SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ બધામૃત યશવિજયજીનાં દાદી જ ભક્તામર એક મુનિ પાસે જઈને સાંભળીને પછી જમતાં, એ તેમને નિયમ હતે. એટલામાં ચોમાસાના દિવસો આવ્યા. આઠ દિવસ લાગેટ વરસાદ વરસ્યો તેથી ભક્તામર સાંભળવા જઈ ન શક્યાં. યશોવિજયજી તે વખતે પાંચ વર્ષના હતા. તેઓ પણ જયારે દાદીમા ભક્તામર સાંભળવા જાય ત્યારે સાથે જતા. બે ત્રણ ઉપવાસ થયા ત્યારે યશવિજયજીએ પૂછયું કે કેમ નથી ખાતાં? તેમણે કહ્યું, ભક્તામર સાંભળ્યા વગર ખાવું નહીં એ મારે નિયમ છે. વરસાદ બહુ પડે છે તેથી સાંભળવા જવાતું નથી. યશેવિજ્યજીએ કહ્યું, જે હું સંભળાવું. તેમણે કહ્યું, ત્યારે તે સારું, સંભળાવ. યશોવિજયજીએ કહ્યું કે મને ઊંચે આસને બેસાડે. ડોશીમાએ યશોવિજયજીને ઊંચકીને તાકામાં બેસાડયા અને પછી બાલવા કહ્યું ત્યારે યશવિજયજી ભકતામર સ્તોત્ર પૂરું બેલી ગયા. પછીથી વરસાદ બંધ થયે ત્યારે ડોશીમા યશોવિજયજીને સાથે લઈ મુનિ પાસે ગયાં. મુનિએ પૂછયું કે આટલા દિવસ કેમ ન આવ્યાં? ડોશીમાએ કહ્યું કે આ મારે જસીયે છે તે જ મને સંભળાવતા હતા. મુનિને લાગ્યું કે એ છોકરો ગૃહસ્થને ત્યાં શેભે એવું નથી. મુનિ થાય તે શાસનનો ઉદ્ધાર થાય. એમ વિચારી ડેશમાને કહ્યું, આ છેક અમને આપી . રામાએ હા કહી. પછી મુનિએ યશોવિજયજીને દીક્ષા આપી શેડાં વર્ષોમાં સૂત્રો વગેરે બધું ભણી ગયા પછી ગુરુએ તેમને કાશી મોકલ્યા. ત્યાં યશોવિજયજી બહુ ભણ્યા. ભણીને પાછા પોતાના જ ગામમાં આવ્યા. તેઓ ઉપરાઉપર બે પાટ મુકાવી ઊી ચે બેસી વ્યાખ્યાન કરતા અને પાટ ઉપર ઘણું ધજાઓ લગાવરાવતા તે મનમાં એમ માનતા હતા કે મારા જેવું કોઈ નથી. એ વાતની ડોશીમાને ખબર પડી. તેમને લાગ્યું કે કાશી ભણે આવ્યા તેથી આવડ ળ કરે છે? અભિમાનમાં ચઢી ગયા છે. તેથી એને શિખામણ આ પં. એમ કરી તે ઉપાશ્રયે ગયાં. ત્યાં શેવિજયજી વ્યાખ્યાન કરતા હતા. ડોશીમાએ પૂછયું, પહેલાના ગુણધરેને કેટલાં જ્ઞાન હતાં? યશોવિજયજીએ કહ્યું, ચાર. ડોશીમાએ પૂછયું કે હવે વર્તમાનમાં કેટલાં? ત્યારે યશોવિજયજીએ કહ્યું કે મતિ શ્રુત છે. ડોશી માએ પૂછ્યું કે ગણધરે કેટલી ધજાઓ રાખતા હતા? એટલે યશવિજયજી સમજી ગયા અને બધી ધજાઓ તારી લીધી. એમના ગુરુને પણ લાગ્યું કે અભિમાનમાં ચઢી ગયે છે, તેથી લાવીને કહ્યું કે તમે આનંદઘનજીને મળજે. ગુરુના વચન ઉપર વિશ્વાસ, તેથી મનમાં રહેવું કે આનંદઘનજીને મારે મળવું. એક દિવસે જંગલમાં ગયા ત્યાં આનંદઘનજી મળ્યા, નમસ્કાર કરી યશોવિજયજી ત્યાં બેઠા, આનંદઘનજીએ પૂછ્યું કે તમને દશવૈકાલિક સૂત્ર આવડે છે? યશવિજયજીએ કહ્યું, હા આવડે છે. ત્યારે આનંદજીએ કહ્યું કે એની પહેલી ગાથાને અથર કરો. धम्मो मंगलमुक्किठं अहिंसा संजमो तवो । देवा वि तं नमस्संति जस्स धम्मे सयामणो । એ આખી ગાથાના દશબાર અથ કર્યા. આનંદઘનજીએ કહ્યું, બસ આટલું જ આવડે છે? ત્યારે યશવિજયજીએ ફરી દશબાર અર્થ કર્યા. આનંદધનજીએ કહ્યું, બસ આટલું જ આવડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy