SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૪. ૨૫૫ પુરુષને માત્ર સમ્યગ્દષ્ટિપણે ઓળખાય છે તેનું મહતું ફળ છે. (૫૦૪) બધાને સ્વાધ્યાય કરવાનું છે. મેક્ષનો માર્ગ સુખરૂપ છે. ૧૫૪ શ્રીમદ્ રા. આ. અગાસ, પિષ સુદ ૪, ૨૦૦૯ પાપ કરીને સારું મનાવનાર મિથ્યાત્વ છે. તે મોટામાં મોટું પાપ છે. બોટાને સારું માને તે છેડે ક્યારે? સત્સંગ જે યથાર્થ સેવાય તે તેનું ફળ અસંગપણું આવે. પછી બીજી ઈચ્છા ન રહે. સત્સંગમાં “માત્ર મોક્ષ અભિલાષ” મોક્ષ સિવાય બીજુ ઇરછે નહીં. ધર્મજનિત પણ ભોગ બહાં તેમ, લાગે અનિષ્ટ તે મનને રે.” (પાંચમી દષ્ટિ) મળ્યું હોય તેય અનિષ્ટ લાગે, સત્સંગે મન ફરે છે. અસંગતા સત્સંગ સિવાય થતી નથી. અસંગતા એ જ મેક્ષ છે. સત્સંગ એ છે કે બધાંય સંગથી જીવને છોડાવે. જ્યાં સત્સંગ ન મળતું હોય ત્યાંથી નાસી છૂટવું. “સંસાર અનંત કુસંગરૂપ છે મો-૨), કૃપાળુ દેવને સોળ વરસની વયમાં કેટલે વૈરાગ્ય હો ! સાંભળ સાંભળ કરે તે વિપરીતતા ટળે છે. કોઈક વખતે કર્મ બળવાન હોય છે અને કેઈક વખતે જીવ બળિયે હોય છે. સત્સંગે જીવને સાંભળતાં સાંભળતાં બધું સમજાય છે. એમ કરતાં કરતાં જીવ બળવાન થાય છે. વાંચવું, વિચારવું, ગેખવું. ભાવના સમ્યગ્દર્શનની રાખવી. જીવ ભૂલે પડ્યો છે, તેની ખબર નથી. આ જગત આપણને ગમે નહીં એવું કરવું. ૧૧૫ શ્રીમદ્ રા. આ. અગાસ, પિષ સુદ ૫, ૨૦૦૯ માથે મરણ છે, એ વારંવાર સંભારવું. ઘણાને તે બેઠાં બેઠાં દેહ છૂટી જાય છે. મરણ સાંભરે તે વૈરાગ્ય રહે. એ ન સાંભરે તે સંસાર સાંભરે. છૂટવા માટે જીવવું છે. એ લક્ષ રાખ. મનને લઈને બધું છે. મન સારામાં રહે તે છૂટે. મન ઉપર ચોકી રાખવાની છે. મન બીજે ભટકતું હોય તે સ્મરણમાં જેડીએ. ખેંચ રાખવી. એ સિવાય બીજું આપણને ગમે નહીં, એમ રાખવું. ખરી કમાણે આ છે. કૃપાળુદેવને ઉપકાર વારંવાર સંભા૨. તેની “નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે.” વૈરાગ્ય એ મોક્ષનો સેમિ છે. વૈરાગ્ય હોય તેને ખાવું ન ગમે, પીવું ન ગમે. જે કંઈ કરવું તે આત્માથે કરવું. ઉપવાસ કરવું હોય કે ગમે તે કરવું હોય, તે બધું એક આત્માથે કરવું. પ્રભુશ્રીજી કહેતા કે જે કરવું તે એક આત્માર્થે કરવું, છૂટવા માટે કરવું. જેને છૂટવું છે તેને પરમાત્મા પણ બાંધતા નથી. (૧૭૬). કૃપાળુદેવ આપણને જ કહેવા આવ્યા છે એ લક્ષ રાખીને વાંચીએ. જ્ઞાનીની આજ્ઞાથી કલ્યાણ છે, એથી જ મેક્ષ છે. ૧૫૬ શ્રીમદ્ રા. આ. અગાસ, પિષ સુદ ૭, ૨૦૦૯ સત્સંગમાં જ્ઞાનીને બોધ સાંભળવાની યોગ્યતા જોઈએ છે. ત્યાગવેરાગ્ય એ યોગ્યતા છે. ત્યાગવૈરાગ્ય માટે યોગવાસિષ્ઠ ગ્રંથ વાંચવાયેગ્ય છે, પણ સિદ્ધાંત માન્ય કરવાગ્ય નથી. પોતાની કલ્પના મૂકીને (વીતરાગ માર્ગના) સિદ્ધાંતકારનું શું કહેવું છે, તે સમજવું. તેમ કરવું બહુ મુશ્કેલ છે. અનાદિથી સિદ્ધાન્ત જાણવામાં ભૂલ થતી આવે છે. “આત્મસ્વરૂપને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy