SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ બધામૃત નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે.” (૫૬૮). વિષયકષાય ખોટા છે એમ બધા કહે છે અને પાછા તેમાં જ વર્તે છે. અંદરથી મીઠાશ લાગે છે. અંદર વિપરીતતા કરાવનાર મિથ્યાત્વ કર્મ છે. ગમે તેમ કરીને પિતાનું યથાર્થ સ્વરૂપ જાણવાનું છે. પિતાને ન જાણે, પિતાને નિર્ણય ન થયું હોય, તે ગમે તેટલાં શાસ્ત્ર વાંચે તે બધાં નકામાં છે. ૧૫૭ શ્રીમદ્ રા. આ. અગાસ, પિષ સુદ ૮, ૨૦૦૯ એક પ્રત્યક્ષ પુરુષની પ્રતીતિરૂપ સમકિત કહ્યું છે. પહેલી પુરુષ પ્રતીતિ એટલે કે સપુરુષ સાચા છે, એ જેમ કહે છે તેમ જ મેક્ષમાર્ગ છે, એવી દઢ શ્રદ્ધા તે પહેલું સમકિત છે. પછી એને અંશે અનુભવ થાય તે બીજું સમકિત છે અને છેલ્લું નિર્વિકલપદશા થાય તે ત્રીજુ સમક્તિ છે. (૭૫૧) કોઈ તીર્થસ્થાનમાં આવવાનું થાય તે જીવનું મહાભાગ્ય છે. જ્યાં ભક્તિ થતી હોય, સત્સંગ હોય તેવાં સ્થાનમાં કઈ દિવસે ન સાંભળ્યું હોય તે સાંભળવા મળે છે. આ દેડમાં આત્મા છે તેને લઈને માણસ રૂપાળો દેખાય છે. બધી શેભા આત્માની છે. જેમ ઝાડમાંથી જીવ નીકળી જાય ત્યારે ઝાડની કંઈ શભા રહે નહીં. તેમ આ દેહમાંથી આત્મા નીકળી જાય તે શરીર મડદું, ગંધાવા લાગે. જગતમાં જે કંઈ રમણીયતા છે તે આત્માની છે. (૪૩૮). આત્મા અરૂપી પદાર્થ છે. તેને જાણવાનું છે. ધર્મનું મૂળ દયા છે. જન્મવું મરવું થયા કરે છે, તેથી કેમ છૂટવું થાય? એ વિચારથી જેને આત્માની દયા જાગે તેને છૂટવાનું થાય. છ પદની વાત આત્મસિદ્ધિમાં છે. તેને બધાને અભ્યાસ કરવાનો છે. ૧૫૮ શ્રીમદ્ રા. આ. અગાસ, પિોષ સુદ ૯, ૨૦૦૯ સપુરુષનાં વચને વારંવાર વિચારવાય છે. અંતર્દષ્ટિ જેટલી થાય, તેટલી જ્ઞાનીની ઓળખાણ થાય. કૃપાળુદેવને વચન ઉપરથી દશાની ખબર પડતી. કેવી દશામાં રહી એ વચન લખ્યાં છે એ જાણી શકતા. “ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દષ્ટિને એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાખ્યા માને તેહ. તેહ તરવરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ.” (૭૯) જે સાધનથી આત્માને ઉદ્ધાર થાય તે ધર્મ છે. મહાપુરુષોનાં વચનમાં તલ્લીનતા તે ભક્તિ છે. પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઊપજવા પૂર્વિત ભાગ્ય; તેમ નહીં તે કંઈ સત્સંગ, તેમ નહીં તે કંઈ દુ:ખરંગ.” (૧૦૭) પિતામાં વૈરાગ્ય હોય તે ગુરુ ઓળખાય. જેને સત્સંગ ન હોય પણ દુઃખ હોય તે દુઃખમાં એને થાય કે એ દુખ કેમ જશે? સંસાર દુઃખરૂપ છે એમ લાગે ત્યારે જીવને વૈરાગ્ય થાય છે. નરકમાં પણ સમકિત કેટલાકને થાય છે. મને મનુષ્યભવ મળ્યા છતાં કંઈ ન કર્ય" એમ વિચાર થતાં નરકમાં પણ સમકિત થાય છે. સત્સંગમાં જીવને સાંભળવા મળે તેથી વૈરાગ્ય થાય છે. તે સત્સંગ ન હોય તે દુઃખથી પણ વૈરાગ્ય થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy