________________
૨૩૮
બેધામૃત ક્ષય થવા માટે ચાર માળા ફેરવાશે. હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષદ, નપુંસકવેદ, એ નવ નકષાય ક્ષય થવા માટે અનુક્રમે નવ માળા ફેરવાશે. કષાય થવાનાં કારણે તે નેકષાય છે. દરેક માળા ફેરવતી વખતે તેના પ્રતિપક્ષી ગુણની ભાવના કરવી. હાસ્ય ક્ષય થવા માટે માળા ફેરવતી વખતે ગંભીર થવા માટે આ માળા ફેરવું છું. રતિ ક્ષય થવા માટે માળા ફેરવતી વખતે વૈરાગ્ય થવા માટે આ માળા ફેરવું છું, એમ દરેક માળા ફેરવતી વખતે ક ગુણ પ્રગટાવે છે તે લક્ષ રાખ.
પછી પાંચ જ્ઞાનાવરણીય ક્ષય કરવા પાંચ માળા–“આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે એ મંત્રની ફેરવાશે. પહેલી માળા મતિજ્ઞાનાવરણીય ક્ષય કરવા માટે ફેરવાશે, બીજી માળા શ્રુતજ્ઞાનાવરણીય ક્ષય કરવા માટે ફેરવાશે, ત્રીજી માળા અવધિજ્ઞાનાવરણીય ક્ષય કરવા માટે ફેરવાશે, જેથી માળા મન ૫ર્યવજ્ઞાનાવરણીય ક્ષય કરવા માટે ફેરવાશે, પાંચમી માળા કેવળજ્ઞાનાવરણીય ક્ષય કરવા માટે ફેરવાશે.
૩, ૨૮ ને ૫ મળી ૩૬ માળાએ રોજ રાતે ફેરવાશે. રેજ લક્ષ રાખીને માળાઓ ફેરવવી. જાણે માથે મરણું જ રહ્યું છે, એમ જાણીને સમાધિમરણ કરવા તૈયારી કરવી. પછી મરણ થાય તે ભલે થાય. જિવાય તોય ભલે જિવાય.
જ.
સ્વછંદ છોડવા માટે સત્સંગ કરવાનું છે. જ્ઞાની પુરુષનાં વચનને વિચાર કરે તે સદ્વિચાર થાય. હું સારું એવું છું, ભક્તિ કરું છું એમ પાછું અભિમાન કરે તે મેહ છે. અભિમાન છોડવાનું છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન તજવાયેગ્ય છે અને ધર્મધ્યાન કરવાગ્ય છે. | મુમુક્ષુ–ભકિતમાં કોઈ આગળપાછળ બેલે અને બીજા બધાને ભંગ પડે તે તે બોલનારને કર્મ બંધાય? - પૂજ્યશ્રી–રવછંદ છેડવા સત્સંગ છે. બેલતી વખતે બધાની સાથે ભક્તિમાં બોલવું જોઈએ. નહીં તે કર્મ બંધાય. બીજાને એવા નિમિત્તે કષાય થાય તે બીજાને પણ કર્મ બંધાય. એમ ભક્તિમાં સ્વપરને બંધનું કારણ થવાય તે માટે દેશ છે. એમ ન થવાય તે સંભાળવું.
૧૨૭ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૧૪, ૨...૮ જીવને આ સંસારમાં ભમવાનું મોટું કારણ આભમાન છે. એ અભિમાન ઊતરી જાય. એવા વીશ દેહરા છે. અનંતાનુબંધી માનથી જીવને રખડવાનું થાય છે. અભિમાન દૂર થાય તે વિનય ગુણ પ્રગટે. પછી સત્યરુષ ઓળખાય. “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે.” (૨૫૪). સત્પષમાં પરમેશ્વરબુદ્ધિ થાય તે એને જ્ઞાનીનાં વચને ચાટે. એ માટે વીશ દેહરા છે. માન જાય તે વિનય ગુણ આવે. એટલે બધા પ્રભાવ વીશ દેહરામાં છે. કંઈક ગરજા જોઈએ. વિજ્ઞાનપણું જોઈએ.
ધટપટ આદિ જણ તું, તેથી તેને માનઃ જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org