SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ સગ્રહ ૪ ૨૪૩ થયા નથી તે નિત્યનિગાદી છે અને જે જીવે એકવાર નિગેાદમાંથી નીકળી ફરી નિગેાદમાં ગયા હૈાય તે ઈતરનિગાદી છે. ' [' સુદષ્ટિતરંગિણી ' વંચાતાં ] ૧૩૩ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૬, ૨૦૦૯ જીવ અહુ ભાવ મમત્વભાવમાં પડ્યો છે. તે મુકાવવા જ્ઞાની પુરુષા કહે છે. ઢેડાકિ પેાતાનાં નથી તેને પેાતાનાં માને છે, એ મૂકવાનુ છે. એક શુદ્ધસ્વરૂપ પેાતાનુ છે. આખા ઝાડમાં એક જીવ હાય અથવા એક પાનમાં એક જીવ હાય તે પ્રત્યેક વનસ્પતિકાય અને અેક પાન વગેરેમાં અનંત જીવા સાથે હોય તે સાધારણ વનસ્પતિકાય છે. વૈરાગ્ય થવા માટે આ બધી વાત કહી છે. આ મધ્યલાકમાં ૪૫ લાખ યેાજન સુધી જ મનુષ્યા છે. મનુષ્યની ગણતરી આવે છે, તેના ક્ષેત્રની ગણતરી આવે છે. મનુષ્ય થાય એવા ભાવ તે કાઈક વખતે ઉત્પન્ન થાય છે. સમ્યગ્દષ્ટિ પણ મનુષ્યભવમાંથી દેવમાં જાય છે, જેવા ભાવ હાય તેવી ગતિ થાય. આખું ઝૈનન ભાવ ઉપર છે. મનુષ્યભવ વિના મેાક્ષ થાય નહીં. વાતાવરણની અસર ભાવ ઉપર થાય છે. ઝાડ નીચે આપણે કંઈ સારી વાત કરીએ તે એને પણ કઈક અસર થાય છે. પ્રભુશ્રીજી કહેતા કે આ રાયણ તળે ભક્તિ કરીએ છીએ તે રાયણના જીવને પણ લાભ થાય છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના, હૈય–જ્ઞેયના, બધાના વિચાર સમ્યગ્દષ્ટિ કરે છે. કષાયી જીવા જેમાં રહેતા હૈાય તે ક્ષેત્ર પણ કષાયી થાય છે. ક્ષેત્રને મગાડનાર કષાય છે. વિકારનાં સ્થાના બધાં તજવાયેાગ્ય છે. મહાત્માઓને લઈને ક્ષેત્ર પણ પવિત્ર થાય છે. તરાય તે તી. જ્યાં મહાત્માએ રહેતા હાય અને જેથી તરાય તે તી. આત્માના અસખ્યાત પ્રદેશ છે તે આત્માનુ ક્ષેત્ર છે. ખીજા ક્ષેત્ર તેા હેય છે. શુદ્ધાત્માના પ્રદેશ છે તે ઉપાદેય છે. જ્યાં સિદ્ધ ભગવાન પુરુષાકારે રહ્યા છે, તે જ ક્ષેત્ર નિશ્ચયથી ઉપાદેય છે. પાપનાં કારણેા ત્યાગવા ચૈાગ્ય છે. જે કાળમાં પાપના ભાવેા છે તે કાળ હેય છે. પાંચમા અને છઠ્ઠા આરામાં બધી પાપની પ્રવૃત્તિ થાય છે, તે કાળ હેય છે. એવું સાંભળવાનુ મળે તેાય જીવ પાછો હુંકે, આપણા ભાવ ન બગાડવા. મધ્યસ્થ રહેવું, સમ્યગ્દષ્ટિ સારા ભાવ જ કરે છે. ૧૩૪ શ્રીમદ્ રા. . અગાસ, કારતક સુદ ૭, ૨૦૦૯ ઇચ્છારાધન એ તપ છે. જીભ જિતાય તે પાંચ ઇન્દ્રિયા જિતાય. દેહાધ્યાસ છેડવા માટે કાયક્લેશ તપ કરવાનું છે. આત્મા ન ભુલાય તે માટે તપ છે. સુખમાં આત્માને ભૂલી જાય છે તેથી આ તપ કરવાનુ કહ્યું છે. આત્માની શુદ્ધિ કરવા માટે તપ છે. [ ‘સુદષ્ટિતર’ગિણી' વ’ચાતાં ] ૧૩૫ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૮, ૨૦૦૯ પેાતાનુ' જીવન વિચારીને પેાતાના દોષો કાઢવા માટે આ બધુ વાંચવાનું છે. ભણવાનું છે તે અભિમાન કરવા માટે નથી, પણ વિનય કરવા માટે ભણવાનુ છે. જેમ ફળ આવવાથી ઝાડ નીચે નમે છે, તેમ જેમ જેમ ભણે તેમ તેમ વિનય ગુણુ આવે. અભિમાન જાય તે ભણ્યા કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy