SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ બેધામત હોય તે પચાવવા મહેનત કરવી પડે. આ આયંબિલનું ભજન તે વહેલું ઠેકાણે પડી જાય. લલુપતા છે એ જીવને નીચે લઈ જાય છે, અર્ધગતિ થાય છે. કુમારપાળ રાજાએ સાત વ્યસનને ત્યાગ કરી ગૃહસ્થનાં વતે લીધેલાં. એક વખત તેને ઘેબર ખાતા માંસને આ સ્વાદ આવતે, એમ વિચાર આવ્યું તેથી હેમચંદ્રાચાર્યને પૂછ્યું કે મને એ વિચાર આવે છે તે શું કરવું? ગુરુએ કહ્યું કે આખી જિંદગી તારે ઘેબર ન ખાવું. કહેવાનું એ કે તેના ભાવ ફેરવી નાખ્યા અને લેપતાથી છોડાવ્યો. દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંતગણું ચિંતા આત્માની રાખ.” (૮૪) એમ કહ્યું છે. પણ એના ચિત્તમાં દેહ પેસી ગયું છે. દેહના જ વિચારે આવે છે. એ ઓછા થાય, એનાથી નવરે પડે, તે આત્માના વિચાર આવે. નવરાશ લાવ, જરા નવરાશ. નવરાશ લાવે ત્યારે જ્ઞાની કંઈ કહે ને? આ તો બીજું લઈને બેઠો છે. કેવી જોગવાઈ! મનુષ્યભવમાં પાંચ ઈન્દ્રિ, સપુરુષનો વેગ અને સત્સાધન મળ્યું છે. તે ખામી શાની છે? પુરુષાર્થની. પ્રમાદ કાઢે તે ઘણું કામ થાય. કૃપાળુદેવે આખા દિવસમાં કેમ વર્તવું તેના ભાગ પાડયા છે. ૧ પ્રહર ભક્તિક્તવ્ય, ૧ પ્રહર ધર્મકર્તવ્ય, ૧ પ્રહર આહાર પ્રજન, ૧ પ્રહર વિદ્યાપ્રયોજન, ૨ પ્રહર નિદ્રા, ૨ પ્રહર સંસાર પ્રજન. “પુષ્પમાળામાં હિત થાય એવું કહ્યું છે. એને પૂછવા જવું ન પડે. કૃપાળુદેવનાં વચને વાંચે તે બધું હાથમાં આવે. વાંચે, વિચારે, છૂટવાનો લક્ષ રાખે તે કામ થાય. નવું સાંભળ સાંભળ કરવાથી જીવ ઢીલું પડી જાય છે. આ તે મેં સાંભળ્યું છે એમ થાય. કેઈ નવો જીવ આવે તેને લાગે કે આ તે કઈ જુદું જ કહે છે. એવું તે મેં કોઈ દિવસ સાંભળ્યું નથી. પત્ર મોઢે કર્યા હોય તે વિચારવા. બેલતાં બેલતાં વિચાર જાગે એવું કરવું, તે આનંદ આવે. દુર્લભ વસ્તુઓ છે. જ્ઞાનીનાં વચનને વિચાર થાય તે બીજી કમાણી કરતાં વધારે આનંદ આવે. કેટલા અનુભવને સાર બધા પત્રોમાં કહેતા ગયા છે ! બહુ હિતકારી છે. અવકાશ હોય તે જીવે વીસ દેહરા, યમનિયમ, ક્ષમાપના, બારભાવના કે છ પદ ગમે તે વિચારવામાં રહેવાનું છે. જવને બંધવૃત્તિઓ રોકવામાં રસ આવતું નથી. - જ્ઞાની પુરુષને બે સાંભળ, વિચાર કરે અને સત્સંગ કરે. વ્રત લેવાનું નથી કહેવું, ભણવાનુંય નથી કહેવું આ તે સહેલું કહેવું છે. સત્સંગ કરે, બોધ સાંભળે અને વિચારે તે પરને પિતાનું ન માને. મેહને મંદ કરીને આવ, એમ જ્ઞાનીનું કહેવું છે. આ તે મેહ વધારીને આવે છે. જેને કંઈ આત્માની ગરજ જાગી છે અને શેધ કરતે હોય તેને જ્ઞાની કહે તે પકડાઈ જાય. ગરજ ન હોય તે શું થાય? કર્મને લઈને બધું ચિત્ર વિચિત્ર દેખાય છે. ૧૦૯ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૮, ૨૦૦૮ દેખાય છે તે માનવાનું નથી; આત્મા માનવાને છે. દષ્ટિ ફેરવવાની છે. જાણવા ગ્ય તે આત્મા છે. દેખાય છે તે તે કર્મ છે, આત્મા દેખાય નહીં. પુરુષ અને પુરુષની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy