________________
૨૪
ધામૃત રસ આવે. જો કે એકનું એક પુસ્તક વધારે વંચાય તે વધારે લાભ થાય, પણ જીવને ધીરજ રહેતી નથી. નહીં તે ઘણે લાભ છે. પ્રભુશ્રીજી ઉપર “છ પદને પત્ર આવ્યું ત્યારે કૃપાળુદેવે મેઢે કરવાનું કહેલું તેથી મઢ કર્યો, પણ છ પદ સુધી મેઢ કર્યો. પછી કુપાળદેવ મળ્યા ત્યારે પૂછયું કે–છ પદને પત્ર મેઢે કર્યો? પ્રભુશ્રીજીએ કહ્યું: છ પદ સુધી કર્યો છે. કૃપાળુદેવે આખેય મેઢે કરવા કહ્યું. છ પદની પાછળ ઘણું વસ્તુ સારી છે. અગાધ અર્થ છે. જ્ઞાનીનાં વચનમાં ઊંડે ઊતરે તે બધાં શાસ્ત્રો સમજાય. એ છ પદ છ દર્શનને સાર છે. એ વિચારે તે કઈ દર્શનને આગ્રહ ન રહે. આત્મા છે એમ થાય તે પછી વેદાંત, વૈષ્ણવ કંઈ ન રહે. આત્માને માને તે સમતિ થાય. આત્મામાં કેવળજ્ઞાન, આત્મામાં મેક્ષ, બધું આત્મામાં છે. કુળમાર્ગે ચાલે છે તે મૂકી મૂળમાર્ગમાં આવવાનું છે.
૧૧ર શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૧૨, ૨૦૦૮ આત્માને માટે કરવું છે એ લક્ષ ન ચૂકવે. કૃપાળુદેવનાં વચને સમજાય એટલા માટે સંસ્કૃત શીખવાનું છે. વિસ્તાર કરતાં શીખવા માટે બધે પુરુષાર્થ છે.
મહાપુરુષોએ આ જગતની બધી વસ્તુઓ તપાસી સારરૂપ એક આત્મા કાવ્યો. “આત્માથી સૌ હીન.” આત્માથી કેઈ ચઢિયાતી વસ્તુ નથી. ત્રણ જગતના સારરૂપ આત્મા છે. તેને ઓળખો. બીજાં કામે તે કરવા પડે તેમ કરવાં, પણ ધર્મનું કામ તે ઉલ્લાસપૂર્વક કરવાનું છે. ભક્તિમાં ઉલ્લાસ ન રહે તે અબહુમાન દેષ થાય.
પરિગ્રહ છેડે ત્યારે કલ્યાણ થાય એમ કહ્યું છે. તેને બદલે પરિગ્રહ વધાર વધાર કરે તે પરિગ્રહાનંદી રૌદ્રધ્યાન થાય. પરિગ્રહથી નરકાયુ બંધાય છે.
કર્મને લઈને આ શરીરરૂપી કેદખાનામાં પુરાયે છે, તેમાં આનંદ માને છે. કેદખાનું છે. જેમ છે તેમ જાણવું. ચક્રવતી જેવાએ રાજ્ય છોડી આત્મકલ્યાણ માટે વનવાસ સે છે. સંસારરુચિ છૂટી એક્ષરુચિ થાય તેમ કરવાનું છે. જે કંઈ થાય તે આત્માર્થે કરવું. જગત આખું અસાર છે. અનંત કાળથી રખડે છે, પણ આત્માને એક પ્રદેશ પણ વસે કે ઘડ્યો નથી. નરકમાં ગયો તે પણ એક પ્રદેશ માત્ર ઘટ્યો નહીં.
મેક્ષના પુરુષાર્થ માટે મનુષ્યભવ છે. મનુષ્યભવમાં સત્સંગની મહત્તા લાગે તે એ રુચિ પલટાવાનું કારણ છે. હું મનુષ્યભવમાં શા માટે આવ્યો ? ખાવા ને કમાવા? એમ પિતાના આત્માને પૂછવું. સત્સંગે રંગ લાગ્યો હોય તે ગાડીમાં હેય કે ગમે ત્યાં હોય તેય ભુલાય નહીં. કંઈક વાંચવા વિચારવાનું રાખવું. કષાય, પ્રમાદ, પાંચ ઈન્દ્રિયના વિષયે એ મનુષ્યભવ લૂંટી ન જાય તે જોવાનું છે. જેટલી અન્યાયની પ્રવૃત્તિ છે એટલે આપણે મનુષ્યભવ લૂંટાય છે. નકામી ચિંતા કરે છે. હું દેહ નથી એમ થાય તેને બધું દુઃખ મટી ગયું છે. બધું માહાત્મ જ્ઞાની પુરુષનું છે.
૧૧૩ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૧૩, ૨૦૦૮ જેવું અન્ન તેવું મન થાય છે. તેથી મુનિને આહાર શુદ્ધ લેવાનું કહ્યું છે અને ગૃહસ્થાને ન્યાયસંપન્ન આજીવિકા કરવા કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org