SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ માથામૃત સાધુઓ પિજે તે ઝેર છે એમ ક્યાંથી લાગે? શુકદેવજીને ખબર પડી કે શાથી ચોખા થવાય ત્યારે ચેખા થયા, નહીં તે નાહી નાહીને આવતા. ૧૧૯ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૬, ૨૦૦૮ જીવથી ક્રોધ માન માયા લેભ રકાતા નથી. તેનું કારણ, વૃત્તિ બહાર ભટકે છે. વૃત્તિને સૂકવી નાખવી. માગે તેય ન આપવું. પિતાના દોષ વિચારી ટાળવાના છે. જેના લક્ષમાં ભેગ છે તે સંસારી છે. બધું કરીને મારે આત્મશાંતિ મેળવવી છે એમ જેને હોય તે સાધુ છે. એ ખાતે પીતે હેય તેય ત્યાગી છે અને પેલે કષ્ટ વેઠે તેય સંસારી. “ભવ તન ભોગ વિરત્ત કદાચિત ચિંતએ; ધન જોબન પિય પુત્ત કલા અનિત્ત એ.” (જિનેન્દ્ર પંચકલ્યાણક) ભેગ રોગ જેવા છે. બધાનું ફળ દુઃખ છે. ધન અનિત્ય છે, જુવાની અનિત્ય છે – જોતજોતામાં ઘરડો કરે છે. ઉપરથી સારું લાગે પણ બધે ઝેર ઝેર છે. માત્ર આત્મા એક અમૃત છે. એ ધારે તે કરી શકે. એ જે માગે તે મળે. શાંતિ જોઈતી હોય તે શાંતિ મળે. જગત બધાથી છૂટવું છે. આજથી જ જાણે જન્મ્યા છીએ એવું વિચારી આત્માનું કરવું છે. મોક્ષને દરવાજો બંધ નથી. પુરુષાર્થ કરે તે મોક્ષે જાય. સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય.” આહારની ઇચ્છા એ દુઃખ જ છે. ઈચ્છા માત્ર દુખ છે. હૈ ઈચ્છા દુખમૂલ. જેમ જેમ સમજણ વધે તેમ તેમ ઇચ્છા ઓછી થાય. જેમ જેમ ઉપરના દેવલોકમાં જાય તેમ તેમ સંતેષ વધારે હોય છે. ઉપરના દેવલેકમાં (ધૈવેયક આદિમાં) સ્ત્રીની ઈચ્છા હતી નથી. સર્વાર્થસિદ્ધિ દેવલેકમાં બધા એકાવનારી હોય છે. એટલે ત્યાગને અભ્યાસ આ ભવમાં કર્યો હોય છે તે ત્યાં કાયમ રહે છે. તેથી ઇચ્છા બહુ થતી નથી. મેહનીયકર્મોને ક્ષય થાય ત્યારે ઈચ્છાને નાશ થાય. દશમે ગુણસ્થાનકે ક્ષય થાય પછી તે ભવે મોક્ષ થાય. સમકિતીને ઈચ્છાઓ રેકાઈ ગઈ છે. જેમ જેમ સમજણ વધે અને આગળ જાય છે તેમ તેમ ઈચ્છાઓ મંદ પડે છે. એટલે દેહાધ્યાસ માટે તેટલી ઈચ્છાઓ ઓછી થાય. પરવસ્તુને આધાર એ જ દુઃખ છે. મુનિઓ જંગલમાં રહે છે. ભૂખ લાગે ત્યારે વિચારે કે કાલે આહાર માટે જઈશું, એમ કરીને ચલાવી લે. દેવલેકના મુકુટ, અલંકાર શાશ્વત નથી. બધાં પુદ્ગલે મળે છે ને વીખરાઈ જાય છે. દેવક, ચક્રવર્તી પણું બધું પુણ્યનું ફળ છે. બધું મૂકવાનું છે. કૃષ્ણ નીલ અને કાતિ એ ત્રણ લેશ્યા જેને હોય તે દેવલેકમાં ન જઈ શકે. કષાયની મંદતા કરી ન હોય તે ત્યાં ન જવાય. કૃષ્ણ લેશ્યાના ઘણા ભેદ છે. પ્રશ્ન–ખાય પીએ બધું કરે, પણ રાગદ્વેષ ન કરે, તે કર્મ ન બંધાય? - ઉત્તર–રાગદ્વેષ ન કરવા એ મોઢાની વાત નથી, મુકેલ છે. ચારે ગતિમાં દુઃખ છે. દેવલેકનું સુખ કંઈ હિસાબમાં નથી. એક વચન સહન કરવું ભાલા સહન કરવા જેવું છે. ભલે સહન કરવું સહેલું છે, પણ વચન સહન કરવું અઘરું છે, મુશ્કેલ છે. જેટલું માહાસ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy