________________
ર૬૯
ભવ મળ મુશ્કેલ છે. તે પછી મનુષ્યભવને સફળ કરનાર સાધને મળવા તે બહુ મુશ્કેલ છે. જીવને મેહમાં ખબર પડતી નથી. જે કંઈ જીવને સાધન મળ્યું છે તે ક્ષણે ક્ષણે આરાધવું જોઈએ. કર્મ ક્ષણે ક્ષણે બંધાય છે, તે પછી કર્મથી છૂટવા માટે પણ એ પુરુષાર્થ જોઈએ. જન્મમરણનાં દુઃખે જેને લાગ્યાં છે, તેને પુરુષાર્થ સૂઝે છે. હોડીમાં બેઠા હેઈએ, તેને લાકડાં ફાડે તેમ ફાડીને બાળી નાખે તે બૂડી જાય, તેમ આ મનુષ્યભવ તરવાનું સાધન છે તેને મેજશેખમાં વાપરે તે બૂડી જાય. રખા બધા રાત્રે ફરે છે ત્યારે બોલે છે કે “જાગજો! જાગજે” જાગતા રહેવાની જરૂર છે. અનાદિકાળથી ઊંઘે છે. મારું મારું કરે છે, એ જ મહ છે. પિતે દેહ નથી છતાં પિતાને દેહરૂપ માને છે. ધન કુટુંબ આદિને પિતાનાં માને છે, તેનું નામ મેહ છે. મેહ છે ત્યાંસુધી સંસાર છે. સંસાર દૂર કરે હોય તે મોહ ઓછો કરે. વિવેકદષ્ટિની જરૂર છે. આપણને હિતકારી શું છે? અહિતકારી શું છે? શું કરવાથી પિતે દુઃખી છે? શરીરમાં કેણ છે? તે સુખી છે કે દુઃખી? શું કરવા આવ્યું છે? શું કરે છે? એવું પૂછ્યું નથી. દેહની ગડમથલમાં પડ્યો છે. દેહ તે કપડા જેવો છે. કપડું ફાટી જાય તેની પેઠે એક દેડ છૂટ્યા પછી બીજે દેહ મળે. આ દેહથી મારે શું કરવાનું છે કે જેથી મારે ભવ સફળ થાય ?
નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” (૧૫). હું કોણ છું? એ સૂઝતું નથી. વિષય અને પરિગ્રહમાં પડ્યો છે. જ્ઞાની પુરુષની બૂમ સાંભળતું નથી.
મુમુક્ષુ-તૃણું કેમ જાય?
પૂજ્ય શ્રી–તૃષ્ણા બેટી છે એમ લાગી? ઉપાધિરૂપ છે એમ લાગી? મારી સાથે જે આવે એવું કરવું છે. તૃષ્ણ ઓછી કરવી હોય તેણે નિયમ કરવો જોઈએ. ઉપાધિ કેને માટે કરું છું ? ખાવા જેટલું તો છે. આટલું કુટુંબને ચાલે. ઉપાધિ ઓછી કરી હોય તે આત્માનું કામ થાય. મારે મેક્ષે જવું છે, એમ થાય તો બીજી તૃષ્ણ ઓછી થાય. વધારે પૈસા શા માટે ઈચ્છે છે? બીજા મોટા કહે તે માટે, મેટાઈ માટે. હું મટે છું એમ કરી કઈ મોક્ષે ગયા નથી. મેટાઈ મૂકીને બધા મોક્ષે ગયા છે. પહેલામાં પહેલે સત્સંગ કરવાનું છે. ભૂલવાળા રસ્તામાં ગામ નહીં આવે. પર્વત જેટલે પૈસાને ઢગલે કરીશ તે પણ મોક્ષ નહીં આવે. હમણું દેહ છૂટી જાય તે શું સાથે આવે ? એક લાખ રૂપિયા હાય તેમાંથી એક હજાર જાય તે દુઃખી થાય, પણ નવાણું હજારથી રાજી ન થાય. પૈસા મારી સાથે નહીં આવે અને હિંસા મારી સાથે આવશે. જેમ બને તેમ ઓછા કરતા જવું.
આનંદશ્રાવકને મહાવીર મળ્યા. તેમણે વિચાર્યું કે મારી પાસે આટલાં બધાં ગાડાં, ગાયે વગેરે છે અને એમની પાસે કંઈ નથી, તે પણ એ વધારે સુખી છે. તેમણે મહાવીર ભગવાનને પૂછ્યું કે હે ભગવાન! મારે સુખી થવું છે, એને ઉપાય બતાવે. ભગવાને કહ્યું કે ઉપાધિ વધારીશ નહીં. તેમણે તે દિવસથી ઓછું કરવા માંડ્યું. એમ કરતાં કરતાં તેમને એમ થયું કે મારે તે હવે ભગવાનની ભક્તિ જ કરવી છે. એમ વિચારી તે તપ વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org