________________
સંગ્રહ ૪
૨૦૩ જીવને આ કામ મારે કરવું છે, એમ થાય તે પછી અભ્યાસ કરવા માંડે. એ અભ્યાસ કરવાને છે. | મુમુક્ષુ–વેદની ન આવે ત્યાં સુધી દેહથી ભિન્ન છું, ભિન્ન છું, એમ કરીએ; પણ વેદની આવે તે વખતે પાછી વૃત્તિ દેહમાં જતી રહે છે.
પૂજ્યશ્રી—એ ખરી રીતે અભ્યાસ નથી. અભ્યાસ કર્યો હોય તે વેદના આવે ત્યારે ખબર પડે. અભ્યાસ કરવાનું હોય છે ત્યારે અનુકૂળતા જોઈએ, અભ્યાસ થઈ ગયા પછી ગમે તેવી પ્રતિકૂળતા આવે તે પણ કંઈ અસર ન થાય. કામદેવ વગેરે શ્રાવકે એ અભ્યાસ કરવા માટે સ્મશાનમાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહેતા હતા. ગમે તેવાં કષ્ટ આવે પણ મારે કાર્યોત્સર્ગથી ચૂકવું નથી. અભ્યાસ કરવામાં પહેલાં તે અનુકૂળતા જોઈએ છે, જેમકે સામાયિક કરે ત્યારે સારું સ્થાન જોઈએ. પણ અભ્યાસ થઈ ગયા પછી ગમે ત્યાં બેસે તે પણ ભાવ સ્થિર રહી શકે. બધાને આધાર મન ઉપર છે. અભ્યાસ હોય તે વૃત્તિ એક ઠેકાણે રહી શકે છે.
મનુષ્યભવ બહુ દુર્લભ મળે છે. ત્યાં આત્મકલ્યાણનો લક્ષ રાખે કે મારે કર્મો છોડીને જવું છે. એ લક્ષ રાખો. તેને માટે સત્સંગ કરે, સન્શાસ્ત્ર વાંચે. નહીં તે મન માંકડા જેવું છે, બીજા કામના તરંગે ચઢી આકાશ પાતાળ એક કરે એવું છે. મન વચન કાયા બધાં કર્મબંધનનાં કારણે છે. એ મન વશ થાય તે કર્મનો ભૂકે નીકળી જાય. જ્ઞાનીનું શરણું રાખ્યું તે કલ્યાણ, પણ મૂક્યું તે અનંતકાળ સુધી રખડવું પડશે.
સાચી સમજણ જીવને આવી નથી. આ જ મારે કરવું છે, એવું નથી થતું. બાથડિયાં મારે છે. મંત્ર એ મનને જીતવાનું સાધન છે. સ્મરણમાં ચિત્ત રહે તે કર્મ બંધાય નહીં. મન સીધું રાખવું. મન દેડ કરે એવું છે. એને સીધું કરવાને રસ્તો મંત્ર છે. ટેવ પડી જાય તે મોક્ષે લઈ જાય. જ્ઞાનીની આજ્ઞામાં મન જેડી દેવું તે મેક્ષમાર્ગે ચલાય.
૮૩ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૯, ૨૦૦૮ આજ કરતાં કાલે સારો દિવસ ગાળવે છે, એમ કરે તે ધીરે ધીરે મોક્ષ થાય. મહાપુરુષે જે નિયમ લે તે પ્રાણ જાય તે પણ ન તોડે. ખરે પુરુષાર્થ કરવાને લાગ આવે છે. માટે છૂટવાનો લક્ષ રાખવાનું છે. ક્યાંથી જીવ આવ્યું છે? ખબર છે? નથી. કૃપાળુદેવનાં વચને વિચારવાનાં છે.
શું કરવાથી પિતે સુખી? શું કરવાથી પિતે દુઃખી?
પોતે શું ? ક્યાંથી છે આપ ? એને માગે શીધ્ર જવાપ” (૧૦૭) એ બધાં વચન વિચારવાનો છે. એકલું મેઢે કરીને મૂકી દેવાનું નથી. ગરજ હોય તેટલું ગ્રહણ થાય. ધર્મનાં કામમાં શરમ ન રાખવી. જીવને મનુષ્યભવની કિંમત નથી. એક લાખ રૂપિયા દીધે પણ ગયેલા દિવસ પાછા આવે નહીં. માટે ધર્મના કામમાં ઢીલ ન કરવી.
૮૪ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૧૩, ૨૦૦૮ મુમુક્ષુ– ઊંઘ શાથી મટે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org