SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૫ ૨૭૯ (૮૪). અનુત્તર તે આત્મા છે. આત્મામાં વસવાવાળો થા. બીજી જગતની વાસના ન રાખ “મેક્ષભાવ નિજવાસ”. પિતાના સ્વભાવમાં વસવું એ જ મોક્ષવાસ છે. ૧૮ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૧, ૨૦૦૯ સત્સંગ ન થાય તે પણ કુસંગ તે ન જ કરો. મોટા મોટા ભલભલા બુદ્ધિશાળીએ ભૂલી જાય છે. પુરુષતા, વીતરાગતા કયાં નહીં મળે. પુરુષનાં દર્શન થયાં છે, આજ્ઞા મળી છે તે મોક્ષનું કારણ છે. સત્સંગના અભાવે કુસંગમાં જાય તે કરવાનું છે તે પડયું રહે છે. ટોડરમલજીએ “મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ લખે છે. તેમાં પ્રશ્ન કર્યો છે કે સત્સંગને યેગ ન હોય તે વખતે કઈ શાસ્ત્ર અમારી પાસે હોય તે કેઈ અન્યમતી બ્રાહ્મણ પાસે વંચાવી સાંભળીએ તે કંઈ વાંધે છે? તેને ઉત્તર આપે છે કે એમ કરવાથી નુકસાન થાય છે, કારણ કે બ્રાહમણ વાંચે તેને એની શ્રદ્ધા નથી તેથી પોતાનું પણ ભેગું ભેળવે તે કરતાં ઘેર બેઠા બેઠા માળા ફેરવવી સારી છે. કુસંગમાં જવાથી આડા અવળી બીજુ અંદર પેસી જાય. ઘેડું હોય, પણ સાચું હોય તે કામનું છે. સો મણ રૂના ઢગલામાં “અગ્નિ” “અગ્નિ” લખી સે કાગળ નાખે તેય કંઈ બળે? અને એક દિવાસળી સળગાવી નાખી હોય તે બધું રૂ બળી જાય. સત્સંગની ભાવના રાખવી. કોઈ જ્ઞાની પુરુષનાં વચને જાણે અજાણે કાનમાં પડે તે સંસ્કાર પડે. જ્ઞાની પુરુષનાં વચને ભાવપૂર્વક સાંભળ્યાં હોય તે આ ભવમાં યોગ ન હોય તે બીજા ભવમાં ઊગી નીકળે. કુપાળુદેવને બધું ઊગી નીકળ્યું. જે જે શાસ્ત્રો વાંચ્યાં હતાં તે બધાં ઊગી નીકળ્યાં. સન્માર્ગે વળાય તેવું કરવું. જ્ઞાની પુરુષની આજ્ઞા મળી છે તેમાં વર્તાય તેટલે લાભ છે. પુણ્યને ઉદય હોય ત્યારે સારે વિચાર સૂઝે. પુરુષ વગર આત્મા સમજાય કે મળે તેવું નથી. આત્મા પાસે જ છે પણ પુરુષ વિના મળે એવું નથી. જાણે અજાણે પણ પુરુષથી જીવને લાભ થાય છે. પ્રભુશ્રીજી કહેતા કે આ રાયણને જીવ ભવ્ય છે. એનું કલ્યાણ થવાનું છે. પુરુષ એની નીચે બેસે તે એની છાયા સપુરુષ ઉપર પડે તેથી તેને પુણ્ય બંધાય. એમ કરતાં કરતાં જીવ મનુષ્યભવ પામે. એમ જાણે અજાણે પણ જીવને લાભ થાય છે, સંસ્કાર પડે છે. ૧૯ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૯, ૨૦૦૯ મોક્ષનું સુખ ઇન્દ્રિયોથી પર છે, ઉપમારહિત છે, કર્મના ઉદયે ઊપજે એવું કૃત્રિમ નહીં, પણ સ્વાભાવિક અને કદી નાશ ન પામે એવું પારમાર્થિક સુખ એટલે ખરું સુખ તેનું નામ મોક્ષ છે. પછી કંઈ કરવાનું ન રહે. રૌતન્યમય આત્મા છે, તેનું ધ્યાન કરવું. ગૃહસ્થ અવસ્થા હોય છતાં નિગ્રંથદશા રહે તે ઘણી નિર્જરા થાય. ગૃહસ્થ અવસ્થામાં વૈરાગ્ય રહેવો મુશ્કેલ છે. સંસાર અનંત કુસંગરૂપ છે. ગૃહસ્થાવસ્થામાં બધા શ્રાવકે જ હેય એમ નથી. પુરુષાર્થ કરે તે શ્રાવકનાં વ્રતે સુધી આવી શકે. ગૃહસ્થાવસ્થામાં ડાહ્યો થવા જાય તે પકડાય. પોપટ મીઠું બોલવા જાય છે, તેથી પાંજરામાં પુરાય છે. મોટા થવા ન જવું; નહીં તે ઉપાધિ વધે. પછી લકે એને પૂછવા આવે અને કહે કે તમે તે ડાહ્યાા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy