SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૪ ૨૫૭ શરૂઆતમાં બધી શંકાઓ થાય છે. પણ ધીરજ રાખી વિશેષ સત્સંગ કરે તે સમાધાન થાય. ધીરજ રાખી જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધે તે આપોઆપ બધી શંકાઓનું સમાધાન થઈ જાય. કંઈક માણસ ઊંચે આવે તે ખબર પડે. મહાપુરુષની પરીક્ષા કરવામાં પણ યોગ્યતા જોઈએ છે. મધ્યસ્થ દષ્ટિ રાખે અને વૈરાગ્ય હોય તે પુરુષ એળખાય. ૧૫૯ શ્રીમદ્ રા. આ. અગાસ, પોષ સુદ ૧૦, ૨૦૦૯ ઘણા વર્ષ નકામાં ગયાં, હવે કઈ જ્ઞાનીની આજ્ઞા આરાધવી. પિતાની મેળે કરવા કરતાં જ્ઞાનીની આજ્ઞાએ કરવામાં લાભ છે. ભક્તિ કરવી હોય તેણે સદાચાર સેવવાને છે. હવે આપણે આત્માનું કલ્યાણ કરવું છે. સાત વ્યસન છે તે બધાં નરકનાં દ્વાર છે. પાપનું ફળ દુઃખ આવે છે. ધર્મ કરેલ હોય તે ઈન્દ્રિયને વશ કરવી. ૧૬ શ્રીમદ્ રા. આ. અગાસ, પિષ સુદ ૧૧, ૨૦૦૯ આ વચનામૃત છે, તે નિસ્પૃહ પુરુષનાં વચનો છે. અશરીરી ભાવ પામીને આ વચને કૃપાળુદેવે લખ્યાં છે. આશાતના ન કરવી. લેકના કહેવાથી આડાઅવળી પુસ્તક નાખી ન દઈએ. પુસ્તક કઈ જ્ઞાનીની આજ્ઞાથી વાંચે તે લાભ થાય. પ્રાણ જાય તે પણ સાત વ્યસન સેવવાં નહીં. જ્ઞાની પુરુષે કંઈક કરવાનું કહ્યું તે કરવું પણ ભૂલવું નહીં. રેજ કંઈ શીખીને ખાવું એમ રાખવું. ૧૬૧ શ્રીમદ્ રા. આ. અગાસ, પિષ સુદ ૧૨, ૨૦૦૯ બીજાની દશા સમજવી એ જેવી તેવી વાત નથી. આ કાળમાં ચારિત્રમેહનું બળ વિશેષ હોય છે, તેથી મન:પર્યવજ્ઞાન થતું નથી. મતિશ્રુતવાળ ઉત્કૃષ્ટપણે તે કેવલી જાણે તેટલું જાણે, પ્રશ્ન–આ કાળમાં સમ્યગ્દર્શન હેાય ? પૂજ્યશ્રી–હા, હોય છે. પહેલું સમ્યગ્દર્શન હોય પછી ચારિત્ર આવે છે. પછી મોક્ષ થાય. પુણિયે શ્રાવક હતું તે બે ઘડી સામાયિક કરતો. એને ભગવાન પણ વખાણુતા હતા. રોજ બે ચાર આના જેટલું કમાય અને બન્નેનું ગુજરાન કરો. પછી સામાયિક કરતે. આત્માનાં પરિણામ કેમ સારાં થાય ? તે વિચાર કરે. વ્રત લીધેલું તેડવું નહીં. દિવસે જે કંઈ વાંચ્યું હોય તેને રાત્રે સૂતી વખતે વિચાર કરે કે આજે શું વાંચ્યું? તેમાં મારે કરવા જેવું શું હતું? મારા દે જાય એ કઈ ઉપાય જ? મારામાં શા શા દોષે છે? એમ વિચાર કરે. ૧૬ર શ્રીમદ્ રા. આ. અગાસ, પિષ સુદ ૧૩, ૨૦૦૯ રેજ ભક્તિ કરવી હોય તેણે સદાચાર રાખવાનું છે. સાત વ્યસનને ત્યાગ રાખી ભક્તિ કરે તે જ્ઞાનીની આજ્ઞા આરાધી કહેવાય. કૃપાળુદેવની ભક્તિમાં રહેવું છે. મારે તે એક આત્મા ઓળખવાનો છે, એ લક્ષ રાખવે. પુણ્યને વેગ હતું તે અહીં આવી શકાયું. પૈસાટકા મળવા એ જુદું પુણ્ય છે અને ધર્મ મળવો એ એક બીજું પુણ્ય છે, એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy