SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ આધામૃત પૂજ્યશ્રી—વિચાર ન આવે તે વારવાર હું દેહાદિસ્વરૂપ નથી, હું દેહાદિસ્વરૂપ નથી, એમ ગાખ ગાખ કરવું. એની મેળે વિચાર આવશે. બહુ વિકલ્પ આવે ત્યારે લખવાનુ રાખવું, તેા મન શકાય, કેમકે લખવામાં ખરાબર ધ્યાન રાખવુ પડે છે. દિવસમાં પા અર્ધાં કલાક વિચારવા માટે કાઢવે. જે વસ્તુ પાકી મેઢ થઈ ગઈ હેાય તેના વિચાર કરવાનુ રાખવું. આત્મસિદ્ધિ, છ પદના પત્ર કે મેક્ષમાળામાંથી રાજ એકાદ પાઠ વિચારવાનું રાખવુ. વધુ ન મને તે કંઈ નહીં. જેટલા વિચારના વખત રાખ્યા હોય તેટલા સુધીમાં જેટલુ વિચારાય તેટલું વિચારવુ. સવારમાં ત્રણ વાગે ઊઠીને શું કરે છે ? મુમુક્ષુ—મે ક્ષમાળા, પત્રો, યાગવાસિષ્ઠ, દશવૈકાલિક વગેરે શીખેલુ ફેરવું છું. પૂજ્યશ્રી-શીખવાનુ કયારે રાખ્યું છે? મુમુક્ષુ—અપેારે, ખાધા પછી. પૂજ્યશ્રી—તત્ત્વાર્થ સૂત્ર' વાંચવા ચેાગ્ય છે. ‘તત્ત્વાર્થ સાર’ પછી ‘તત્ત્વાર્થસૂત્ર' વાંચવા જેવું છે. ટીકા સહિત વાંચવું. નહીં તો સૂત્રો બધાં સ ંક્ષેપમાં છે, તેથી સમજાય નહીં. મોઢે કરવાં હાય તા થાય. તત્ત્વાર્થસૂત્ર’ ઉપર ઘણી ટીકાએ લખાયેલી છે. Àાકવાર્તિક' ટીકા અહુ લાંખી છે. એમાં ન્યાયના બહુ વિસ્તાર કર્યો છે. પૂજ્યપાદસ્વામીની સર્વાસિદ્ધિ’ નામની ટીકા સારી છે. તે વાંચવા જેવી છે, ૨૩ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૧૪, ૨૦૦૯ જે મુખપાઠ કરીએ તે અથ સાથે કરવું. પ્રશ્ન-દર્શન જે થયાં જીજીઆં, તે એઘનજરને ફેરે રે” (પહેલો ષ્ટિ) એટલે શું ? પૂજયશ્રી—જુદાં જુદાં દના થવાનુ કારણ એધનજર છે. પ્રશ્ન-અજ્ઞાનદશામાં ધમ કરે તે બધું અજ્ઞાન છે ? પૂજ્યશ્રી—બધું અજ્ઞાન. લેાઢા ઉપર ભાંત પાડે પણ લેતું જ ને! કઈ સાનું ન થાય. પ્રશ્ન-અજ્ઞાન છે તેથી બધું અજ્ઞાન જ થાય ? એ શાથી મટે ? પૂજ્યશ્રી—જ્ઞાનીથી મટે કૃપાળુદેવે લખ્યું છે કે આત્માને ઓળખવા હાય તે આત્માના પરિચયી થવું. પછી સમ્યગ્દર્શન થાય ત્યારે બધું સવળું, સમ્યગ્દર્શન થયે બધુ... પાંશ છે. ખાકી બધાં સૂત્રો વાંચીને અભિમાન કરે કે અમે તે બધાં સૂત્રો વાંચી લીધાં છે. પ્રશ્ન—મમાં શાસ્ત્રો વાંચતાં એમને જ્ઞાન ન થાય? પૂજ્યશ્રી—કેવી રીતે થાય? એમ હાય તેા પુસ્તક પણ જ્ઞાનવાળું થઈ જાય ! આખું પુસ્તકાલય જ્ઞાનવાળું થઈ જાય ! સમ્યગ્દન વગર જ્ઞાન અજ્ઞાનરૂપ કહેવાય, ચારિત્ર પણ કુચારિત્ર કહેવાય. અજ્ઞાનદશામાં મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર અનુભવાય છે. પ્રભુશ્રીજી કહેતા કે જ્ઞાનીથી અજ્ઞાન મટે, ત્યારે જ્ઞાનદશામાં આવે. જ્ઞાનદશા સમ્યગ્દર્શન, સભ્યજ્ઞાન, સમ્યકૂચારિત્ર છે. જેમ સુવણ ઉપર ભાંત પાડે તે સવમય જ છે, તેમ જ્ઞાનીના અધા ભાવ જ્ઞાનમય જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy