________________
સંગ્રહ ૪
નહીં, અને બંધાવાના કામને છોડે નહીં.” (૧૭૬). છેકરને નવરાવી ધૂળમાં બેસાડે તે મેલે થાય, તેમ અહીં સાંભળે અને ઘેર જાય ત્યારે “મારું મારું કરે. આપણે શું કરવું? તે કે આત્મભાવના. કાયાથી કંઈ ચેષ્ટા ન કર, વચનથી કંઈ ઉચ્ચાર ન કર, મનથી કંઈ ચિંતવન ન કર. એથી સ્થિર થવાય. આત્મા આત્મામાં રહે એ જ પરમધ્યાન છે.
૧૧૧ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૧૦, ૨૦૦૮ કંઈક વાંચવું, કંઈક વિચારવું અને કંઈક ગેખવું. પ્રમાદમાં વખત ન જાય તે સાચવવું. જે કંઈ કરવાનું છે, તેને અભ્યાસ થાય એટલા માટે પુસ્તક વાંચવાનાં છે. જાણેલું હાય, અભ્યાસ થયેલ હોય તે ટકી રહે. એમાં વૃત્તિ રેકાય. નહીં તે જીવને કર્મના ઉદય વખતે કશી સંભાળ ન રહે. અભ્યાસની જરૂર છે. - જીવને નવો રાખ નથી. કંઈક કંઈક કામ ઍપવું. “જીવને પ્રમાદમાં અનાદિથી રતિ છે.” પ્રમાદ સારે લાગે છે, મીઠે લાગે છે. ઊભું હોય તો બેસવાનું મન થાય. પ્રમાદમાં રતિ છે તે કાઢવાની છે. સહનશીલતા વધે એ કર્તવ્ય છે. જવને દેહ મળે, તેમાં ઇન્દ્રિયે મળી તેથી તે વસ્તુઓને જાણે છે, દેખે છે. તેમાં રાગદ્વેષ કરે છે તેથી કર્મ બંધાય છે, તેથી નવ દેહ મળે, વળી પાછો વિષયમાં પ્રવર્તે ત્યારે ફરી રાગદેવ કરી કર્મ બાંધે, તેથી ફરી દેહ મળે. એમ અનાદિકાળથી થતું આવ્યું છે. છૂટવાને રસ્તે એ છે કે રાગદ્વેષ મંદ કરવા. રાગદ્વેષ ગયા વિના છૂટકો નથી. અજ્ઞાનથી જીવ લૂંટાય છે. મિથ્યાત્વ સહિતનું જ્ઞાન તે અજ્ઞાન. એ જ્ઞાનના નિર્ણય બધા ઊંધા હોય છે. મિથ્યાત્વદશામાં જે જાણે છે તે બધું અજ્ઞાન છે.
“રાગદ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ.” અજ્ઞાન અને રાગદ્વેષ થયા કરે છે અને તે હિતકારી લાગે છે. માન કરતો હોય, મેહ કરતે હોય તો સારું કરું છું એમ લાગે. મિથ્યાત્વ મંદ હોય તે એમ ન લાગે. વિવેકજ્ઞાન, ભેદજ્ઞાન આવે તે અજ્ઞાન જાય, સમ્યક્ત્વ થાય છે. જ્ઞાની પુરુષનાં વચનને પરિચય થઈ જાય એવું કરવું. જ્ઞાની કેમ વર્તે છે તે લક્ષ રાખ. જ્ઞાનીએ જેને હિતકારી માન્યું તેને હિતકારી માનવું, તે સારું થાય. જીવ સારું જાણીને કરે અને તેનું ફળ ખરાબ આવે એ ભુલવણું કાઢવાની છે. - “મોક્ષમાળા” આખી વાંચવા જેવી છે. એક પાઠ પાંચ સાત વખત વાંચી, એમાં શું કહ્યું તે લક્ષ રાખવો. પછી વિચારવું કે આ પાઠમાં શું આવ્યું ? એમાં હેય શું છે? રેય શું છે? ઉપાદેય શું છે? એમ આખી મેક્ષમાળા વાંચી જવી. ભાવના રાખવી કે આટલું પૂરતું નથી. પૈસા વધારે મળે એવી ઈચ્છા રહે છે ને? તેમ માત્ર માળા ફેરવવાથી સંતોષ ન માનો. કંઈક વાંચવાની, શેખવાની, વિચારવાની, સ્મરણ કરવાની કેશિશ કરવાની છે. પછી વૃદ્ધાવસ્થામાં ન થાય. આ પરભવમાં સાથે આવે એવું છે. વાંચીએ ત્યારે શું કહ્યું છે? એ લક્ષ રાખો. કંઈક કંઈક નવું શીખવું. ફરતું ફરતું વાંચવાનું હોય ત્યારે જીવને જ કરો નહીં કાંઈ ચેષ્ટા વિચાર ઉચ્ચાર, જેથી સ્થિર બનો; આપ ર આત્મામાં, તે તલ્લીનતા પરમ ધ્યાન ગણે. (દ્રવ્યસંગ્રહ ૩-૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org