________________
સંગ્રહ ૫
૨૮૩ ૨૪ શ્રીમદ્ રા. . અગાસ, અષાડ સુદ ૧, ૨૯ કરવાનું છે આત્માના હિત માટે. પ્રભુશ્રીજી કહેતા કે જે કંઈ કરવું તે આત્માર્થે કરવું. આત્માને ભૂ તે બધું નકામું જાય. લોકેને દેખાડવા કરે તે કંઈ કામનું નથી. પ્રભુશ્રીજી કહેતા કે આત્મા જુઓ. બેટ્ટો હોય તે બીજું જુએ. આત્માને ન ભૂલ. પ્રભુશ્રીજી દષ્ટાંત આપતા કે દૂધ મેળવવું હોય તે અંદર મેળવણ નાખે તે દહીં થાય. એમ ને એમ તે દૂધ બગડી જાય. તેમ જે કંઈ કરવું તેમાં “આત્માર્થે કરવું છે એ મેળવણ નાખવું, તે કામ બગડે નહીં.
૨૫ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૨, ૨૦૦૯ મુમુક્ષુ–ઘર કુટુંબ બધું ભુલાતું નથી અને “આત્માનું વિસ્મરણ, કેમ થયું હશે?” (૧૪૨)
પૂજ્યશ્રી–મેહ છે. કલ્પિતનું માહાત્મ્ય છે. આત્માની ફિકર નથી. મિથ્યાત્વ છે, તેથી નાશવંતને શાશ્વત માને છે અને શાશ્વત વસ્તુની ગરજ નથી. અનાદિકાળથી મિથ્યાત્વના સંસ્કાર એની સાથે છે જ. કંઈ પછી થયા નથી. જ્યારે દષ્ટિ ખૂલે ત્યારે લાગે કે આત્માને કેમ ભૂલી ગ ? સમ્યગ્દર્શન થાય ત્યારે એમ લાગે. રાગદ્વેષ ક્ષય કરવાની લય લગાડવાની છે. જીવને ગરજ નથી, તે જ્ઞાની શું કરે ? ગરજ ન જાગી હોય ત્યાંસુધી કંઈ ન થાય. દીક્ષા લે પણ પિતાનાં પરિણામ ભણી જવું અઘરું છે. એ તે પાછું કર્મ માર્ગ આપે ત્યારે થાય. આત્મા છે કે નથી, એમ કઈ પૂછે તે એ કેણ પૂછે છે? આત્મા જ. તે બસ, આત્મા છે જ. જેટલા ભવ કરે, તેમાં “દેહ તે હું એવા સંસ્કાર રહે છે, તે અનાદિમિથ્યાત્વ છે. “હું દેહથી ભિન્ન છું, એમ થવું તે જ સમકિત છે. “હું દેહાદિસ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કેઈ પણ મારાં નથી.” (૬૨) એમ થાય ત્યારે સમ્યગ્દર્શન થાય. - કૃપાળુદેવે આગલા ભવમાં દિગંબર દીક્ષા પાળી હતી એમ કહેવાય છે. તે ભવમાં પણ એમનું નામ રાજચંદ્ર હતું. આ ભવમાં પહેલાં તે કૃપાળુદેવનું નામ બીજું આપ્યું હતું (લક્ષમીચંદ કે અભેચંદ), પણ પિતે જ ત્રણ ચાર વર્ષના થયા ત્યારથી પિતાનું નામ રાયચંદ રખાવ્યું, અને લેખ વગેરેમાં “રાજચંદ્ર લખતા તેથી “શ્રીમદ્ રાજચંદ્ર નામ કાયમ થયું. [“ચારિત્ર ચક્રવતી” વંચાતાં
૨૬ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૪, ૨૦૦૯ પૂજ્યશ્રી–વિષયને વશ થવું એ નરક જેવું છે. નરક કરતાં ભયંકર છે. જેને મેસે જવું છે તે સંસારમાં ક્યાં માથાં મારે? જે ભેગ ભેગવનારા છે તે મુનિઓને સમજી શક્તા નથી. આખો લક બળ જ છે. જવાળામુખી પર્વત ઉપર બધા બેઠા છે. વિવિધ તાપથી આકુળવ્યાકુળ છે.
જડવાદને યમાલય કહેવા જેવું છે. પૈસા એકઠા કરીને જીવને ભેગ જોઈએ છે, પણ એ તે મેટી વિકૃતિ છે. ક્ષમા, દયા, શાંતિ રાખે ત્યાં લડાઈ, બેંબ કંઈ જરૂરનાં નથી. જન્મમરણનું કારણ વાસના છે. વાસના ક્ષય થાય તેને મોક્ષ થાય. મુનિઓ પરંપદાર્થને ત્યાગ કરે છે અને તેને મેહ દૂર કરવા તપ કરે છે. વાસના ઘટે તેટલે મહાત્મા થાય. વાસના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org