________________
માણનું કારણ કષાયને અભાવ છે. ત્રણ લેકને છતે પણ મન ન જીતે તે કંઈ નહીં. સત્સંગ, આશાને નાશ, અધ્યાત્મશાસ્ત્ર અને સુવિચાર એ મનને જીતવાનાં સાધન છે. બાહ્ય વસ્તુને મનમાંથી દૂર કરે, અંતરવિચારમાં રહે, આત્માની સ્થિરતા થાય તે ભાવપ્રાણાયામ છે.
બાહ્યભાવ રેચક ઈહાં છે, પૂરક અંતર ભાવ;
કુંભક થિરતા ગુણે કરી છ, પ્રાણાયામ સ્વભાવ.” (ચોથી દૃષ્ટિ) મન સંતેષમાં જાય ત્યાં શાંતિ થાય, બંધન કશું ન થાય. દેહ તે હું નથી, હું આત્મા છું એ ભાવ થાય તો મોક્ષ થાય. આત્મા શાંત છે. પરવસ્તુને લીધે આત્મામાં રાગદ્વેષરૂપી મેજાં ઊછળે છે. આત્મભાવ સંપૂર્ણ છે. આત્મસુખ જેવું કંઈ સુખ નથી. [“લઘુ ગવાસિષ્ઠ-સાર” વંચતાં ] ૭૪ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૭, ૨૦૦૮
આત્મા સંબંધી વિચાર રહ્યા કરે એવું કરવાનું છે. જગતના બધા ભાવે છૂટી જાય તે વાસના ક્ષય થાય. એ ક્ષય થાય તે મન નિર્મળ થાય. વાસનાથી મનમાં ક્ષાભ થાય છે. સત્સંગ અને સશાસ્ત્રમાં તત્પર રહેવું. દેહ નાશવંત છે એવી જે ભાવના તેથી વાસના ક્ષય થાય છે. મૂઢ હોય, અભાગી હોય, પણ આત્મભાવના ભાવે તે આત્મામૃત પામે. તેને વૈભવ વિષ જેવા લાગે, એ વૈરાગ્ય થાય છે. દેહદષ્ટિ હોય તે વારંવાર એને દેહ મળ્યા કરે. શરીરથી હું ભિન્ન છું એમ થાય તે મોક્ષ થાય. વિદેહી દશા થાય તે ફરી દેહ ધારણ ન કરે. “હું દેહ છું એ અહંભાવ છે તેથી ગુરુની ભક્તિ દ્રોહપૂર્વક અને ભાવરહિતપણે કરતે જાય છે. આત્મદષ્ટિ થાય તે અંતરમાં શીતલીભૂત થાય. જે સ્વરૂપને ભજે તેનું મન નિર્મળ થાય છે. દેહદષ્ટિ છે તે વિષદષ્ટિ છે. જેનું અંતઃકરણ શીતલ છે તેને આખું જગત શીતલ લાગે અને અંતરતાપે બળતું હોય તેને બધું જગત બળતું લાગે.
- ૭૫ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૮, ૨૦૦૮ દેહધારીપણું જીવ ભૂલી જાય તે શાંત થાય, કષાય જાય. જગતની કઈ વસ્તુની ઇચ્છા ન થાય તે શાંતિ થાય. બધું આત્માને લઈને જણાય છે. જે જાણનાર છે તેમાં ઉપયોગ પરેવાય તે પિતાના સ્વરૂપનું ભાન થાય. આત્મા પરમેશ્વર સ્વરૂપ છે. રૂપ રસ ગંધ બધું જ છે. જાણનાર છે એ એથી જુદો છે. આતમભાવના ભાવે તો પરમાનંદપદ પ્રાપ્ત થાય. આખું વિશ્વ જેમાં દેખાય એવો આત્મા છે. જ્ઞાન આત્માથી જુદું નથી. બધી વસ્તુઓ બાદ કરે, પણ જ્ઞાન બાદ ન થાય. “અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ.” તેની ભાવના કરતાં કરતાં તે–રૂ૫ થવાય છે. પ્રભુ પ્રભુ લય લગાડવાની છે. એ લાગે તે અવિનાશી પિતે છે, તે પદ પામે. એક અપંગ આત્મા સમજાય. ચૈતન્યમય છું, એક છું, અખંડ છું એવી આમભાવના એક લક્ષથી કરે. હું દેડ છું, સ્ત્રી છું, પુરુષ છું, પૈસાદાર છું, ગરીબ છું એવા અહંભાવ ટાળે, શરીરના ધર્મને પિતાના ન માને એમ પરિપૂર્ણપણે ઉપાસતાં આત્મસ્વરૂપ પ્રગટ થાય. બાહ્ય--ગ્રાહકભાવ છોડી દેવાના છે. કેવળ છીએ તેવા થવાનું છે. “છો તે થા સાવ.”
૭૬ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૧૦, ૨૦૦૮ સંસારી જીવને કંઈ ભાન નથી. હું દેહ છું' એમ જ્યાં જન્મે ત્યાં થઈ જાય છે. જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org