SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મમરણ કરાવનાર મિયાત્વ છે. પરિભ્રમણ એ કરાવે છે. સમ્યગ્દર્શન-ધર્મ આવે તે એ મિથ્યાત્વ અથવા કુમતિ જાય. જેમ જેમ ધર્મ પરિણમે તેમ તેમ મમત્વ વગેરે જાય છે. અલૌકિક સુખ પામવા ધર્મની જરૂર છે. પિતાને માટે ધર્મ કરવાનું છે, ઉલ્લાસ અને ખંત રાખી કરવાને છે. ધર્મ ન હોય તે જેમ જેમ પુણ્યને વધારે ઉદય થાય તેમ તેમ વધારે પાપ બાંધે. ધર્મથી ખરાબ માણસ પણ મેક્ષને લાયક થાય છે. દઢપ્રહારી પાપ કરનારે, પણ મોક્ષે જતે રહ્યો. ૧૩૭ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૧૦, ૨૦૦૯ પાપના વિકલપ રોકવા વ્રત કરવાનાં છે. સમભાવ રહે તે સુવ્રત છે. “જેવા ભાવ તેવા પ્રભુ ફળે.” વૃતાદિ કરવાં તે આત્માને અર્થે કરવાં, લેકેને દેખાડવા ન કરવા. પિતાના આત્માને અર્થે કરવાના છે. સત્રત કરતે હોય તે તેની અસર બીજા ઉપર પણ પડે છે. સારી વસ્તુને બધાય આદર કરે. ઉપવાસ કરે તે માટે આત્માને અર્થે કરવો છે એ લક્ષ જવને રહેતો નથી. બીજા દિવસો કરતાં ઉપવાસને દિવસે જુદું પડવું જોઈએ. તે પ્રમાણે જીવ જુદો પડતો નથી. એક ન ખાય એટલું જ એ જાણે છે હું ધર્મ કરું છું, વ્રત કરું છું અને ચિત્તવૃત્તિ તે ક્યાંય હોય છે. લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, રહ્યું વ્રત-અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન.” પોતાની વૃત્તિઓ જીવને છેતરે છે. એક વસ્તુ છેડે તે બીજી વસ્તુ વધારે ખાય. વૃત્તિનું સ્વરૂપ સમજી વૃત્તિ રેકે તે લાભ છે. જ્ઞાની પુરુષને કહેવાને આશય બહુ ગંભીર છે. એ લક્ષ રાખ બહુ મુશ્કેલ છે. જેમાં ઉત્તરાધ્યયનમાં કથાઓ છે, પણ બહુ ગંભીર છે. સમજણ હોય તેટલું સમજાય. સત્ નું ઓળખાણ સણુથી થાય છે. જ્યાં સત્ પ્રગટ થયું છે ત્યાંથી જ સત્ પ્રાપ્ત થાય છે. ખરી ભક્તિ તે ઓળખાણ છે. પણ વૈરાગ્ય વિના સદ્દગુરુ એાળખાય નહીં. “ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય.” કોધથી, માનથી, માયાથી, લેભથી વ્રત કરવા તે બધાં હેય છે. ધર્મ તે જીવને મોક્ષમાર્ગે ચઢાવે તે છે. મોક્ષમાર્ગમાં જે જે ક્રિયાઓ હોય, વ્રત વગેરે જે જે હોય તે કલ્યાણને માટે જ હોય છે. ભગવાને જે કહ્યું તે બધું ધર્મ છે. એને માટે સદ્દગુરુ જોઈએ. આ હેય એટલે વાયેગ્ય છે, આ ઉપાદેય એટલે ગ્રહવાગ્ય છે એમ સદ્ગુરુ બતાવે છે. કેવી દશા હોય તે ધર્મ કહેવાય ? એ બધું જાણવાનું સદ્દગુરુ પાસે મળે છે. પુરુષ મળ્યા હોય તે લાગે કે “ક કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય?” કર્મો ક્યારે છૂટશે? એમ લાગણી થાય. મુમુક્ષુએ પિતાની મુમુક્ષુદશા પ્રાપ્ત કરી લેવી જોઈએ. લોકોને દેખાડવા કરવું નથી. સત્સંગથી મારા આત્માનું કલ્યાણ કરવું છે. મારા દોષ દેખી કાઢવા છે. એ માટે મારે સત્સંગ કરે છે એવો લક્ષ રાખવે. લોકોને દેખાડવા અર્થે નહીં. સત્સંગના વેગની વધારે ભાવના રાખવી. સત્સંગના વિયેગે પણ સત્સંગમાં જે બોધ સાંભળ્યું હોય તે વિચારે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy