SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૪ ૨૫૩ ૧૪૯ શ્રીમદ્ રા. આ. અગાસ, માગશર વદ ૧૨, ૨૦૦૯ | નિગ્રંથનો આત્મા સુખી છે. તેના જેવો સુખી ચક્રવર્તીને આત્મા પણ નથી. ઉપાધિ છે ત્યાં સુખ નથી. માથે બે છે છતાં માને છે કે હું સુખી છું. એ સુખ નથી. આત્મા એને નિરાકુલ નથી. અહંન્દ્રોને મંદ કષાય હોય છે તેથી સુખી છે. જીવને ઈચ્છાઓ થયા કરે છે. “હે જીવ ! ક્યા ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખમૂલ” (હા. ૧-૧૨) સુખ લાગે છે, તેની પાછળ પાછું દુઃખ દેખાય છે. સંસારનાં સુખ છે તે રેગ છે. ૧૫ શ્રીમદ્ રા. આ. અગાસ, માગશર વદ )), ૨૦૦૯ વિશાળબુદ્ધિ હોય તે ધર્મ પામે. જીવને વિશાળ બુદ્ધિ નથી. સમુદ્ર જે ભયંકર આ સંસાર છે. સંસારમાં આપણી પાસે પૈસા છે માટે વાંધો નથી એમ જીવ માને છે, પણ એની પાછળ કેટલી ચિંતા છે તેની ખબર નથી. કર્મ બાંધવામાં મોહનીય બળવાન છે. એને જીતવા પુરુષાર્થ કરવાનું છે. હું શું કરવા આવ્યો છું? મનુષ્યભવ શા માટે છે? એ જીવને સાંભરતુંય નથી, કૃપાળુદેવે કહ્યું છે કે –“નિરંતર ઉદાસીનતાને ક્રમ સેવ.” (૧૭૨) આખો લેક ત્રિવિધ તાપથી બળે છે. સંસારના બધા જ દુઃખી છે. ત્યાગમાં સુખ હજુ ભાર્યું નથી. ગ્રહણ કરીને સુખ માને છે. જીવ ક્ષણે ક્ષણે દુઃખી થઈ રહ્યો છે, એની દયા આવતી નથી. મારે આ જીવ બળે છે, તેને બહાર કાઢે એવી ભાવના થતી નથી. દયા આવતી નથી. દયા આવે તે બહાર કાઢવાનું થાય. જેમ જેમ ઇન્દ્રિયનાં વિષયે ભોગવે તેમ તેમ તૃણુ વધે છે. ઉપરથી શીતળ દેખાય છે પણ અંદરથી આત્માને બાળે છે. માયા છે, મેહ છે તે શત્રુ છે, એ જીવને સમજાયું નથી. મેહને શત્રુ માને તો એથી મૂંઝાય, પછી મુમુક્ષુ થાય. જીવ બીજાની દયા ખાય છે પણ પોતાની દયા એને આવતી નથી. ૧૫૧ શ્રીમદ્ રા. આ. અગાસ, પિષ સુદ ૧, ૨૦૦૯ જે સમજે તેણે પિતાનાં પરિણામ ફેરવવાના છે. જડને કંઈ સમજણ નથી. શરીર ઉપરથી મોહ છૂટે તે બધે સંસાર છૂટે. દેડથી ઉદાસીનતા આવ્યા વગર તે આત્મજ્ઞાન થાય નહીં. જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.” (૯૦૨). પિતાને એકાગ્ર થવું હોય તે બાહ્ય જગત નથી એમ કરવું. એ ઉપશમ થવાનું કારણ છે. જેને આત્મામાં લીનતા કરવી છે, તેણે જગતની વિસ્મૃતિ કરવાની છે. આત્મામાં જડ વસ્તુ છે નહીં. આખું જગત એને ભીંત જેવું ન લાગે ત્યાં સુધી જીવને શાંતિ આવે એવું નથી. “સમાધિશતક”માં કહ્યું છે– જેને સક્રિય સંસાર, ભાસે નિકિય કાડ શો, અ-પ્રજ્ઞ, ભેગ–ચેષ્ટાથી–રહિત શમ પામત.” (શ્લેક ૬૭) ૧૫ર શ્રીમદ્ રા. આ. અગાસ, પોષ સુદ ૨, ૨૦૦૯ રાજ સભામાં સ્તવને બેલવા જવું. ઘણી વાર સાંભળે ત્યારે સમજાય એવું છે. દેવચંદ્રજીનાં સ્તવનોના અર્થ ગહન છે. માટે જ રજ બલવાનાં છે. ધર્મ છે તે જીવને ધીરજ આપનાર છે. શાંતિ આપનાર છે. ધર્મની કાળજી ન રાખે તે બહુ મુશ્કેલ પડે. આ ભવમાં એક કૃપાળુદેવ ઉપર શ્રદ્ધા રાખી ધર્મનું આરાધન કરવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy