________________
બેરામૃત
ત્યાં એક ઝાડ નીચે બનેને બેસાડીને એક પર્વત ઉપર ગયે ને તપાસ કરી આવ્યું. પછી છોકરાઓને કહ્યું : “હું તમને સિંહની ગુફામાં લઈ જવાન છું, માટે મરવા તૈયાર થઈ જાએ. જે તમારે સંભારવું હોય તે સંભારી લે, ઈષ્ટદેવનું સ્મરણ કરી લે. મરવા તૈયાર થઈ જાઓ. ડરશો નહીં.' છોકરા બોલ્યા: આર્યો શાના ડર? પ્રધાન તે બન્નેને પર્વત ઉપર લઈ ગયે. ત્યાં પર્વત ઉપર ગણધર પધારેલા હતા. ત્યાં જઈને ઉપદેશ સંભળાવ્યું અને બેય છોકરાઓને ગણધર દેવને સેંપી દીધા. ગણધર ભગવાને બન્ને જણને દીક્ષા આપી. પ્રધાન ઘેર આવ્યા ત્યારે રાજાએ પૂછ્યું કે છેકરાઓને કયાં મારી આ? પ્રધાને કહ્યું : સિંહની એક ઊંડી ગુફા હતી તેમાં હું નાખી આવ્યું છું. આપે કહ્યું તે પ્રમાણે જ કર્યું છે. પછી રાજાને પશ્ચાત્તાપ થવા લાગ્યું. ત્યારે પ્રધાને કહ્યું : સિંહની સમાન વીરતાથી આચાર પાળનારાઓને આપ્યા છે, અને તેઓ બન્ને દીક્ષા લઈ સાધુ થયા છે. રાજાએ કહ્યું: સારું. રાજા પણ પછી વંદન કરવા ગયા. (પ્રજ્ઞાવધ પુષ્પ ૪૨)
૧૨૧ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૮, ૨૦૦૮ દે જુદે અને આત્મા જુદા એમ જાણ્યા પછી એમાં ટકી રહેવાય એ પુરુષાર્થ કરવાનો છે. નિર્ધાર થાય તે ન ભુલાય. નિર્ધાર થવામાં ખામી હોય અને માન્યું હોય કે મેં નિર્ધાર કર્યો, પણ એ નિમિત્ત આબે ટકે નહીં. હું દેહથી જુદું છું. આ દેહને અર્થે આખે દિવસ ગાળવો નથી. બાહ્ય વસ્તુને જેટલે પરિચય છે તેટલે આત્માનો પરિચય નથી. દેહ પારકે છે એમ મનાયું નથી. દેહ સુખ ભેગવવાનું સાધન છે એમ માન્યું છે. આત્માર્થના સાધનરૂપે એને નથી જાણતે. શરીર એ દુઃખનું કારણ છે એવું એને સાંભરતું નથી, વૈરાગ્યથી વિચાર આવે કે આ દેહ મારે નથી.
જડ ને ચેતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે ય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયે, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા,
નિગ્રંથને પંથ ભવનંતને ઉપાય છે.” ૧ એટલામાં આખો મેક્ષમાર્ગ કહી દીધું છે. જડ તે જડ ને ચેતન તે ચેતન લાગે. દેહમાં રાજી ન થાય, ઉદાસ થાય ત્યારે આત્મવૃત્તિ થાય. એ જ કરવાનું છે.
“દેહ છવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શેક, દુ:ખ, મૃત્યુ, દેહને સ્વભાવ જીવ પદમાં જણાય છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org