________________
૨૦૮
બોલામૃત છે. આજ્ઞાનું આરાધન કરે તે કલ્યાણ જ થાય. જ્ઞાનીએ પ્રગટ કર્યો છે તે મારે આત્મા છે. એક આ શરણ સિવાય બધું છોડી દેવું. “હું આત્મા નથી જાણતું, પણ જ્ઞાનીએ જા છે એટલું જે થયું તે જેમ એંજિનની પાછળ ડબામાં કળ નહીં હોવા છતાં ચાલ્યો જાય છે, તેમ તેનું કામ થઈ જાય. વેદના તે મોડી વહેલી આવવાની છે. રાજી થવું કે વધારે આવી તે સારું, ઝટ પતી ગયું. જ્ઞાનીનું કહેલું તેની એક પકડ થઈ જાય તે કામ થઈ જાય–આત્મા જ જે.
૯૪ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૧૨, ૨૦૦૮ બધાંય શાસ્ત્રોને સાર મેક્ષમાળા' છે. જીવે ત્યાગ મેળે ન રાખ. ત્યાગ કરવો છે તે દેહાધ્યાસ છોડવા માટે કરે છે. કેઈને અર્થે કરે નથી, પણ આત્માને અથે કરે છે. ઘણુંય ખાધું, ઘણુંય પીધું, પણ કલ્યાણ ન થયું. જવ ઢીલે પડે તે જ્ઞાનીનાં વચનોમાં ઓછો રસ લાગે. શું કરવું છે અને શું કર્યું? એનો હિસાબ ન કાઢે તો કંઈ ખબર ન પડે, બહુ પાપી દઢપ્રહારી જેવા એકદમ બળ કરીને આ સંસારથી છૂટી ગયા. પ્રત્યક્ષ સપુરુષને વેગ થયા પછી બીજું એને ગમે નહીં. આજ્ઞામાં જ વર્તવાનું છે; સ્વચ્છેદ વર્તવું તે કંઈ કામનું નથી. આત્માને અસર ન થઈ તે પછી આમ કર્યું કે આમ કર્યું, બધું સરખું. ક્ષણે ક્ષણે આયુષ્ય ઓછું થાય છે તેમાં સત્સંગ ભક્તિ જેટલું કરે તેટલું સાથે આવે; બીજું બધું નકામું જાય. આપણું હિત થાય તેમ વર્તવાનું છે. જ્ઞાનીનાં વચન વાંચે, વિચારે, મેઢે કરે તેટલું ધર્મધ્યાન થાય છે.
૯૫ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૧૫, ૨૦૦૮ જવને સુખની ખબર નથી. બીજે સુખની કલ્પના કરે છે. સમભાવમાં સુખ છે. સમભાવથી છૂટે. સુખી થવાને રસ્તે ચિત્તને જ્ઞાનીના ચરણમાં રાખવું એ છે. રાગ ન કર, દ્વેષ ન કરે. છૂટવાનો માર્ગ હૃદયમાં રહેલું છે. સમભાવ રાખવો કઠણ છે. આખું જગત ઈન્દ્રિયને વશ છે. ઈન્દ્રિયોને જીતે તે સુખ પ્રાપ્ત થશે. જેમ જેમ દશા વધે તેમ તેમ આત્મા શાંત થાય છે. પછી જગત એને કાવત્ લાગે છે. અભ્યાસ કરીને ભૂમિકા પ્રાપ્ત કરી હોય તે સાચું છે. વાતે કરવાથી કંઈ પ્રાપ્ત ન થાય. વાતે વડાં ન થાય. જે સંગ હોય તેવા ભાવ થાય છે. વચન કરતાં ચારિત્રની છાપ વિશેષ પડે છે. મહાપુરુષોએ અભ્યાસ કરીને આપણને કહેલું છે માટે આપણે અભ્યાસ કરવાની જરૂર છે. વાતે કરવાથી કંઈ વળે નહીં. હું દેહથી ભિન્ન છું એમ વારંવાર ભાવના કરવાની છે. દેહને રંગ કાળો છે જે છે તે આત્માને રંગ નથી. કોઈ ઝાડની છાયાએ ઊભે હોય તે ઝાડને પિતાનું માનતું નથી. ભ્રાંતિને લઈને દેહને પિતાને માને છે.
૯૬ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૨, ૨૦૦૮ એક્ષપદની રુચિ તે સમ્યક્ત્વ છે, મોક્ષ અને મોક્ષનાં કારણે એને ગમે. મહાપુરુષો વગર મોક્ષમાર્ગ નથી. મહાપુરુષનું માહાભ્ય, અપૂર્વત લાગે તે જીવ જગતથી ફરે. પિતે જડથી જુદે છે છતાં બ્રાંતિથી એકરૂપ માને છે તે તાપામ્યઅધ્યાસ છે. એ અધ્યાસને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org