SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫o બધામૃત ઉકરડામાં રત્ન પડયું હોય તો સમજી જાન રત્ન પર દૃષ્ટિ કરે છે, પણ વિષ્ટા પર નજર ન કરે. તેમ દેહરૂપ ઉકરડામાં આત્મારૂપી રત્ન છે, તે પર દષ્ટિ કરવી. દેહ વિષ્ટારૂપ છે. જીવ પુત્રાદિ ઉપર મોહ કરે છે ને કરાવે છે તે સામસામી ઝેર પીએ છે ને પાય છે, એ ધંધે કરે છે. જી પિતાપણું, માતાપણું કરી “માઠું કરવામાં મણ રાખી નથી.” (૫૧૦) જીવે મંડયા રહેવું તે આઠ દિવસમાં પણ કામ થઈ શકે છે. અંજનચરે દઢતાથી આકાશગામિની વિદ્યા સાધી, મેરુ પર્વત પર જિનદત્ત શેઠ પાસે જઈ ચઢ્યાલયમાં પૂજા કરી. પછી ચારણમુનિ પાસે દીક્ષા લઈ આઠ દિવસનું આયુષ્ય હેવાથી અનશન કરી, બધાં કર્મ ખપાવી મેક્ષે ગયા. વિચાર બહુ કરે. દિવસમાં પા કલાક પણ વિચાર કરે. એકાંતમાં બેસી વિચાર કર. મરણની ટેવ રાખવી. હરતાં ફરતાં સમરણ કરવું. સમાધિમરણ કરવું હોય તેણે રોમે રેમે પરમપ્રેમ પ્રગટાવવાને છે. પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસે. એમ જ બોલીએ છીએ. પણ પરમ પ્રેમ કે હશે ? કે કરવાનું છે? તે પર એક દષ્ટાંત છે. વૈષ્ણવનું છે, પણ સમજવા જેવું છે. અજુન એક વખતે દ્વારિકામાં આવ્યા હતા. શ્રીકૃષ્ણની બેન સુભદ્રા હતી, તેની સાથે એ પરણ્યા અને ત્યાં રહેવા લાગ્યા. શ્રીકૃષ્ણ તે રોજ ખાધું ન ખાધું કરીને અર્જુન પાસે જઈને બેસે. રાણીઓએ વિચાર કર્યો કે અર્જુન આવ્યા પછી આપણા ઉપર એમને પ્રેમ એ છે થઈ ગયા છે. આખો દિવસ ત્યાં જઈને શું કરે છે, તે જોવું. પછી રુકિમણી ત્યાં ગયાં. અર્જુન વનકડા કરી ઘેર આવ્યા હતા, તે નાન કરી, થાક લાગે તેથી ડીવાર માટે સૂઈ ગયા હતા. શ્રીકૃષ્ણ અને સુભદ્રા તેના વાળ આંગળીઓથી કેરા કરતાં હતાં અને માથા પાસે બેઠાં હતાં. એટલામાં ત્યાં રુકિમણી આવી. કૃણે તેને જોઈને ઈશારાથી કહ્યું, બેસ, તું પણ વાળ કેરા કર. પછી રુકિમણ વાળ કેરા કરવા બેઠાં. શ્રીકૃષ્ણ વાળ કેરા થયા કે કેમ તે જેવા પોતાના ગાલે અડાડ્યા અને રુકિમણને ઈશારાથી સૂચવ્યું કે તું પણ આમ કર. રુકિમણીએ વાળ જરાક કાનની પાસે આણ્યા તે તેના એકેક તારમાંથી કૃષ્ણ, કૃષ્ણ એ ધબકાર (શબ્દ) તે સાંભળે. શ્રીકૃષ્ણે કહ્યું કે એ અર્જુન વનમાં જાય કે નગરમાં જાય પણ એનું ચિત્ત મારામાં જ રહે છે. ઊંઘમાં પણ એને એ જ છે, ભુલાતું નથી. આ ઉપરથી રુકિમણી સમજી ગયાં. એ પરમ પ્રેમ જ્ઞાની પરમકૃપાળુદેવ પ્રત્યે વર્તમાનમાં આપણે લખવાનો છે કે જેથી ધર્મને મર્મ સમજાય અને પરિણામે આત્મા શાશ્વત મોક્ષને પામે. ૧૪૫ શ્રીમદ્ રા. આ. અગાસ, માગશર વદ ૭, ૨ ૦ ૦૯ કોઈ પુણ્યનો ઉદય થાય ત્યારે સત્સંગને વેગ થાય છે. દુર્લભમાં દુર્લભ વસ્તુ સમકિત છે. આ દેખાય છે તે માયા છે. કેટલાય ચક્રવતી રાજા પણ તીર્થકર થઈ ગયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy