SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્રહ ૪ ૨૭ તે કરી શકે. કોઇ આત્માને બાળી નાખનાર છે. સ્ત્રી, કુટુંબ, વગેરેમાં માથું કુટાય એવું છે. ત્યાં શાંતિ ન મળે. જ્યાં પુરુષ હોય ત્યાં કળિકાળ નથી. આ જગ્યા અપૂર્વ છે. તીર્થસ્થાન છે—તરવાનું સ્થાન છે. જીવ જાગ્રત થાય તે બધું સમજાય. મહાપુરુષો જ્યાં પગલું ભરે ત્યાં તીર્થ છે. ત્યાગ, ત્યાગ, ને ત્યાગ એ કહેવું છે. એક વખતે પ્રભુશ્રીજીએ ત્યાગ, ત્યાગ ને ત્યાગ એમ બંદૂક ફૂટે એ અવાજ કરી કહ્યું હતું. આખરે મેક્ષે જશે ત્યારે કંઈ સ્ત્રી-છોકરાંને સાથે લઈને જશે? મરણ આવે ત્યારે મૂકવું પડે છે. ત્યાગને ભૂલે, મૂકે, તે સંસાર છે. ચક્રવતી જેવા છ ખંડનું રાજ્ય કરતા, પણ દુઃખ લાગ્યું કે આ તે કલેશ છે, ખેદકારક છે, ત્યારે છોડીને ચાલી નીકળ્યા, એમ ન વિચાર્યું કે રાજ્ય કેણ કરશે ? ત્યાગ અવસ્થામાં જ્ઞાનીનો એગ હોય તે વધારે લાભ થાય. સંસારની વાસનાનું નિમ્ળપણું થઈ જાય એટલી એમાં યોગ્યતા છે. સારું હોત તો છોડવા ન કહેત, પણ સારું નથી. અજ્ઞાનને લઈને સારું લાગે છે. જેટલી પિતાની શક્તિ હોય તેટલે ત્યાગ કરે, પણ તે મોળો મળે નહીં. મર્મની વાત છે. ત્યાગમાં સુખ છે એ જીવને સમજાયું નથી. ગ્રહણ કરવામાં સુખ માને છે. ત્યાગમાં સુખ છે તેને મર્મ સમજાયું નથી. ત્યાગ કરે તે સુખ લાગે, પણ ત્યાગનું નામ લેતાં જ એને દુઃખ લાગે છે. ધર્મ નહીં કરે તે લક્ષ રાશીમાં ભટકવાનું છે અને ધર્મ કરે તે કર્મ–ક્ષય કરે તેવું છે ૧૧૮ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૫, ૨૦૦૮ જે શરીરને જીવ પિષે છે તે શરીરને જ્ઞાનીઓ ઝેર જેવું કહે છે, કેદખાનું કહે છે, મળમૂત્રની ખાણ કહે છે. કૃપાળુદેવે કહ્યું છેઃ “પગ મૂકતાં પાપ છે, જેનાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” (૨-૩૫) દષ્ટિ ફેરવવાની છે. જે દષ્ટિ અત્યારે છે તે ઝેરદષ્ટિ છે. એ ફેરવે તે જગત આખું એને પરમાત્મા જેવું લાગે. જ્ઞાની કહે તે જ દષ્ટિ કરવી છે. એ કર્યા વિના છૂટકે નથી. જીવ પિતાને ગમે તે કરે છે, તેને બદલે જ્ઞાનીને સારું લાગે તે કરવાનું છે. સત્સંગ પણ ઘણીવાર થયે છે, પણ ભૂલ રહી ગઈ છે તે કાઢવાની છે. બ્રહ્મચર્ય લેવું તે બરાબર પાળવું. જેટલે પુરુષાર્થ થાય તેટલ કરે. મન નિર્બળ થાય તેવા સંગ ન મેળવવા. પ્રભુશ્રીજી કહેતા કે અમને એ બ્રહાચર્ય બહુ પ્રિય છે. વ્રત વૃત્તિ રોકવા માટે છે. “લહું સ્વરૂપ ન વૃત્તિનું, રહ્યું વ્રત-અભિમાન.” વૃત્તિને રેકે નહીં તે મતાથ થઈ જાય, આત્માર્થ ચૂકી જાય. - સત્સંગ ઘણે કર્યો, પણ બેધ અંદર ઊતર્યો નહીં. એ જે ઊતર્યો હોત તે કામ થઈ જાત. “વિચારની નિર્મળતાએ કરી જે આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તે સહજમાં હમણાં જ તેને આત્મગ પ્રગટે.” (પ૬૯) વૈરાગ્ય વગર નિર્મળતા આવે નહીં. વૈરાગ્ય વગર તે બધું બેટું લાગે. સમજણની કચાશ છે. આ જીવને સત્સંગની જરૂર છે અને એ સત્સંગને અત્યારે દુકાળ છે. મન વચન કાયાને ઝેર કહ્યાં છે. તેને જ પાછા આ કાળના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy