SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ આધામૃત મનુષ્યભવમાં એવા જોગ કાઈ થાય કે સાચી વસ્તુ મળી જાય તે સમાધિમરણ થઈ જાય. કાઈ પુણ્યને ઉદય હાય ત્યારે એવા જોગ પ્રાપ્ત થાય છે. પણ પછી પુરુષાથ કરવાના છે. તેમાં જે આડું આવે તે પ્રતિબંધ છે. મારે આત્માનુ હિત કરવુ છે એ કદી ન ભૂલવું. કશું ન થાય તે પણુ એ લક્ષ રાખવા. વિવેકની જરૂર છે. જે સગામાં આપણે રહેતા હાઈએ તેમાંથી સાર ગ્રહણ કરવા. એક ગંધાતા કૂતરાથી બધા લડવૈયા દૂર ગયા. પણ શ્રીકૃષ્ણે હાથી ઉપરથી નીચે ઊતરી જોયું કે એના દાંત અને નખ કેવા સુંદર છે ! એમ ગુણુ ગ્રહ્યો. આ દેહ ગંધાતા કૂતરા જેવા છે; આ દેહમાં આત્મા છે તે ગ્રહણ કરવા, આત્મા નિત્ય છે. ૧૬૮ કામ કરવાં પડે તે પણ ‘સહેજાત્મસ્વરૂપ પરમગુરુ'ના જાપ જપતાં કાય કયે જવુ. એથી કમ અટકશે. જ્ઞાનીને કશી ઇચ્છા નથી, વાસના નથી. ગુરુની ભાવના ગૌણ ન કરવી કે બધા સત્પુરુષ સરખા છે. એમ ન કરવું. એમ કરે તે ઢીલ થાય. સત્પુરુષ મળ્યા હોય, સાધન મળ્યું હોય તે ફાંફાં મારવામાં નકામું ન જાય એ લક્ષ રાખવા. આત્મા જાણે છે, દેખે છે અને સ્થિર થાય છે, એ નિત્ય સ્મરણુમાં રાખવું. વસ્તુ ત્રણે કાલ રહે છે તેમાં ચિત્ત રાખવુ. હું જાણું છું, દેખું છું; ખીજું બધું પર છે. એમ જો થાય તા પછી એને કંઈ લાગે-વળગે નહીં. દૃશ્ય વસ્તુ પુદ્ગલ છે. દેખાય તેમાં તણાઈ ન જવુ. આત્માનું લક્ષણ જાણ્યું તે પછી કેમ ભુલાય ? આત્માથી બધું પર છે, એમ જો થયું' તેા પછી ગમે તેમ થાય તેાય કંઈ નહી. સાચના પક્ષમાં જવું હાય તેા સાચા થવું જોઈ એ. જેને જ્ઞાનીપુરુષના ચાગ થયા છે તેને ફિકર નથી. જ્ઞાની જાણે છે, તે મારે જણવુ છે; એવી ભાવના રાખવી. પ્રભુશ્રીજીને મંત્ર મળ્યા ત્યારે તેની રાતદિવસ ધૂન લગાવી. પછી કૃપાળુદેવને પૂછ્યું' કેમ કંઈ દેખાતું નથી? કૃપાળુદેવે કહ્યુ` કે કર્યાં જવું અને દેખવા કરવાની ઈચ્છા પણ ન કરવી. જ્ઞાનીએ આત્મા જાણ્યો છે તે મારે જાણવા છે. આજ્ઞા મળી તેના પુરુષા કરવા. મંત્ર મળ્યા છે તેના જાપ કરવા. એથી કમ જાય છે. ખરા દેવ તે। આત્મા છે. સમ્યગ્દર્શનનું માહાત્મ્ય લાગ્યું હાય, સમ્યગ્દર્શન થયું હોય, પછી શ્રદ્ધા છૂટી જાય તે પણ એને વહેલે મેાડે માથે લઈ જાય છે. ગાયના શીંગડા ઉપર રાઈના દાણા રહે એટલી વાર જે સમ્યગ્દનની સ્પના થઇ તે વહેલે મેડે મેક્ષે લઈ જાય છે. આત્મા આત્મારૂપે રહે તે મેક્ષ છે. મેક્ષ કહ્યો નિજ શુદ્ધતા'' અધા કર્મ થી રહિત થવું, શરીરથી રહિત થવુ તે મેક્ષ છે. કાયા એ જ દુન છે. મેહ કર્યાં હાય પણ જ્ઞાનીને સમભાવ હાય છે. પથરાડિયા, ચૈત્ર વદ ૮, ૨૦૦૯ પરંતુ પ્રમાદમાં બધા વખત તે બધા મરણ વખતે ખડો થાય છે. ગમે તેટલું દુઃખ હાય, મનુષ્યભવ છે ત્યાંસુધી જીવ કંઈ કરી શકે તેમ છે. જાય છે. મનુષ્યભવ તા મેક્ષે લઈ જાય એવા છે. બીજા ભવમાં મેાક્ષ થાય નહીં, મનુષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy