SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ બોધામૃત પુણ્યાનુબંધી પુણ્ય છે. એથી પછી આ ભવમાં કે બીજા ભવમાં સમ્યગ્દર્શન પામે, કેવળજ્ઞાન પામે, મોક્ષ પામે. અભયકુમાર આગલા ભવમાં બ્રાહ્મણ હતા. તે એક દિવસે એક શ્રાવક મિત્ર સાથે જતા હતા. વચ્ચે રસ્તે જતાં પીપળાનું ઝાડ આવ્યું તે વખતે અભયકુમારના જીવે પીપબાને નમસ્કાર કર્યા. શ્રાવકને વિચાર આવ્યો કે આ બિચારે એકેન્દ્રિયને દેવ માની નમસ્કાર કરે છે, તે બરાબર નથી. એમ વિચારી પીપળાનું એક પાન તેડી પગ નીચે કચરી નાખ્યું. તે જોઈ બ્રાહ્મણે કહ્યું શા માટે મારા દેવને પગ નીચે કચરે છે? શ્રાવકે કહ્યું : તમારા દેવામાં કંઈ શક્તિ નથી, મારા દેવ જે. પછી આગળ ચાલ્યા ત્યાં રસ્તામાં એક કૂચનું ઝાડ આવ્યું. તે જોઈને શ્રાવકે હાથ જોડ્યા. બ્રાહ્મણે કૂચના ઝાડને શ્રાવકના દેવ જાણીને તેને તેડી હાથમાં લઈ કચયું. તેથી તેના હાથે બહુ લાય ઊઠી ને બધે શરીરે ખંજવાળ આવવા મંડી ત્યારે શ્રાવકે કહ્યું કે મારા દેવ કેવા શક્તિવાળા છે ! યા? પછી તેઓ ગંગાકિનારે આવ્યા ત્યારે બ્રાહ્મણ નાહીને મંત્ર જપવા બેઠે. શ્રાવક પિતાનું ભાતું લઈ ખાવા બેઠો. પછી બ્રાહ્મણ પણ ખાવા બેઠે. તે વખતે શ્રાવક એઠે રોટલે ગંગામાં ઝબળી તેને આપવા લાગ્યો. ત્યારે બ્રાહ્મણે કહ્યું “એઠે રોટલે અમારાથી ન ખવાય. શ્રાવક કહે ગંગામાં ધોઈને આપે છે ને ? એ તે પવિત્ર થયેલ છે. પછી અભયકુમારને જીવ સમજી ગયે. તે બ્રાહ્મણ જૈનધર્મ પાળી બીજે ભવે અભયકુમાર નામે શ્રેણિકને પુત્ર તથા મુખ્ય મંત્રી થયે. છેવટે ભગવાન પાસે દીક્ષા લઈ સર્વાર્થસિદ્ધિમાં ગયે. પછી મેક્ષે જશે. આપણે પણ કેટલાય ભવથી રખડતા રખડતા કૃપાળુદેવને શરણે આવ્યા છીએ. શુદ્ધ આત્માની જેને શ્રદ્ધા થઈ તેને બીજું કંઈ ગમે નહીં. તે કાયાને તપ આદિમાં જેડી મનુષ્યભવ સફળ કરે છે. જગત ગમે તે કહે પણ આપણે તે ભક્તિ કરવી. સન્શાસ્ત્ર વાંચવું, વિચારવું. ભાવના કૃપાળુદેવની કરવી. ચિત્રપટનું વારંવાર દર્શન કરી ભાવના કરવી કે કૃપાળુદેવ દેહથી ભિન્ન છે. મારે એવા થવું છે. દેહથી ભિન્ન આત્માનો અનુભવ કરવો છે. ૧૬૩ શ્રીમદ્ રા. આ. અગાસ, પિષ સુદ ૧૪, ૨૦૦૯ આપણી મલિનતા કેમ જતી નથી? તે કે જ્યાં સુધી મન સન્દુરુષમાં ચૂંટે નહીં ત્યાં સુધી મલિનતા ન જાય. મનને વશ કરવું જરૂરનું છે. એ વશ થયા વિના કશું ન થાય. મન બધું સુધારેલું ઊંધું કરી નાખે છે. અગિયારમે ચડ્યો હોય ત્યાંથી પણ પાડી નાખે એવું મન છે. જ્યાં સુધી મન વશ ન થાય ત્યાં સુધી પાપના વિચારે ઘટતા નથી. આત્માની મલિનતા જતી નથી. મનને વશ કરવા માટે જ વ્રત છે. મન એકાગ્ર હોય તે જ શ્રેણી માંડી આગળ વધાય. પાપના વિચારે કે તે મન નિર્મળ થાય. આત્મા સ્થિર થાય તે શ્રેણી માંડી શકે. ૧૬૪ શ્રીમદ્ રા. આ. અગાસ, પિોષ સુદ ૧૫, ૨૦૦૯ - કરાગ્રહ એટલે જ્ઞાનીનું કહેવું માને નહીં. આત્માને સ્થિર કરવાનું જ્ઞાની પુરુષો કહે છે. આ કાળમાં આત્માની સામાયિક થઈ શકે છે. “જ્ઞાની પુરુષનાં વચન સાંભળી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy