________________
ર૪૧ પડી છે, તેથી આ બાજુનું આ બાજુ અને પેલી બાજુનું પેલી બાજુ થઈ જાય.
તૈયાર થઈ જવાનું છે. બધાય મરી જવાના છે. એક ધર્મ સાથે આવે છે. માયાથી રાજી ન થવું. આત્મા જાગશે ત્યારે કરશે. “જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ.” (હા.૧-૧૪)
૧૩૧ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૩, ૨૦૦૯ ક્યાં પહેલાંનાં પૂર્વેનાં આયુષ્ય અને ક્યાં આ કાળનાં ટૂંકા આયુષ્ય! ઝાડના પાંદડા પર પડેલાં બિંદુ જેવું છે. અપૂર્વ વસ્તુ મળી છે. સાચવીને વાપરે તે ઠીક છે, નહીં તે એમને એમ મનુષ્યભવ જ રહે છે. જંજાળનું કારણ મારાપણું છે. જે જાળ ઓછી થાય તે એને કોઈ પૂછવા આવે નહીં. મારું ઘર, મારાં છોકરાં એ બધું હું ને મારું જંજાળ છે. હું પૈસાદાર છું, હું મેટો છું એ બધી જંજાળ છે. અહંભાવ કાઢીને વિચારવું કે હું તે બધાથી નાનું છું. વિશાળ દષ્ટિ થાય તે જીવને જંજાળ ઓછી થાય. જજળ લાગતી નથી, પણ મીઠાશ લાગે છે. મેક્ષે જવું હોય તે બીજા કામ ઓછાં કરવાં પડશે. ચકવર્તી જેવા છ ખંડ છોડીને ચાલી નીકળ્યા ત્યારે મેક્ષ થયે. - કૃપાળુદેવે કહ્યું છે: “સકલ જગત તે એઠવ.” જગતમાં છોકરાં યાં, પૈસા બધે એંઠવાડે છે. એ એંઠવાડામાં વૃત્તિ હોય ત્યાં સુધી ભગવાન પ્રત્યે કેવી રીતે થાય? એને ચોખ્ખી કરી ભગવાન પ્રત્યે વૃત્તિ કરવાની છે. જીવને સુખ લાગે છે તે સ્વપ્ના જેવું છે. જ્ઞાનીનું કહેવું ગમતું નથી. એ સુખમાં ગૌણતાએ દુઃખ રહ્યું છે. દુઃખનાં બીજ પડયાં છે. જીવ અજ્ઞાની ને આંધળે છે. એને કંઈ ખબર નથી. ફળ શું આવશે તેની ખબર નથી. એઠવાડમાં જીવ રમત કરે છે. પિતાનું મનુષ્યપણું ગુમાવી દે છે અને પાછું દુઃખ ઊભું કરે છે. છૂટવા માટે મનુષ્યભવ મળે છે. મરણ થાય તો વાંધો નથી. એ ભયંકર નથી પણ જે આત્માને ભૂલે છે તે મોટું મરણ છે. “બ આ સંસાર” એમ કરી જેને છૂટવાની ઈચ્છા હોય તે ભગવાનને સંભારે. પુણ્ય કર્યું હોય અને તેથી સ્ત્રી, પુત્ર, ધન, વગેરે મળ્યું હોય તે એને દુઃખ માનવું અને ન મળ્યું હોય તે સુખ માનવું.
જીવે આત્માનું કલ્યાણ કરવું હોય તે સદાચાર સેવવા. જીવને પવિત્રતાની ઓળખાણ નથી. પિતાને સ્વચ્છદ રેકવાને છે. જગત ભલે ગમે તેમ કહે, પણ મારે તે જ્ઞાની કહે તે જ કરવું છે, એમ લાગશે તે કલ્યાણ થશે.
ચિત્ત કંઈ ઠેકાણે હોય તે ગ્રહણ થાય. જ્ઞાની પુરુષ પાસે ઘણું શિખામણે છે, પણ એનું મન તરંગમાં ફરે છે તેથી શું કહે? મન દોરંગી છે, ઠેકાણા વગરનું છે. એ માટે
“સુદષ્ટિતરંગિણુ સદાચાર માટે બહુ ઉપયોગી પુસ્તક છે. અગત્યના વિષયે એમાં લીધા છે. સારાખેટાની ખબર નથી. શી વલે થશે? તેની ખબર નથી. જ્ઞાનીને આશ્રયે ચાલે તે કામ થાય, નહીં તે ક્યાંય ખાડામાં પડી જાય. સમજવા માટે પુરુષોએ કહ્યું છે. પણ જીવ ઊંધું સમજે છે.
આત્માની વાત પડી મૂકી બીજી વાતમાં રસ લે છે, તે વિકથા છે. પાપથી છૂટવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org