SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ બોધામૃત હોય તેનો નાશ નહીં. નહીં તેહ નહીં હોય, એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જે.” આંખે દેખાય એ માર્ગ નથી, અગમ અગોચર છે. પિતાની મેળે મેક્ષમાર્ગ શોધવા જાય તે મળે નહીં. ગૌતમસ્વામી જેવા ચાર જ્ઞાન પ્રગટ છતાં ભગવાનની સાથે સાથે ફરતા. પ્રભુશ્રીજી પહેલાં “આ ભ્રમ છે, આ ભ્રમ છે એમ જેતા. પછી કપાળુદેવે કહ્યું કે “બ્રહ્મ જુઓ, મુનિ, બ્રહ્મ'. ત્યારે આત્મા જેતા થયા. ૯ શ્રીમદ્ રા. આ. અગાસ, દિ. વૈશાખ સુદ ૭,૨૦૦૯ પાંચ ઈન્દ્રિયે શી રીતે વશ થાય ? (ઉપદેશછાયા-૪) પૂજ્યશ્રી–પાંચ ઇન્દ્રિયના વિષયે જડ છે. પરવસ્તુના સાગથી ઉત્પન્ન થયેલા છે, પરવતુમાં આત્માનું હિત નથી. જે વસ્તુ જાણે નહીં, તેની કિંમત શી ? જે વસ્તુ આપણી સાથે રહેવાની નથી, તેમાં આસકિત શી કરવી? એ આસકિતથી જન્મમરણ થશે. એ વિચાર આવે તે એ પાંચ ઈનિદ્રાના વિષયે તુચ્છ લાગે. બધાને ખરે વિચાર એક સત્સંગે થાય છે. મેહને લઈને જગતની વસ્તુઓનું માહાતમ્ય છે. અવિવેકને લઈને પરવસ્તુનું મહાભ્ય છે. સત્સંગે વિચાર જાગે. વિચારથી વિવેક આવે તે પરવસ્તુનું માહાસ્ય ઘટે. પંચેન્દ્રિયના વિષયે તે પાંચ સાપ છે. ઉપર ઉપરથી સારા લાગે પણ એની સાથે રમે તે મરણ પામે. એક એક ઈન્દ્રિયવિષયને લીધે જ મરી જાય છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ એ પાંચ ઈન્દ્રિયના વિષયે દુઃખકારી છે, તેને વિચાર કરે તે પછી એમાં વિશ્વાસ ન આવે. પાંચે ઈદ્રિયમાં એક જિલ્લા ઇન્દ્રિય વશ થાય તે બીજી બધી ઇન્દ્રિયે વશ થાય. સદ્વિચાર બધાને આધાર છે. જિલ્લે ઈન્દ્રિયમાં આસકત થાય તે પછી એને જીભ ન મળે, એકેન્દ્રિય થાય. આગળ પાછળને વિચાર કરે તે આસકિત ન થાય. હવે જન્મ-મરણ વધારવાનું કરવું નથી, એમ થાય તે આસકિત ન થાય, પાંચ ઇન્દ્રિયના વિષયે વધારવા આ મનુષ્ય દેડ ધર્યો નથી. ચિંતામણિ જે આત્મા છે, જે માગે તે આપે. પિતાનું ભાન નથી. પિતાને વિચાર આવતું નથી. પરવસ્તુ પ્રત્યે એની દષ્ટિ છે. અજ્ઞાનને ભય લાગે નથી. સંસાર ભયરૂપ લાગે તે જ એને ઉપદેશ પરિણમે, ખામી બેધની છે. એટલે સત્પરુષ પ્રત્યે નેહ કરવો જોઈએ તેટલાને એક અંશ પણ નથી. જ્ઞાની પુરુષ પ્રત્યે પ્રેમ થાય તે એક વચન પણ કામ કાઢી નાખે. જ્ઞાનીને ઉપકાર સમજાયે નથી. “એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ તેનું પુરુષ જ કારણ છે.” (૨૧૩) જે કંઈ સુખ એને મળ્યું છે તે એને જ્ઞાની પુરુષથી જ મળ્યું છે. મૂળ કારણ શું છે તે જ્ઞાની પુરુષ નીકળે. ૧૦ શ્રીમદ્ રા. આ. અગાસ, દ્ધિ. વૈશાખ સુદ ૮,૨૦૦૯ (૫. ઉ. પ્રભુશ્રીજીની નિર્વાણતિથિ.) વસ્તુના અનંત ધર્મો છે, તેને સંપૂર્ણ પણે કહેવાની પદ્ધતિ તે સ્પાદૂવાદ છે. ખરું શાસ્ત્રજ્ઞાન તે શ્રત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy