________________
સંગ્રહ ૪
૨૫૯ સાંભળીને ગાંઠે બાંધે તે આત્માની સામાયિક થશે” (ઉ૦ ૮) પણ તે કદાગ્રહ મૂકે તે થાય. જ્ઞાની પુરુષે કહે છે કે સંસારમાં અનંત દુઃખ છે, છતાં એને સુખ લાગે છે. વિચાર કરતે નથી. જ્ઞાનીનું કહેવું માનતે નથી, કદાગ્રહ મૂકતું નથી. તેથી સંસારમાં રઝળે છે અને અનંત દુઃખ પામે છે.
૧૬૫ શ્રીમદ્ રા. આ. અગાસ, પિષ વદ ૧, ૨૦૦૯ મન વશ કરવાની જરૂર છે. વિચાર કરે તે જ્ઞાની પુરુષે કહ્યું છે તે એને સમજાય. ધર્મમાં વિઘ પાડનારા પણ ઘણું દોષો છે. સામાયિક કરવાથી મને ધન મળશે, યશ મળશે, એમ બહારની વસ્તુઓની ઈચ્છા રહે ત્યાંસુધી ધર્મ ન થાય. જ્યાંસુધી સંસાર દુઃખરૂપ છે એમ નથી લાગ્યું, ત્યાંસુધી સંસારની ઈચછા રહે છે. હું સામાયિક કરું છું, મને સામાયિક કરતાં આવડે છે એમ અહંભાવ કરે તે બધા જીવના દે છે. માથે મરણ છે. સંસારને ભય લાગે તે તે સારો છે. કેને ભય લાગે છે પણ જેને ભય લગાડવાને છે તે નથી લાગતું. લેકભય ન રાખવો, મરણભય રાખવે તે વૈરાગ્ય થાય. નિદાન નામને દેષ છે તેમાં ઇચ્છાની ઘણી તીવ્રતા છે કે મને આ વસ્તુ મળો જ, મને દેવલેક મળે જ, એમ તીવ્ર ઈચ્છા હોય છે.
નદિષેણ મુનિ બહુ સેવાભાવી હતા. તેઓને ઈન્દ્ર વખાણ્યા, પણ કઈ બે દેવોને તે વાત સાચી ન લાગી તેથી નંદિષણની પરીક્ષા કરવા આવ્યા. નદિષેણ તેમાં પાસ થયા. પણ મરણ વખતે નિદાનબુદ્ધિ થઈ કે મારા મામાએ મને એક પણ કન્યા ન આપી. આ મારી સેવાનું ફળ હોય તો હું હવેના ભવમાં સ્ત્રીવલલભ થાઉં. એવી ભાવનાથી દેહ છોડયો, પછી દેવને ભવ કરી વસુદેવ થયા.
સામાયિકમાં સમભાવની મુખ્યતા છે. અને પ્રતિક્રમણમાં પાપથી પાછા હઠવાનું છે. તેમાં છે આવશ્યક આવી જાય છે. સામાયિક, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, ગુરુવંદન, ચોવીશ તીર્થંકરની સ્તવના, કાર્યોત્સર્ગ એમ છે આવશ્યક પ્રતિક્રમણ કરે છે તેમાં આવી જાય છે. રેજ સવારે આલેચના બેલાય છે તેમાં પણ છે આવશ્યક આવી જાય છે.
પ્રતિકમણુમાં વિચાર કરવાને છે કે આજે મારાથી શા શા દેષો થયા પછી પશ્ચાત્તાપ કરીને વર્તમાનમાં ભાવ સુધારવા તે આલોચના છે. સામાયિક, ચૌવિસë, વંદન, પ્રતિકમણ, કાઉસ્સગ્ગ, પચ્ચખાણ એ છ આવશ્યકકિયા મુનિ તથા શ્રાવકને કરવાની હોય છે.
૧૬૬ શ્રીમદ્ રા. આ. અગાસ, પિષ વદ ૨, ૨૦૦૯ સામાયિકમાં ધર્મની વાત થઈ શકે છે. વ્યાખ્યાન પણ સાંભળી શકાય છે. નહીં તો સૂત્રના પાઠ બેલે, પદે બેલે, માળા ફેરવે. સામાયિકમાં શાસ્ત્ર લખી શકાય છે. અંબાલાલભાઈ પુસ્તકની નક્કે કરતા ત્યારે સામાયિક લઈને બેસતા. કૃપાળુદેવે એમને કહેલું કે રેજ અમુક વખત સામાયિક લઈને બેસવું, તે વખતે પુસ્તકે નકલ કરી લેવા મોકલ્યાં હોય તેની નકલ ઉતારવી. સમભાવ આવવા માટે બે ઘડી મન-વચન-કાયાથી પાપ ન કરવું એ નિયમ કરી બે ઘડી સુધી એક સ્થાને બેસે તે સામાયિક કહેવાય છે. બે ઘડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org