય. નિઃશંકતાથી આજ્ઞા આરાધવી, અર્પણબુદ્ધિ કરવી. કૃપાળુદેવે પૂંજાભાઈને કહ્યું કે તમારું તન, મન, ધન બધું મને અર્પણ કરી ઘ. પંજાભાઈ એ બધું કૃપાળુદેવને અર્પણ કર્યું. પછી ગાંધીજી મળ્યા ત્યારે લાગ્યું કે આ તે તીર્થકર જેવા છે, પણ કૃપાળુદેવને બધું અર્પણ કરેલું તે યાદ આવ્યું તેથી એમની પાસે જે ધન હતું તે ગાંધીજીને આપીને શ્રીમદ્ રાજચંદ્ર પુરાતત્વમંદિર' નામે પુસ્તકાલયની વ્યવસ્થા કરાવી. કહેવાનું કે જે બરાબર અર્પણ ન કર્યું હોય તે જીવ બીજામાં જઈ ચઢે. અર્પણતા જેવી તેવી નથી. પુરુષ સિવાય બીજામાં વૃત્તિ છે તે કપટ જ છે. આત્મા સત્ય, બીજું બધું મિથ્યા એમ લાગ્યું હોય તે જીવ બીજે ચોંટે નહીં. સાચી શ્રદ્ધા આવી તે પછી “છૂટું, છૂટું” એમ થાય. બીજું આવી પડે તેય ગમે નહીં. જીવ બીજાને મૂડે, પણ પિતે મૂંડાને નથી. છૂટવા માટે બધું કરવાનું હતું અને “છૂટું છૂટું” તે થયું નહીં. વાસના તે અંદરની અંદર રહી. [“ચારિત્ર ચક્રવર્તી” વંચાત] ૩૦ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૧૧, ૨૦૦૯ ઈચ્છા એ જ દુખ છે, રાગદ્વેષ ન થવા દેવા એ જ ખરે પુરુષાર્થ છે. ઈચ્છા થાય ત્યારે દુઃખ થાય છે. ભક્તિ કરે અને એમ છે કે મને ધન મળે, નેકરી મળે, પુત્ર મળે. એવી ઈચ્છા ન કરવી. વીતરાગ ભગવાન પાસે આવવું શા માટે? વીતરાગતા માટે. જન્મમરણ ઘટે એ માટે ભગવાન પાસે જવાનું છે. ભગવાન પાસે માગે તેથી કંઈ મળે નહીં, પુણ્ય હોય તે મળે. ભગવાન પાસે જઈને માગવું એ અલૌકિક મિથ્યાત્વ છે. વીતરાગદેવ અલૌકિક છે. તેમની પાસે માગે તેથી મિથ્યાત્વ દઢ થાય છે. ભગવાન પાસે જઈને માગવું એ તીવ્ર લેભ છે. તેથી પાપ બંધાય છે. ભગવાન પાસે તો વીતરાગતાની માગણી કરવી. રેગ આવે કે ધન ન મળે ત્યારે રેગ મટવા કે ધન મળવા લેક અંતરાય કર્મની પૂજા ભણાવે છે, એથી મિથ્યાત્વ દઢ થાય છે. ૩૧ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૧૩, ૨૦૦૯ પૂજ્યશ્રી–આજ્ઞાએ વર્તવું એ જ મોક્ષ છે. આજ્ઞાએ વર્તે તે મોક્ષ થાય જ. ચૈતન્યપણું એ ઉપગ છે. જ્ઞાનદર્શન બન્નેને ભેગું કહેવું હોય તે ચિતન્યપણું કહેવાય. જ્યારે વિશેષ ભેદ પડે ત્યારે જ્ઞાન જુદું અને દર્શન જુદું. ઉપગ કહે કે ચૈતન્યપણું કહો એ જ એક આત્માનું લક્ષણ છે. લક્ષણ એટલે જેથી વસ્તુ ઓળખાય. અસ્તિપણું છે તે તે જઠમાં પણ હોય છે, પણ ચૈતન્યપણું તે આત્મામાં જ છે. પ્રશ્ન–સપુરુષના ચરણુનું ધ્યાન કરવું એટલે શું? - પૂજ્યશ્રી—ચરણના અર્થો અનેક છે. સામાન્ય રીતે તે તેમના ચરણનું ધ્યાન કરવું એટલે તેમના ચરણના દર્શન કર્યા હોય તે ન ભૂલે. એ પ્રેમ ઉપરથી સામાન્ય અર્થ છે. પછી ચરણને અર્થ ચારિત્ર છે. પુરુષની આજ્ઞા એ પણ ચરણ છે. પુરુષની સમીપે રહેવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy