SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ સ ગ્રહ પ ૨૭ એનું ફળ કેવું આવશે તેને ખ્યાલ નથી. પાપ છોડવાનું જ્ઞાની પુરુષે પહેલું કહ્યું છે. પાંચ ઉદંબર ફળ અભક્ષ્ય છે, ઘણું જીવાતવાળા છે, માટે એને ત્યાગ કરે. જ્ઞાની પુરુષે એને ૮નષેધ કર્યો છે. માખણ ઈન્દ્રિયોને ઉન્મત્ત કરનાર છે. ભક્તિ કરવી હોય તે ઈન્દ્રિને વશ કરવાની છે. મધ પણ એવું છે. એમાં ઘણું જીવો હોય છે. આ સાત અભક્ષ્ય વસ્તુઓ છે, તે પાપ બંધાવી દુખમાં લઈ જાય છે. માટે તેને ત્યાગ કરે. ૩ શ્રીમદ્ રા. આ. અગસ, ચૈત્ર વદ ૩, ૨૦૦૯ પ્રાણ જાય તેય વ્રત તેડવું નહીં. છોકરાંની રમત નથી. વ્રત તેડે તે નરકે જવું પડે. સંસારભાવ જેમ જેમ મળે પડે અને સમાધિમરણની તૈયારી કરી હોય, તેમ તેમ કૃપાળુદેવનાં વચને વિશેષ વિશેષ સમજાય, નિવૃત્તિક્ષેત્રમાં વિશેષ લાભ થાય છે. જેને મતમતાંતરની વૃત્તિ ન હોય તેને જ્ઞાની પુરુષનાં વચને વિશેષ સમજાય છે. ગમે તેમ કરી મારે આત્માનું કલ્યાણ કરવાનું છે, એમ જેને હેય તેને વધારે સમજાય છે. કૃપાળુદેવનું સાહિત્ય ગુજરાતી ભાષામાં છે તેથી સરલ છે, પણ ભાવ તે બહુ ગહન છે. આટલું છે કે ભાષાની મુશ્કેલી નહીં. ૪ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૪, ૨૦૦૯ કલિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું.” (૨૫૮). એટલે શું ? બીજા વિચાર આવે છે તે પડી મૂકી આત્મવિચારમાં રહેવું. કલિયુગમાં ક્યારે મરણ થશે તેની ખબર નથી. કલિયુગમાં નીચે રસ્તે જવાના ઘણા પ્રસંગે હોય છે. એથી બચવા જ્ઞાની પુરુષે જે મંત્ર આપ્યો હોય તેમાં ચિત્ત રાખવું. શરીર છે તે બંધ કરે છે. તેમાં આત્મા એ એક સુંદર વસ્તુ છે. તેનું ધ્યાન કરવાથી આત્મા નિર્મલ થાય છે. સદ્દવિચાર કરવાથી આત્મધ્યાન થાય છે. અને આત્મધ્યાન થાય તે નિર્મલતા થાય. હરતાં ફરતાં “સહજાન્મસ્વરૂપ પરમ મંત્રમાં ચિત્ત રાખવું. પરમગુરુએ એ સ્વરૂપે પ્રગટ કર્યું છે. બધાં કર્મ ક્ષય કરે એવી આ વસ્તુ છે. બીજી વસ્તુઓ દેખાય, સંભળાય, તેનો વિચાર આવે તે બધું કર્મ બંધાવે છે. સમયે સમયે કર્મ બંધાય છે, માટે પુરુષાર્થ પણ સમયે સમયે કરવાનો છે. આત્મભાવના વગર ક્ષણ પણ રહેવા જેવું નથી. મંત્રનું સ્મરણ પ્રવાહરૂપે ચાલુ રાખવું. થોડી વાર કરીને મૂકી દેવાનું નથી. ૫ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૫, ૨૦૦૯ (પરમકૃપાળુદેવની નિર્વાણતિથિ આપણુ આત્મા માટે ભક્તિ કરવાની છે. આ પુરુષનાં વચને રામબાણ છે. ઉપાસના કરે તે હિત થાય એવું છે. સત્સંગની ઘણી જરૂર છે. જ્ઞાની પુરુષને હું દાસ છું એમ રાખવું. વૈરાગ્ય વધશે તે બધું સમજાશે. હવે જ્ઞાનીની આજ્ઞામાં રહેવું છે. આત્માનો ઉદ્ધાર થાય એવું કરવું છે. મૂળ તે આત્મા સુધી પહોંચવાનું છે. આત્મા વેદાંતી નથી, વૈષ્ણવ નથી, જૈન નથી, બુદ્ધ નથી, શેવ નથી, નિર્વિકલ્પ વસ્તુ છે. શબ્દમાં આવે એવી વસ્તુ નથી. આત્માનું કામ કરવું જોઈએ. કૃપાળુદેવની આજ્ઞાથી કરીએ. તે વિશેષ લાભ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy