________________
સહુ ૪
૨૩
વાણી અને જીવને હિતકારી છે. પેાતાનેય જાણે અને પરનેય જાણે એવા સ્વપર-પ્રકાશક આત્મા છે. “સ્વપર–પ્રકાશક એવી ચૈતન્યસત્તાના પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવા આત્મા હાવાનું પ્રમાણ છે.” (૪૯૩), એમ કૃપાળુદેવ કહે છે. દેહાદિથી ભિન્ન આત્મા છે. જેવુ છે તેવા દ્રવ્યની વાત કરે છે. તે જ લક્ષ રાખીને સાંભળે તે જુદું છે તે જુદું લાગે. મુમુક્ષુખ ધનથી કેમ છુટાય ?
પૂજ્યશ્રી—સમકિતની વાત છે. એ આવે તે પછી ખ'ધનથી મુક્ત થવાય. નિર્જરા થાય એવું કરવું. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ સંસારનું કારણ છે. માટે સકિત કરવાનું કહે છે. એ આવે તે પ્રભુશ્રીજી કહેતા કે ચાંદલા થયા. પછી મેક્ષે જાય. ભક્તિ કરે કે ગમે તે કરે, પણ સમકિત માટે. જગતના રૂડા કહેવાથી રૂડા થઈ જવાય નહીં, અને ભૂંડા કહેવાથી ભૂંડા ન થાય. જેવા ભાવ થાય તેવું થાય. જગતને રૂડું' દેખાડવા ઘણું કર્યું છે. બંધન થાય તે ન કરવું.
૧૧૦ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૯, ૨૦૦૮
“કેવળજ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ, તે સિવાય બીજું કંઈ જ નહીં” (વ્યા. ૧-૧૨૬) કેવળજ્ઞાન એટલે એવું જ્ઞાન. મેાહ નહીં. રાગદ્વેષ વગરનું જ્ઞાન. આત્મની વિચારણા કૃપાળુદેવે કેવી કરી છે! વિચારતાં વિચારતાં એમણે સહજસ્વરૂપ શોધી કાઢ્યું. સહજસ્વરૂપમાં કશે। વિકલ્પ ન આવે, એવી ચમત્કૃતિ છે. ઉપાધિમાં પણ એમણે સમાધિ ભોગવી છે.
પ્રતિમા જોઈને ભગવાનને યાદ કરવા કે ભગવાન સમવસરણમાં કેવાં શાંત બેસવા હતા ! કૃપાળુદેવે જેએ પ્રતિમા પૂજતા ન હતા તેમને પ્રતિમાપૂજક કર્યો અને જે પ્રતિમાપૂજક હતા તેમને ભગવાનને પૂજતા કર્યાં. બધા આગ્રહા છેડાવ્યા. કૃત્રિમ પ્રતિમા એટલે બનાવેલી પ્રતિમા અને અકૃત્રિમ પ્રતિમા એટલે ત્રિકાળ રહે એવી પ્રતિમા. મહાવિદેહમાં, મેરુ વગેરે પતા પર શાશ્વત પ્રતિમાઓ છે. ભરતચક્રી મહાવીર થયા પહેલાં થયા હતા પણ તેમણે મહાવીરની પ્રતિમા કરાવી હતી.
પ્રશ્ન—
અધના હેતુ જે છે પાપસ્થાન જો,
તે તુજ ભકતે પામ્યા પુષ્ટ પ્રશસ્તતા રે લો.” (દે. ગતચેાવીશી–૧૬)
એટલે શું?
પૂજ્યશ્રી—ભગવાનની ભક્તિ જેના હૃદયમાં છે તેને પાપ પણ પુણ્યરૂપ થાય છે, એટલે પ્રશસ્તતાને પામે છે. જેમ કેાઈ શિકારી પૂછે કે આ બાજુ થઈને હરણ ગયાં છે તે કઈ બાજુ ગયાં ? તેા પેલે પુરુષ ઊલટી બાજી બતાવીને કહે કે આ માજી ગયાં છે. એમ ન ગયાં હોય છતાં કહે. બ્લૂ &* એલીએ તે પાપ છે છતાં એને લક્ષ અહિંસાના છે તેથી જૂઠું નથી. લક્ષ બીજો છે તેથી પાપ પણ પુણ્યરૂપ થાય છે. તેમ ભગવાન પ્રત્યે પ્રેમ છે તેને પાપ પણ સવળું થાય. કેાઈ ફૂલ તેડતા હાય પણ એને ભક્તિ કરવી છે તેથી પાપ પણ પ્રશસ્ત થાય છે.
જેના ભાવ ફરી ગયા તેનુ બધું સવળું થાય છે. તે જે કરે તે જાણીને કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org