SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૪ ૨૫૧ મનુષ્યભવ બહુ દુર્લભ છે, પ્રમાદ ન કર. હરતાં ફરતાં જ્ઞાનીની આજ્ઞામાં પ્રવર્તાય તે લાભ થાય. આ જીવ રઝળતે રઝળતે ક્યાંથી અહીં આવ્યું છે ? પુરુષની ભક્તિ એ બહુ દુર્લભ વસ્તુ છે. પીંપળપાન જેવું આ મન છે. ફડ ફડ થયા જ કરે છે. કેઈસપુરુષને રોગ થાય અને જેનું મન અડોલ છે, એનામાં વૃત્તિ જોડાય તે મન સ્થિર થાય. એ એકદમ ન થાય. ક્રમે ક્રમે થાય છે. સત્સંગે સાંભળવાનું મળે છે, કલ્પનાઓ બેસી જાય છે. જે બનવાનું હોય તે બને. ચિંતા કરે તે ઊલટું બીજું બગડે. બધાનું કારણ ભાવ છે. જેવા જેવા ભાવ કર્યા હોય તેવાં તેવાં કર્મ બંધાય અને તેવાં તેવાં તેનાં ફળ મળે છે. સુખ દીધું હોય તે સુખ મળે, દુઃખ દીધું હોય તે દુઃખ મળે. ૧૪૬ શ્રીમદ્ રા. આ. અગાસ, માગશર વદ ૯, ૨૦૦૯ સમ્યગ્દર્શન વગર તરાય નહીં. ભગવાને જે ઉપદેશ કર્યો તે ધર્મ છે. શાસ્ત્રો છે તેને જાણે, પાળે ને બીજાને બધે તે સદ્ગુરુ છે. સર્વસંગપરિત્યાગી તે સદ્દગુરુ છે. સદ્ગુરુના આધારે ધર્મ છે. સદ્ગુરુ હેય તે સાચા દેવ અને સાચો ધર્મ બતાવે. જે આત્માથી આપણું આત્માનું ભાન થાય તે ગુરુ છે, દેડ છે તે સદ્દગુરુ નથી. દેડ કંઈ કલ્યાણ કરે છે? એમાં જે આત્મા છે તે કલ્યાણ કરે છે. એમને આત્મા ઓળખાય તે કલ્યાણ થાય, લાભ થાય. ગુરુ એટલે આચાર્ય. ગુરુ તે બધાય કરે છે, પણ સાચ ન આવે ત્યાં સુધી કંઈ ન થાય. દેડથી આત્મા ભિન્ન છે એવી જેને પ્રતીતિ થઈ હોય અને જે આત્માને જાણવા પુરુષાર્થ કરતા હોય તેની પાસેથી જાણવાનું મળે છે. સદ્દગુરુ એ વ્યવહારથી જરૂરના છે. તલ જેટલી જગ્યા પણ છવ વગરની નથી. આ લેક ઠઠસ ભરેલ છે. પિતાને કેવા થવાનું છે? એ જાણવાના હેતુથી કાલેકને વિચાર કરવાનું છે. સંસારથી કંટાળે તે મોક્ષની ભાવના થાય. સંસારનું સ્વરૂપ સદ્ગુરુ દ્વારા સમજાય તે પછી એને સંસારના સુખની આશા ન રહે, નહીં તે પડવાનાં સ્થાનકે ઘણા છે. અગિયારમેથી જીવ પડે છે. સદ્દગુરુનું અવલંબન હોય તે ન પડે. માટે જીવને સદ્દગુરુનું અવલંબન મેક્ષ થવા માટે જરૂરનું છે. (૧૭૦ ભાવાર્થ) જીવ માનને માટે મરી જાય છે. ધર્મ પામવો બહુ દુર્લભ છે. કંઈક ધર્મ કરવા જાય તે કષાયથી વચ્ચે લૂંટાઈ જાય છે. ૧૪૭ શ્રીમદ્ રા. આ. અગાલ, માગશર વદ ૧૯, ૨૦૦૯ ક્ષણે ક્ષણે જે ભાવ થયા કરે છે તેનું ફળ આવશે. માટે સારાં નિમિત્તોમાં લક્ષ રાખ. સાંભળવાને હેતુ એ જ છે. પુણ્ય અને પાપ બનેથી નિવૃત્ત થશે ત્યારે મેક્ષ થશે. સારાં નિમિત્તેમાં રહેવું, નહીં તે મને ક્યાંય જતું રહે એવું છે. પ્રમાદથી હિંસા થાય છે. જે આત્મઉપગમાં રહે છે તેનાથી હિંસા થતી નથી. છૂટવાને ભાવ જાગે કે મારે છૂટવું છે ત્યારે પાપથી ડરે. હિંસા છેડવા તૈયાર થાય તે પછી છોડતાં છેડતાં મુનિપણું આવે. પછી છકાયની દયા પળાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy