________________
રેપર
બેધામૃત ભગવાનની બધી અવસ્થાઓ પૂજ્ય છે. “તેનાં મનવચનકાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અભુત રહ ફરી ફરી નિદિધ્યાસન કરવાં.” (૧૭૨). આપણું ખરું સ્વરૂપ કયું છે તે પિતાની મેળે ન સમજાય. સાંભળે તે ભાવ થાય. ભગવાનનું જેવું નિરાવરણ સ્વરૂપ છે તેવું જ આપણું ખરું સ્વરૂપ છે. તે પ્રગટ થવા માટે બધાં શાસ્ત્ર કહ્યાં છે.
“જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ
લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ” (૯૫૪) ભગવાનનું સ્વરૂપ જોઈને માહાભ્ય લાગે કે અહ! મારી કલ્પનામાં ન આવે એવું સ્વરૂપ ભગવાને પ્રાપ્ત કર્યું છે. આ જીવ પોતાને સ્ત્રી, પુત્ર, પુરુષ, ધનવાન, ગરીબ, નપુંસક, બ્રાહ્મણ, વાણિયે એમ માને છે, પણ પિતાનું ખરું સ્વરૂપ તે ભગવાનનું જેવું નિરાવરણ સ્વરૂપ છે, તેવું જ છે. તેને આ જીવ જાણતા નથી.
જગતમાં બીજી વાત સાંભળવા મળે પણ ભક્તિની વાત, શાસ્ત્રની વાત સાંભળવા મળતી નથી. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર નિક્ષેપ છે, તે વસ્તુ ઓળખવાના પ્રકાર છે. ખરું સ્વરૂપ ભાવનિક્ષેપ છે, તે સમજવાની જરૂર છે. કેઈ કાવ્ય આપણે બોલીએ તે વખતે તેનો અર્થ સમજાય તે વિશેષ ભાવ આવે. ભક્તિનું માહાત્ય સમજાય તે ભક્તિ આવે. ભક્તિ કરે તે પુણ્ય બાંધે અને પુણ્ય બાંધે તે મનવાંછિત ફળ મળે છે. જે જે ઈચછે તે તે મળે. ભક્તિને કલ્પવૃક્ષ જેવી સમજે. ભક્તિ હોય તે મુક્તિ થાય. ભક્તિ હોય તે મુક્તિને તાણી લાવે. મુક્તિ પરાણે મળે. “ભજીને ભગવંત ભવંત લો.” (મે૧૫). સ્વરૂપ પ્રગટયા વિના તે મેક્ષ થાય નહીં. ભક્તિથી પિતાનું સ્વરૂપ પ્રગટે છે. સંસારથી બ જ ભક્તિમાં બેસે તે ઠરે. ભગવાનની ભક્તિમાં લક્ષ હોય તે અશુભ કર્મ રસ આપ્યા વિના ચાલ્યાં જાય, સંસારને રાગ છૂટી સમભાવ થાય. ભક્તિથી ભગવાનના નિસ્પૃહભાવ સમજાય છે. ભક્તિમાં રહે તે અધોગતિમાં ન જાય. ભગવાનની ભક્તિ એ ભગવાન થવાનું કારણ છે. અશુભ છેડી શુભભાવમાં આવે તે પછી શુદ્ધભાવમાં અવાય. ભક્તિ કરી કશું ઈચ્છવા જેવું નથી. વગર ઈચ્છાએ મળે છે.
૧૪૮ શ્રીમદ્ રા. આ. અગાસ, માગશર વદ ૧૧, ૨૦૦૯ સ્મરણને અભ્યાસ વધારે. મેઢે કર્યું હોય તે જ ફેરવીએ અને પછી વિચારીએ, નહીં તે સમજાય નહીં. જેમકે, “મૂળમાર્ગ બલીએ ત્યારે વિચાર કરે કે સમ્યગ્દર્શન શાને કહ્યું? સમ્યજ્ઞાન શાને કહ્યું? સમ્યફચારિત્ર શાને કહ્યું? એમ બધાને વિચાર કરે તે આપણને સમજાય. સમજ્યા પછી ભાવના કરવાની છે કે મને સમ્યગ્દર્શન ક્યારે પ્રાપ્ત થશે? સમ્યજ્ઞાન ક્યારે પ્રાપ્ત થશે? સમ્યક્રચારિત્ર ક્યારે પ્રાપ્ત થશે? એવી ભાવના કરવી. એમ શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવાનું છે. ગરજ જાગે તો થાય. જેમ દુકાનહાર રેજિમેળમાં લખે અને પછી ખાતાવહીમાં લખે છે ને? પથું રાખતા નથી. તેનું કારણ ગરજ છે. તેમ એમાં પણ ગરજ જોઈએ; તે વિચાર અને ભાવના થાય, મનન અને નિદિધ્યાસન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org