SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ બેધામૃત જ્યાં સુધી સદ્દગુરુ ન મળ્યા હોય ત્યાં સુધી આત્માર્થ ન થાય. આત્માર્થ ના હોય તેનાથી અસંગાણાવાળી ક્રિયા થાય છે. જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણવાળી ક્રિયા હોય અને નિરંતર જ્ઞાનદશા ઉપર જેનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ.” (૩૦) જ્ઞાન અને ક્રિયા બને જોઈએ. પિત પિતામાં તપાસવાની જરૂર છે કે હું ક્રિયા આત્માર્થે કરું છું કે બીજા અર્થે કરું છું? આત્માર્થ સિવાય બીજી વસ્તુની ઈચ્છા રહે નહીં અને અસંગપણનો અને જ્ઞાનને લક્ષ હોય તે કલ્યાણ થાય. ધર્મ છે તે કેઈન કરાવ્યાથી થતું નથી. પિતે કરે તો જ થાય. ૧૭૦ શ્રીમદ્ રા. આ. અગાસ, પિષ વદ ૮, ૨૦૦૯ મુમુક્ષુ-સહેજત્મસ્વરૂ પૂજ્યશ્રી–આત્મસ્વરૂપ જેવું છે તેવું. પોતાના સ્વભાવમાં રહેવું અથવા કર્મમલરહિત જે સ્વરૂપ તે સહજત્મસ્વરૂપ. જેમ રફટિકરત્ન અન્ય પદાર્થના સંગે લીલે, પળે, લાલ આદિ જેવો સંયોગ થાય તેવો દેખાય છે તે તેનું સહજસ્વરૂપ નથી, પણ જ્યારે એક નિર્મળ સ્ફટિક રહે ત્યારે તે તેનું સહજ સ્વરૂપ છે. જેટલું સદાચરણ હશે તેટલાં જ્ઞાની પુરુષના વચન વધારે સમજાશે. વૈરાગ્યની જરૂર છે. અંતઃકરણ જેમ જેમ નિર્મળ થશે તેમ તેમ વધારે સમજાશે. “શુકલ અંતઃકરણ વિના મારા વચનને કણ દાદ આપશે ?” (૨૧-૪૭) ઢીલા ન પડી જવું. શરૂઆતમાં જીવ બળ કરે છે પણ પાછે ઢલે પડી જાય તે કંઈ ન થાય. કાયામાંથી શું કાઢવાનું છે? આ દિવસ અને રાત કાયાની સંભાળ રાખે છે. ટાપટીપ કરે છે. અને જે અંદર રહેનારે આત્મા તેની સંભાળ નથી. કરવાનું છે તે પડ્યું રહે છે. પિતાને ભૂલીને જે કરે છે એ જ મોટી ભૂલ છે. પરવસ્તુમાં ચિત્ત છે. મુમુક્ષુ-શુકલ અંતઃકરણ એટલે શું? પૂજ્યશ્રી–પાપ વિનાનું અંતઃકરણ તે શુકલ અંતઃકરણ. ત્યાગ-વૈરાગ્યવાળું ચિત્ત તે શુકલ અંતઃકરણ છે. ૧૭૧ શ્રીમદ્ રા. આ. અગાસ, પોષ વદ ૯, ૨૦૦૯ સ્મરણનું વધારે જોર રાખવું, સ્મરણ હરતાં ફરતાં પણ કરવું. વિશ દેહરા આદિ ત્રણ પાઠ વારંવાર ભાવપૂર્વક બેલવાનું રાખવું. જીવે ઘણું કર્યું છે, પણ ભાવ વિના બધું લખું થયું છે. પુરુષને બહુ ઉપકાર છે. આત્માને ઉન્નત બનાવે એવાં જ્ઞાની પુરુષના વચને છે. એમાં જેટલા ખોટી થઈશું તેટલું કલ્યાણ થશે. છ પદના પત્રમાં સમ્યગ્દર્શન રહ્યું છે. જ્યાં સુધી એ સમકિત પ્રગટ ન થાય ત્યાં સુધી એ છ પદ ભર્યો જ નથી. જ્ઞાની પુરુષનાં વચને અમૂલ્ય છે એવું લાગતું નથી. પૈસા ફેરવે, પણ મંત્ર ન ફેરવે. કેઈ ટોકનાર જોઈએ. મુમુક્ષુને સારું તે કરવું છે, પણ પ્રમાદ નડે છે. આત્માને ભૂલે છે, એ જ પ્રમાદ . વિકથા કરવી હોય તે આખી રાત જાગે, પણ મરણમાં ઊંઘ. પિતાની ભૂલે તપાસી, કાઢવી; નહીં તે મનુષ્યભવ એમને એમ જ રહે. જ્ઞાનીએ મંત્ર આપે તે જ મારે છે. એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy