________________
૨૦૪
બધામૃત પૂજ્યશ્રી–ઓછું ખાય, સંસારને વારંવાર વિચાર કરે, તે લાગે કે આ ભવમાં પ્રસાદ કરવા જેવું નથી. ફિકર લાગે તે ઊંઘ ન આવે. કાળજી રાખવી. ભક્તિમાં ઊંઘ આવે તે ઊભા થઈ જવું. પ્રભુશ્રીજી આંખમાં છીંકણી નાખતા. માહામ્ય લાગ્યું નથી તેથી અસર થતી નથી. જીવને ગરજ નથી હોતી તેથી એ વચને સાંભળે તેય ચિત્ત ન લાગે. ઊંડે ઊતરી વિચાર કરે તે સમજાય એવું છે કે સંસારમાં કઈ કેઈનું નથી. ચેતે તે પ્રમાદ ન કરે.
૮૫ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૯, ૨૦૦૮ ઈન્દ્રિયસુખના ભેળો જીવે ભગવ્યા છે, તેથી ઈન્દ્રિયસુખના ફળની ઈચ્છા રહ્યા કરે છે. દેહાદિકમાં હું, મારું કરતે કરતે મનુષ્યભવમાં આવે, તે પણ એના એ ભાવ ફરી ફરી કરે છે. ભૂતકાળને જીવ ભૂલી ગયેલ છે. બહુ દુઃખે ભેગવ્યાં છે. ગર્ભનાં દુઃખ ભેગવ્યાં પણ હવે યાદ નથી. જાતિસ્મરણજ્ઞાન જેને થાય છે, તેને ત્રાસ લાગે છે. મનુષ્યભવ ન હોય ત્યાં સુધી આડાઅવળી ભટકે. મનુષ્યભવ મળે તે પ્રભાત થયું. (૨–૧) પાંચ ઈન્દ્રિય અને મનને ક્ષયોપશમ મળ્યો તે ઊંઘમાંથી જાણવા જેવું છે. મિથ્યાત્વ, અજ્ઞાનભાવ એ ભાવનિદ્રા છે. એ ભાવનિદ્રા ટાળવાને પુરુષાર્થ કરવાનું કહે છે. જ્યાં સુધી પિતાના સ્વચ્છ કરે છે, ત્યાંસુધી કલ્યાણ ન થાય. સત્ વસ્તુ ભણી વૃત્તિ જાય અને જેણે આત્મા જાણે છે એવા પુરુષના અવલંબને જે કંઈ કરે તે હિતકારી છે. જેવા ભાવ તેવા પ્રભુ ફળે.
૮૬ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૦)), ૨૦૦૮ જ્ઞાની પુરુષનાં વચને વાંચવા-વિચારવાં, સત્સંગ કરે. એની જરૂર છે. સત્સંગમાં કંઈક સાંભળીએ, વિચારીએ. સત્સંગને વેગ ન હોય ત્યારે સશાસ્ત્ર વાંચવું, વિચારવું. જ્ઞાનીના વચનો એકદમ સમજાઈ જાય એમ નથી. નવલકથાની પેઠે વાંચી જવાનું નથી.
દેખાય છે તે બધું નાશવંત છે. મનુષ્યભવ બહુ દુર્લભ છે એથી આત્માનું હિત કરી લેવાનું છે. દિવસો ઉપર દિવસે જાય છે. બીજાં કામ જીવે ઘણુ કર્યા છે અને કરે છે, પણ આ કામ પડયું રહ્યું છે. મનુષ્યભવ મળે છે, તે ખાવા પીવા કે કમાવા માટે નથી મળે. બહુ દુર્લભ છે. લક્ષ રાશીમાં ભટકતાં ભટકતાં કેઈક વાર મળે છે. મનુષ્યભવ એક હડી જેવું છે. તે સંસારસાગર તરવા માટે મળે છે. તરીને પિલી પાર જવાનું છે. પછી હેડીનું થવું હોય તે થાઓ. આપણું કામ કરી લેવું. ત્રણ જ્ઞાનના ધારક શ્રી તીર્થકર જેવા પણ રાજપાટ બધું છોડીને ચાલી નીકળ્યા અને નિદ્રા, આહાર બધું ગૌણ કરી આત્માને શુદ્ધ કરવા માટે પુરુષાર્થ કરવા માંડ્યો. અનેક ઉપસર્ગો આવ્યા, પણ દેહદષ્ટિ કરી નહીં. એમ કરતાં કરતાં આત્માને શુદ્ધ કરી કેવળજ્ઞાન પામ્યા. “જીવના અનધિકારીપણને લીધે તથા પુરુષના એગ વિના સમજાતું નથી.” (૫૦૫).
કેઈક વાર જીવને સદ્ગુરુને એગ થયે પણ પોતે જાગે નહીં, આ જ મારે કરવા જેવું છે એવી ગરજ ન જાગી. કેઈક વખતે પોતે અધિકારી થયે, ગરજ જાગી, તે પુરુષને યોગ ન થયે. એમ અનાદિકાળથી થતું આવ્યું છે. પુરુષને એગ થયા પછી પણ જીવ જે જાગે નહીં, ગરજ જગાડે નહીં તે યંગ થયે તે પણ સફળ ન થાય. આ મનુષ્યભવમાં કંઈક કરી લેવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org