SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૪ ૨૦૧ મેક્ષે જવું હોય તે શુભાશુભ ભાવ છેડવા પડશે. મારે શુદ્ધભાવ કરવાગ્ય છે, એટલું જ થાય તો પણ ઘણું છે. સત્ તરફ લક્ષ જીવને થવો જોઈએ, તે એ મળે. વિષયસુખથી કંટાળે ત્યારે એને બીજી ભાવના થાય. હું દેહ નથી, દ્રષ્ટા છું, મારે આ દશ્યને મોહ કરે નથી, એમ જે થાય તે મેહ ક્ષય થઈ મોક્ષ થાય. કઈ વસ્તુને જાણે, પછી રાગદ્વેષ કરે છે. તે મેહ બંધનું કારણ છે; જ્ઞાન એ બંધનું કારણ નથી. જેટલા સુધી યવસ્તુ છે ત્યાં સુધી જ્ઞાન છે. આકાશ અનંત છે તે કેવળજ્ઞાન પણ અનંત છે. ૭૭ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૧૧, ૨૦૦૮ પ્રમાદ જે કઈ શત્રુ નથી. પણ શત્રુ છે એવું એને સમજાતું નથી. જે અરૂપી આત્મા છે તેને હું મારું કરી અશુદ્ધ કરવા જેવું નથી. શુદ્ધ આત્મભાવના ભાવે તે કેવળજ્ઞાન થાય. સોને બાદ કરતાં કરતાં જે રહે છે તે હું છું. જ્ઞાનીએ જાયે છે એ શુદ્ધ આત્મા હું છું. એ ૨૫ ભાવના છે. અભિમાન છોડવા માટે શાસ્ત્રો છે, અભિમાન કરવા માટે નથી. આત્મપરિણામની સ્વસ્થતા, શુદ્ધતા તે સમાધિ છે. પહેલે આત્મા અને પછી બીજું છે. આ કાળમાં ઉપદેશને ઝીલનારા રહ્યા નથી, તેથી ઉપદેશ દેનારા પણ મંદ થતા ગયા. પહેલાંના છે એવા સરલ હતા કે જ્ઞાની પુરુષનાં વચનને ધારણ કરતા. જ્ઞાનીની આજ્ઞા લઈને અખંડપણે પાળે, એવા છે પૂર્વે હતા. પણ આજના જીને તે કૃપાળુદેવ કહે છે કે આજ્ઞા કરવી તે ભયંકર છે. “જ્યાં સુધી આત્મા સુદઢ પ્રતિજ્ઞાથી વતે નહીં ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે.” (૪૧) મુનદાસ, અંબાલાલ, જુઠાભાઈ શક્તિવાળા હતા, પણ આયુષ્ય ટૂંકા થયાં, કારણ કે આ કાળ જ એવે છે. એક પ્રભુશ્રીજી લાંબા આયુષ્યવાળા નીકળ્યા તેથી આ માર્ગ મળે. ૭૮ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ વદ ૧, ૨૦૦૮ જેમ જેમ વિષયને ભેગવે છે, તેમ તેમ તૃષ્ણ વધે છે. તૃષ્ણ એ નવયૌવના છે. વૈરાગ્ય જોઈશે. “ત્યા વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન.” અનંતકાળથી ૨ખડાવનાર પાંચ ઇન્દ્રિયના વિષયે છે, એમાં સુખની કલ્પના કરે છે. એનાથી શત્રુપણું કરવું. મારે વિષયોમાં નથી તણાવું એમ વિચારે તે થઈ શકે એટલું જીવનું વીર્ય છે. વૈરાગ્યની વાત સાંભળે, વિચારે તે કંઈ અસર થાય. “સકલ જગત તે એઠવત” આખું જગત એઠવાડા જેવું છે. કે જવ સ્વછંદ તે, પામે અવશ્ય મેક્ષ.” આજ્ઞા એ જ મોક્ષનું કારણ છે. પાંચ ઈન્દ્રિયના વિષયથી જીવને વૈરાગ્ય થાય ત્યારે ગુરુ બોધ કરે છે. ૭૯ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાઢ વદ ૧૩, ૨૦૦૮ જ્ઞાનીની આજ્ઞાએ લક્ષ રાખીને વર્તવાનું છે. કર્મ છોડવાનાં છે. કર્મ બંધાય એવું ન કરવું. જ્ઞાનીનાં વચનમાં વૃત્તિ રહે તે કર્મ ન બંધાય. ગાડીમાં છે કે મંદિરમાં છે કે ઘેર હિ, પણ વખત નકામે ન ગાળવે. પ્રભુશ્રીજી કહેતા કે કેટલું પુણ્ય ચડ્યું હોય ત્યારે તે દરવાજામાં પગ મુકાય છે. રોજ કંઈક શીખવું. કંઈ ન થાય તે સ્મરણ કરવું. પ્રભુશ્રીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy