________________
સંગ્રહ ૪
ગતિમાં જીવને દુઃખ છે. જ્યાં સુધી ચિત્તની અસ્થિરતા છે, ત્યાં સુધી દુઃખ છે.
મરચામાં ઉત્પન્ન થનારા જીવ મરચામાં આનંદ માને છે. ગોળમાં ઉત્પન્ન થનારા જી ગોળમાં આનંદ માને છે. દેવને પણ જુદા જુદા સંસ્કાર હોય છે. આ બધું દેવેનું વર્ણન કર્યું તે શા માટે?
ચારે ગતિમાં દુઃખ છે. વૈરાગ્ય થવા માટે વર્ણન છે. પૂર્વભવમાં આત્મા હો એવી સાબિતી કરવા માટે પણ એવાં વર્ણન છે. જે કર્મ કરે તે ભોગવવા પડે છે, એમ સિદ્ધ કરવા માટે વર્ણન છે.
મોક્ષને માટે જે કરવાનું છે તે જ્ઞાન છે. સાત તત્વ કે છ દ્રવ્ય એ પ્રજનભૂત છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનમાં પ્રવૃત્તિ થાય તે ચારિત્ર છે. સાતમે ગુણસ્થાનકે અપ્રમત્ત યોગ હોય છે. એટલે આત્માને વિકાસ કરવો હોય તેટલે થાય. મેક્ષ ન થાય એવું માનવાની જરૂર નથી. જેટલું થાય તેટલું કરવું. પાપપ્રવૃત્તિ રેકવી. તે મનથી, વચનથી, કાયાથી, કરે નહીં, કરાવે નહીં, અનુદે નહીં એમ નવકેટી સામાયિક કરવાનું કહ્યું છે. તે આત્મસ્થિરતા થવા માટે કહ્યું છે. બધા વિકલપ મૂકવાના છે.
સમ્યગ્દર્શન થાય ત્યારે સાત પ્રકૃતિ ક્ષય પામે. પછી પ્રત્યાખ્યાનાવરણય જાય ત્યારે વ્રત આવે, શ્રાવક થાય. પછી સામાયિક આવે. કટાસણું પાથરીને બેસવાથી સામાયિક થતું નથી. થોડીક વાર સમભાવમાં રહે તે આનંદ આવે. પિતાના સ્વરૂપમાં રહે તે આનંદ આવે. પાંચમેથી ભાવવૃદ્ધિથી સાતમે જાય છે. વૃત્તિઓ સ્થિર કરતા જવને આવડે તે આગળ રસ્તે બહુ સુલભ છે. સ્થિરતા ટકે તે કેવળજ્ઞાન દૂર નથી. પણ એ તરવારની ધાર જેવું છે. મેક્ષમાર્ગમાં જી ચાલ્યા જ જાય છે. કેઈ છ, કેઈ સાતમે, કેઈ શ્રેણિમાં, કઈ મેક્ષે જતા હોય. એમ મેક્ષમાર્ગમાં છ ચાલતા જ રહે છે.
ક્રિયાને જ્ઞાનીઓ નિષેધતા નથી. તે કરતાં અંતરને ભાવ વિશેષ છે, પણ તમે ક્રિયા ન કરે એમ ન કહે. શુષ્કજ્ઞાની ક્રિયાને નિષેધ કરે છે. જ્ઞાનીની આજ્ઞાથી વિરુદ્ધ વર્તવાનું થાય નહીં એવું કરવાનું છે. ઘણીવાર ચારિત્ર પાળવા છતાં જીવને મેક્ષ ન થયો. તેથી કંઈ ચારિત્ર ન લેવું એમ કહેવું નથી, પણ એમાં કંઈક રહી જાય છે તે ભૂલ કાઢવા કહ્યું છે. મિથ્યાત્વની ગાંઠ મૂક્વા કહેવાનું છે. માત્ર ક્રિયામાં જ રાચી ન રહેવું. એકલી ક્રિયાથી મોક્ષ નથી એમ કહેવું છે. તેથી ક્રિયા ન કરવી એમ કહેવું નથી, પણ એમાં કંઈક રહી જાય છે તે સમજાવવા માટે જ્ઞાનીઓ કહે છે. જ્ઞાની સર્વ જીના દાસ છે, સર્વ જીવો પ્રત્યે દાસભાવવાળા છે. તે અને દુઃખી કરવા કંઈ કરે નહીં. જ્યાં સુધી ગૃહસ્થ અવસ્થા છે, ત્યાંસુધી કેમ વર્તવું? કૃપાળુદેવ કહે છે કે “અમે ઉપદેશ કરતા નથી.” બહુ વિચાર કરીને આગળ પાછળ કોઈનું અહિત ન થાય તેમ વર્તે છે. શાથી કલ્યાણ થાય? તે જ્ઞાની જાણે છે. બીજા છે તે બાહ્યથી કહે. બારમા ગુણર વાન સુધી જ્ઞાની પુરુષનાં વચનનું અવલંબન હોય છે. જ્ઞાનીની આજ્ઞાએ વર્તે તે સ્વચ્છેદ પણ વિલય પામે અને એ જ ચારિત્ર છે, જ્ઞાનીના વચનના આશ્રયે વર્તવું એ અવલંબન છે. એ બારમા ગુણસ્થાન સુધી છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org