SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ સ્વાધ્યાયમાં એકાગ્રતા થાય છે. જે વિચારમાં મન ચૅટે તે આખા જગતને ભૂલી જવાય. માહાસ્ય જોઈએ. જ્ઞાની પુરુષ પાસે જ હું બેઠે છું, એમ જાણીને સ્વાધ્યાય કરે. ન સમજાતું હોય તે ગમે તે સ્ત્રી છે કે પુરુષ હો, પણ ન સમજાય તે પૂછવું. શરમ ન રાખવી. જ્ઞાની પુરુષે આ કહ્યું છે તે મને સમજાતું નથી, પણ તે મારે સમજવું છે એવી ભાવનાથી વિનય સહિત પ્રશ્ન પૂછ. “મોક્ષમાળામાં ધર્મધ્યાનના ૧૬ ભેદ કૃપાળુદેવે લખ્યા છે તે બધાં શાસ્ત્રોને સાર છે. સમજણ કરવા માટે સ્વાધ્યાય કરવાને છે, જગત નાશવંત છે, અશાશ્વત છે એમ સાંભળ્યું હોય તે વારંવાર તે વિચારવું. હું અને મારું એ સંસાર છે. એ જ છે અને એકલે મરવાનો છે. એક જ ભેગવે છે. શરીરમાં રહેવું એ કંઈ જીવની શોભા નથી, મહત્તા નથી. આ ગંદી વસ્તુમાં રહેવું પડે છે એ કર્મને લઈને છે. “દેહ તે હું” એ માન્યતા છોડાવવા અશુચિભાવના વિચારવાનું કહે છે. “ભા દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન” એવું થયું છે, સવારથી સાંજ સુધી એને જ નવરાવવામાં ખવડાવવામાં કાળ ગાળે છે. આત્માને નેકર બનાવે છે. એથી મિથ્યાત્વ પિવાય છે. શરીર ઉપરથી ભાવ ઊઠે તે જ આત્મા ઉપર ભાવ આવે. નહીં તે આત્મા દેખાય નહીં. શરીર ગંદું છે, તે રૂપ હું નથી, એમ લાગશે ત્યારે આત્મા જુદે ભાસશે. સ્વભાવમાં રહેવું સહેલું છે, પરભાવમાં રહેવું વસમું છે. પરભાવમાં રહેવું પર નિમિત્તને આધીન છે. સ્વભાવમાં પરનિમિત્તની જરૂર નથી. આત્મા આત્મભાવમાં રહે તે ખેદ ન થાય. વિભાવમાં આવે ત્યારે દુઃખી થાય છે. ક્રોધાદિમાં આવે ત્યારે દુઃખી થાય છે. સ્વભાવમાં નથી રહેવાતું એવી જીવને ટેવ પડી ગઈ છે. જેમ કેઈ દારૂડિઓ દારૂ પીએ અને ટેવ પડી જવાથી તે મેળવવા માટે તેને પ્રયત્ન કરે પડે છે. દારૂ ન પીતે હેય તે સારું છે. શાસ્ત્રો સગુરુ દ્વારા સમજવાનાં છે. નહીં તે અવળાં પરિણમે. સદૂગુરુ હોય તે એના દેષ કઢાવી નાખે. ૧૩૬ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૯, ૨૦૦૯ ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાનો છે. જગતના દુઃખને સુખરૂપે માન્યું છે. તે એક નામ માત્ર સુખ છે. ધર્મ ન હોય તે અગતિ થાય. ક્યાં ક્યાંય તણુઈ જાય, સ્વપ્ના જેવું છે. જિંદગી છે તે લાંબા સ્વપ્ના જેવી છે. વિવેક આવે ત્યારથી તે બેટું સમજાય છે. બે દિવસના મહેમાન છે. પ્રભુશ્રીજી કહેતા કે ચેતી લે, મહેમાન ! આખા જગતમાં મેહ, અભિમાન છે. સાચો ધર્મ પ્રગટ થાય તે મેહ નાશ પામે. ધર્માત્મા હોય તે ઉપરથી હું ધર્માત્મા છું એમ દેખાવ ન કરે, ફેલપણું એટલે ડેળ ન કરે. સમ્યગ્દષ્ટિ લેકોને રાજી કરવા કંઈ કરે નહીં. હું ધર્મી છું એમ બહારથી દેખાડે નહીં. સાચો ધર્મ સમજાય તે પછી માયા ન રહે. ધર્મી હેય તે કોઈને છેતરે નહીં. એ જાણે છે કે બીજાને છેતરતાં હું છેતરાવું છું. અનાદિકાળથી જાળ ફંદ છે, એ એમનું એમ ન છૂટે, પણ સાચો ધર્મ આવે તે છૂટે. અનંતકાળથી પિતાને પિતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે.” (૧૨) આ જગતમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy