SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ બેધામૃત સ્થિર થવાય તે ચારિત્ર છે. જ્યારે સંપૂર્ણ સ્થિર થવાય ત્યારે મોક્ષ થાય છે. શ્રેણીમાં મનોયોગમાં ઉપગ હોય છે. કેવળજ્ઞાન થતાં સુધી જ્ઞાની પુરુષનાં વચનેનું જીવને અવલંબન છે. બાહ્ય ચારિત્રની વાત નથી. આત્મામાં સ્થિર થવું તે ચારિત્ર છે. બાહ્યચારિત્ર તે અનંતવાર જીવને આવ્યું છે. નિયમ લીધે હોય તે તેડવો નહીં. ૧૭૩ શ્રીમદ્ રા. આ. અગાસ, પોષ વદ ૧૩, ૨૦૦૯ મુમુક્ષુ-મારે શું વાંચવું? પૂજ્યશ્રી–તમારે સારા થવું. આટલા મોટા થયા, બહુ વાંચ્યું. હવે સારા થવું. જેમ ભાવ વધે તેમ કરવું. સત્સંગ વધારે સેવ. એથી લાભ છે. ભક્તિ કરવી. સંસારથી પાછું વળવું છે, છૂટવું છે. એક જ વાર વાંચ્યાથી સંતોષ ન માનો. અનંતકાળથી પરિભ્રમણ થયા છતાં સફળપણું થયું નથી. પરિભ્રમણનું દુઃખ લાગે એવું કરવાનું છે. જ્યાં જાય ત્યાં દુઃખ છે. દેવલેકમાં જાય, નરકમાં જાય, તિર્યંચમાં જાય કે મનુષ્યભવમાં જાય, બધે દુઃખ છે. દુખ ન લાગે ત્યાં સુધી ધર્મ ન સાંભરે. નથી ધ દેહ વિષે વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” પૈસાટકા, સગાં-વહાલાં બધે પરિગ્રહ છે. એને એકઠા કરવા માટે જગ્યા નથી. પાંચ ઈનિદ્રાના વિષયે વધારવા માટે આ દેહ ધર્યો નથી. ત્યાગથી સંતોષ રાખવે, સંયમભાવથી હિત થાય છે. વિષયભાવ, ક્રોધ, માન, માયા, લેભ એ બધા નરકે લઈ જાય છે. વિષયક્ષાયનું તે માથું કાપી નાખવું. ઘણુ કાળથી ભટકાવ્યા છેસારું સાંભળવા, સારું જેવા, સારું ચાખવા, સારું સુંઘવા, સારું સ્પર્શ કરવા મળે ત્યાં મેહ ન કરે. સંસાર સારે છે એવો ભાવ જ્યાંસુધી છે, ત્યાંસુધી સંસાર છોડવાને ભાવ ન થાય. જ્ઞાની પુરુષને વિશ્વાસ રાખે કે આપણે માટે જ બધું કહ્યું છે. જે નહીં કરશું તે હિત થશે નહીં. વિષયકષાય નરકે લઈ જાય એવા છે, માટે ન સેવવાં. વિષયકષાય શત્રુ સમાન છે. અનંતકાળથી આપણને રઝળવ્યા છે. વિષયકષાયનું તો માથું કાપી નાખવાનું છે, એને ક્ષય કરવાના છે. જ્ઞાની પ્રત્યે વિશ્વાસ રાખવાનું છે. એ શ્રદ્ધા મોટી વસ્તુ છે. ૧૭૪ શ્રીમદ્ રા. આ. અગાસ, પિોષ વદ ૦)), ૨૦૦૯ જીવને સત્સંગની જરૂર છે. આ મનુષ્યભવની સફળતા કરવા વાંચવા, સાંભળવા, વિચારવાની જરૂર છે. પહેલાં કંઈ કર્યું તે આ મનુષ્યભવ મળે છે. પેટનું કામ કરીએ છીએ તેવું એક આત્માનું કામ પણ કરવાનું છે. જેને સત્સંગ ન હોય તે સત્સંગે જે આજ્ઞા મળી તે ઉપાસે તે સત્સંગ જેવું જ છે. આળસ ન કરવી. સદાચાર હોય તે અધોગતિમાં ન જાય અને ભક્તિમાં ચિત્ત રહે. અ૯પ પણ જ્ઞાનીની આજ્ઞા મળી તે પછી અત્યારે પણ આ દેહ છૂટી જાય તેય ફિકર નહીં. મને જ્ઞાનીની આજ્ઞા મળી છે તે આરાધવી છે એ લક્ષ રાખ. મનુષ્યભવની સફળતા સદાચાર પાળવાથી અને જ્ઞાનીની આજ્ઞા આરાધવાથી છે. મનુષ્યભવ મેક્ષને માટે છે. જ્ઞાનીની આજ્ઞા આરાધે તે મેક્ષ થાય. લક્ષ રાશીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy