SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૪ ર૫ પ્રત્યક્ષ પુરુષ મળ્યા છે, તેમનું કહેવું માને તો કલ્યાણ થાય. મને મળ્યા નથી, પણ જેને મળ્યા છે તેનું કહેલું માનું એમ માને તેય કલ્યાણ થાય. ૧૧૪ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૧૫, ૨૦૦૮ વચનામૃત છે તે ભગવતીસૂત્ર કરતાં પણ વધારે, સિદ્ધાંતના સાર જેવું છે. પણ ચેતતે નથી. કેઈને કૃપાળુદેવને એક પત્ર મળતે, કેઈને એ પત્ર મળતા. પણ આપણને તે આખું વચનામૃત મળ્યું છે. કળિકાળમાં પ્રગટ જ્ઞાનીને બેધ આ છે, તે પીએ તે તરસ છીપે. સત્સંગને આ કાળમાં દુષ્કાળ પડ્યો છે. પહેલાં ભાવના કરી તે આ મળ્યું છે. અત્યારે ભાવના સારી કરે તે સારું થાય. ત્યાગે તેની આગે. ભૂલે પડ્યો છે તે સવળું કરવાનું છે. જાગ્યા ત્યારથી સવાર. છેવટે જવાનું છે, તે મૂકી દે. ૧૧૫ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૨, ૨૦૦૮ કંઈક સમજણ વધે, વિચારદશા વધે તે માટે સંસ્કૃત શીખવાનું છે. મમતા છોડવા બધું કરવાનું છે. પુસ્તક વગેરે મમતા છેડવા બધું રાખવું. પુસ્તક ઉપર નામ પણ ન લખવું. આપણું શું છે જગતમાં. ગાડીમાં પણ સ્મરણ ભક્તિ કરીએ. ગાડીમાં શ્વાસોચ્છવાસ લે છે, ખાય છે, તે ભક્તિ શા માટે નહીં? ભક્તિય કરવી. જેમ બને તેમ સરુષના વચનનું માહભ્ય રાખવું. સંસારથી જેને તરવું છે તેણે સંસાર વધવાનાં કારણુ ન સેવવાં. એમ કરે તે કદી છૂટે નહીં. જન્મમરણ થયા જ કરે. બળે આ સંસાર. કેટલીય વાર જમ્યા, મોટા થયા, મરી ગયા. ગર્ભવાસનાં દુઃખ મહાન છે. દુઃખરૂપ સંસાર છે. કેટલાક જ છે, કેટલાક મરે છે, કેટલાક દવાખાનામાં પડ્યા છે. વિચાર કરીને આવા દુઃખરૂપ સંસારથી છૂટી, ફરી એમાં જન્મવું ન પડે એવું કરવું. શું કરવાથી પિતે સુખી? શું કરવાથી પિતે દુઃખી?” એ વારંવાર વિચારવું. ઊંઘવાથી કે પૈસાથી, શાથી સુખ થાય છે? આવું તે જગતમાં ઘણા કરે છે અને સુખ તે થતું નથી. “એકાંત સુખી મુનિ વીતરાગ.” વીતરાગને એકલું સુખ છે. બીજાને તે દુઃખ છે. શરીરથી આત્મા ભિન્ન છે, તેની અવસ્થાથી ભિન્ન છે, એવું જેને થયું તેને પછી દુઃખ ન થાય, ગજસુકુમારને એવું થયું હતું. કેવલજ્ઞાન પામ્યા અને મોક્ષ થશે. મને સુખ થાય છે, મને દુઃખ થાય છે એ અહંભાવ છોડવાને છે. જાણવું એમાં દોષ નથી. જ્ઞાતાદ્રષ્ટા રહેવું. અંદર મોહ કરે છે તેથી દુઃખ લાગે છે. મોહ છે તે જ્ઞાનને બગાડનાર છે. કૃપાળુદેવના આખા પુસ્તકના પાને પાના ઉપર સત્સંગ સત્સંગ છે. એથી જ કલ્યાણ છે. “એક મોટી નિશ્ચયની વાર્તા તે મુમુક્ષુ જીવે એ જ કરવી એગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કેઈ બળવાન કારણ નથી.” (૩૭૫) સત્સંગ ન હોય તે સત્સંગે જે સાંભળ્યું હેય તેને વિચાર કરે. પ્રભુશ્રીજીના બેધમાં કેટલી બધી વસ્તુઓ છે. જીવને જાગૃતિ જોઈએ તે સમકિત સુધી લઈ જાય. સત્સંગે સમજણ ફરે અને તે સમજણ એને છોડાવે છે. કેમ છુટાય, કેમ બંધાવાય એ સત્સંગે જણાય છે. સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ દુઃખ છે. ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy