________________
સંગ્રહ ૪
૨૩૧ એ જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચેતન્યને પ્રગટ સ્વભાવ ભિન્ન,
બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે.” ૨ જીવ ઉત્પન્ન થયે એમ નથી. જગ્યા બદલે છે. રેગ, શેક, દુઃખ, મૃત્યુ એ બધે દેહને સ્વભાવ છે. રેગ થાય તે શરીરમાં, મૃત્યુ પણ દેહને ધર્મ છે. આત્મા મરતે નથી. જીવપદમાં અથવા જ્ઞાનપદમાં આ બધું ભાસે છે. જીવ જડ થઈ જતું નથી પણ એને દેહનો સ્વભાવ છે તે પિતાને ભાસે છે. પરવસ્તુને નિમિત્તે પિતામાં કલ્પના કરી સુખદુઃખ માને છે તે મિથ્યાત્વ છે.
જ્ઞાનીના વચને એને માન્ય થાય તે એ બધું દૂર થાય, બ્રાંતિ નીકળી જાય. જાણે તે ચેતન છે. જ્ઞાન તે ચેતન છે. જાગૃતિની જરૂર છે. જ્ઞાન ન થાય ત્યાં સુધી જાગ્રત રહેવું. ચેતવાનું છે. જ્યાં સુધી જ્ઞાની પુરુષ એમ ન કહે કે તને જ્ઞાન થયું છે, ત્યાંસુધી જ્ઞાની છું એમ માનવું નહીં. મારે જાણવું છે એમ રાખવું. પિતાને જ્ઞાની માની લે તે પછી કોઈની પાસેથી જાણવાનું બંધ થઈ જાય, એટલે પછી ભૂલ જાય નહીં, અને જ્ઞાન થાય નહીં. મને જ્ઞાન થયું એમ માનવામાં નુકસાન છે. એના કરતાં ન માનવામાં લાભ છે.
તીર્થકર વિચરતા હતા ત્યારે ગણધર જેવા પણ “ભગવાન જાણે એમ રાખતા. (આનંદ શ્રાવક-ગૌતમસ્વામીનું દષ્ટાંતઃ ઉપદેશછાયા-૪) ગૌતમસ્વામીએ છતે જ્ઞાને જોયું નહીં, ઉપયોગ આપે નહીં. જઈને મહાવીર સ્વામીને પૂછ્યું. પણ તેથી જ્ઞાન કંઈ જતું રહ્યું? ન માનવામાં કંઈ ખોટ નથી. હું જાણું છું એમ માનવું જીવને સારું લાગે છે, પણ તે નુકસાન કરનાર છે, અશાંતિ કરનાર છે. મને આવડે છે એવું અભિમાન હોય તે જ્ઞાનીનું કહેલું ન બેસે. ગુણગ્રાહી થવું. માનવું છે જ્ઞાનીનું. એણે સાચી વસ્તુ જાણી તે આપણે કામની છે. જગતમાં કશું પ્રિય કરવા જેવું નથી અને જે કંઈ પ્રિય કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી” (૧૯૮) એટલું હૃદયમાં રહે તે કામ થાય, પ્રિય કરવા જેવું છે તે જ્ઞાનીએ જાયું છે. ચેતતા રહે તે આગળ વધે. જીવ મરી જ રહ્યો છે. વિષય-કષાયરૂપ મરણથી જીવની આત્મશક્તિ રૂંધાઈ રહી છે. જીવના જ્ઞાન સાથે ઝેર છે તેથી આત્મા મરી રહ્યો છે. જ્ઞાનીની સમજણથી તરે. પોતાની સમજણથી ડૂબે, બૂડે. જ્ઞાનીએ શું કહ્યું તે વિચારવું. તારી સમજણ ઉપર મૂક મીંડું ને તાણ ચેકડી, એમ પ્રભુશ્રીજી કહેતા. તારી સમજણ હેડડી જેવી છે. તારી સમજણથી અનાદિને રખડ્યો. બીજેથી ઉદાસ થાય તે આત્મવૃત્તિ થાય. જડ વસ્તુ ઝેર જેવી છે. જગત બધું ઠગારું પાટણ છે. જ્યાં જશે ત્યાં ઠગાશે. કેઈક સમજણવાળ હોય તે જીતી જાય, ડહાપણવાળ કામ ન કરે.
એક વાણિયો હતો તે પરદેશમાં બહુ ધન કમાય હતે. પછી તેને વતન (ઘર) જવું હતું. ત્યાં રસ્તામાં ઠગારું પાટણ આવે તે ધન કેમ લઈ જવું એ વિચારવા લાગ્યા. પછી તેણે બધું ધન આપીને ત્રણ રત્ન ખરીદ્યાં. તે લઈને ચાલ્યા. ઠગારું પાટણ આવ્યું તેમાં બધા ઠગ ને લુંટારા. તેમાં થઈને જવાનું હતું તેથી રને ઝાડની બખોલમાં સંતાડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org