SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ બધામૃત ભિખારીને વેષ લઈ ગામમાં થઈ જા આવ કરે અને મોટેથી બેલે કે રત્નવાણિયે જાય છે, રત્નવાણિયે જાય છે! ઠગેએ પકડ્યો પણ રત્ન મળ્યાં નહીં. લોકોએ જાણ્યું કે આ તે ગાડે છે. એક દિવસે તે ત્રણ રત્ન લઈને જવા લાગ્યું અને રેજની જેમ બેલતે ગયે, પણ લેકો કહે એ તે ગાડે છે. ડાહ્યા ન થવું. જ્ઞાનીએ કહ્યું તે લક્ષમાં રાખવું. એક મંત્ર મળે તે તેની પાછળ પડવું, ગાંડા થઈ જવું. આત્માનું હિત કરવું છે. લેકે કાગડાને પાંજરામાં નથી પૂરતા; પિપટને પાંજરામાં કેમ પૂરે છે? ડાહ્યો થવા જાય છે તેથી. ડહાપણ દેખાડવું નથી, તેમ માનવું પણ નથી. જ્ઞાનીએ કહ્યું તે એક સાચું. જ્ઞાની જાણે છે. એણે જે કહ્યું તેને આધારે આધારે કામ કર્યા કરવું. આટલે ભવ તેમ કરવું. ગમે તેમ બેલ, ગમે તેમ કર, પણ કર્મ ભૂલ–થા૫ નથી ખાતું. જેવા ભાવ તેવું થશે. કરેલાં કર્મ ભેગવવા પડશે, જેમ દેવું આપવું પડે છે તેમ. આત્મા સિવાય જે બધી વાત કરે તે બધું બંધન છે. ગમે તે મંદિરમાં બેસીને, ગમે તે બહાર બેસીને કે ગમે ત્યાં આત્માને મૂકીને જે વાત કરે તે બધું બંધન છે. આશ્રમ શું કરે? આશ્રમમાં રહી ખરાબ ભાવ કરે તે નરકે જાય. ખરે આશ્રમ તે પિતાના ભાવ છે. અવળી પ્રવૃત્તિ જ્યાં છે તે બધું જગત છે. મનુષ્યભવ છે ત્યાં સુધી લાગ છે, ધારે તે કરી શકે. અંતમુહૂર્તમાં કેવલજ્ઞાન થઈ જાય તેવું લાગે છે. છ ખંડના રાજા ભરત જેવા પણ “ભરત ચેત, ભરત ચેત’ એમ કહેવરાવવા માટે માણસ રાખતા, અને આ તે કંઈ ચેતતું જ નથી. જીવ લક્ષમાં લેતે નથી. જ્ઞાની પિકાર પિકારીને કહે છે, પણ જીવ બહેરે થઈને બેઠે છે. “ચેતે, ચેત” એમ કહે છે. કૃપાળુદેવની દયા અનંતી છે. કૃપાળુદેવનું એક એક વચન કાઢે તે આત્મા સિવાય કંઈ ન નીકળે. જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.” ત્યાંથી ઊઠે તેને આત્મવૃત્તિ થાય છે. આત્મા કેવળજ્ઞાનસ્વરૂપ છે. પણ હું સાંભળવા મળ્યું કે લાવ હું જાણું ગયે, મને સમજાયું એમ ભિખારીની પેઠે જેમ થોડું ખાવાનું મળે ત્યારે રાજી થાય છે, તેમ આ કરે છે. આત્મા કંઈ જેવો તે છે? અનંત રિદ્ધિને ધણી છે. આ જીવમાંથી કાઢે તે કલ્પના જ નીકળે. સાચી વસ્તુ નીકળે જ નહીં. જગતના પ્રસંગો એવા છે કે ગમે ત્યાં જીવ તણાઈ જાય, જેમ વટેળીઓ આવે ત્યારે તરણ તણાય તેમ. ૧૨૨ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૯, ૨૦૦૮ ક્યાં ક્યાં વૃત્તિઓ ફરે છે, કર્મ બંધાય છે, તે બધું જાણવું પડશે. કર્મ કેમ છોડવાં તે શીખવાનું છે, માટે કઈ મહાપુરુષનું અવલંબન લઈને ચેતવાનું છે. એ લાગ આવ્યો. છે માટે ચેતવું. જેટલે સત્સંગમાં, સારી વાત સાંભળવામાં કાળ જાય તે લેખામાં છે. સંસ્કાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy