________________
સંગ્રહ ૫ એટલે આ ભવમાં સાત આઠ વર્ષની ઉંમરમાં જાતિસ્મરણજ્ઞાન થયું. બીજું બધું તે અહીં જ પડ્યું રહેવાનું છે. હમણું દેહ છૂટી જાય તે શું સાથે આવે ? સાથે આવે એવું કંઈક કરવાનું છે; રોજ કંઈ શીખીએ, સત્સંગ કરીએ. પ્રારબ્ધમાં હોય એટલું મળે છે. હું મહેનત કરું છું તેથી મળે છે, એમ માને છે. પણ મહેનત તે લાકડાં ફાડવાવાળા ઘણું કરે છે. આ ભવ તે દુર્લભ છે. મનુષ્ય તે ઘણાય છે, પણ સાચે ધર્મ પામ દુર્લભ છે. મુમુક્ષુને યોગ્યતા મેળવવા ઘણું કરવાનું છે. બીજે બધેથી વૃત્તિ ઉઠાવીને આત્માર્થમાં લગાડવી.
મહાપુરુષોએ ઘણે વિચાર કરીને ઉત્તમ વસ્તુ કઈ છે તે કહ્યું છે. રાગદ્વેષરહિત થવાની ઈચ્છા જેને થઈ છે તેને શાથી હિત થાય અને શાથી અહિત થાય? તે વિચારીને ધર્મ કહ્યો છે. વીતરાગ ભગવાનને ધર્મ શું છે? વીતરાગ થવું. દેવાદિ કંઈ સાથે રહેવાનું નથી, પણ મારું માનીને બેઠો છે. રાગદ્વેષ ન હોય તે જગતના પરમાણુ આત્માને અડે નહીં. વીતરાગ ભગવાન જેવા થયા છે, તેવા થવા માટે એને પગલે પગલે ચાલવાનું છે. એ જ મારે કરવું છે, એમ જેને થાય તે મુમુક્ષુ છે. કૃપાળુદેવ કહે છે કે રાગદ્વેષથી રહિત થવું એ જ ધર્મ છે. ધર્મ ધર્મ કરે અને રાગદ્વેષ કરે તે ધર્મ ક્યાંથી થાય? મેક્ષે જવું હોય તે રાગદ્વેષને ઓછા કરવા પડે. ભગવાન પ્રત્યે રાગ કરવાનો છે. એ એકપક્ષી રાગ હોવાથી મોક્ષે લઈ જાય છે. ભગવાન પ્રત્યે રાગ થવા માટે સંસાર પ્રત્યેથી રાગભાવ ઓછો કરવાનું છે. કેઈથી વૈરભાવ રાખવો નહીં. મૈત્રીભાવ રાખીને વર્તવું. જે જે રાગદ્વેષ ઓછા કરે તે ભગવાનની પાસે જાય છે.
બીજાં સાધન બહુ ક્ય, કરી કલ્પના આપ; અથવા અસદ્ગર થકી, ઉલટો વા ઉતાપ. પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્ગગ; વચનસુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતક. નિશ્ચય એથી આવિયે, ટળશે અહીં ઉતાપ;
નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.” (૧૫૪) બે ત્રણ ગાથાઓ છે, પણ જીવ સમજે તે બધું જીવન ફરી જાય. આ ધર્મ કરું, આ ધર્મ કરું એમ ભટકે છે પણ સાચે ધર્મ મળ્યો નથી. એક તે પિતાની કલ્પનાથી ભટકે છે. પિતાની કલ્પના મૂકીને બીજાની સલાહથી કરે અને તે અજ્ઞાની હોય તે અસદગુરુથી પાછા ચોરાશી લાખના ફેરા ખાવા પડે. ઘણીવાર અસત્સંગ મળે, પણ કેઈક વખતે પૂર્વ પુણ્યના ઉદયથી સદ્ગુરુને યોગ પણ મળી આવે છે. વચને સાંભળીને પિતાનું મન જ માન્ય કરે કે આ સાચું છે. સાચી વાત આવે ત્યાં એનું મન કબૂલ કરે. વધારે પુરુષાર્થ કરીશ તે વધારે શાંતિ પામીશ એમ એને વધારે નિશ્ચય થાય, એક આત્મા માટે સત્સંગને લક્ષ થાય. સત્સંગથી જીવ આગળ વધે છે. સહેલામાં સહેલું, ઉત્તમમાં ઉત્તમ સાધન સત્સંગ છે. કૃપાળુદેવ કહે છે કે મેં રોજ સત્સંગ કર્યો, માત્ર આત્માનો લક્ષ રાખીને સત્સંગ કર્યો. સત્સંગથી અસંગ થવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org