SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ બાલામૃત આ બધા આભાસ મનથી ખસી જાય ત્યાં મન લય પામે, ત્યાં આગળ મન શાંત થાય. મન લય થાય તે પરમાત્માસ્વરૂપ પ્રકાશે છે. તે અડેલ દીવા જેવું છે. મનની ચંચળતા એ જ બંધ અને મનને લય એ જ મેક્ષ. નિર્મળ સ્વભાવમાં કઈ દોષ પેસી શકતા નથી. [“લઘુયોગવાસિષ્ઠ-સાર” વંચતાં] ૭૩ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૬, ૨૦૦૮ બધાય સત્સમાગમ ઈચ્છે છે. રસાયણુ ખાય અને પુષ્ટ થાય તેમ સત્સંગમાં ઉલ્લાસભાવ આવે છે. સંસારમાં રહેવાથી ભક્તિને રસ ન લાગે તે તરત સત્સંગ કરવા આવવું. સંસારનું ઝેર ઊતરી જાય. સત્સંગમાં પછી પાછો ઉલ્લાસ આવે. આત્મા મનરૂપ થઈ સંકલ્પ-વિકલ્પ કરે છે, કલ્પનારૂપી પાંખ કરી, પિતે પિતાને જાણ્યા વગર ફર ફર કરે છે. વિભાવની અચિંત્ય શક્તિ છે. સંકલ્પથી જે ઉત્પન્ન કરે છે. એ સંકલ્પ જે સમાઈ જાય, મન જે અંતરમાં વળે તે લય થઈ જાય. આત્મવિચારમાં રહે તો ભવ છૂટી જાય. “કર વિચાર તે પામ.” આત્મવિચારમાં જાય તે આત્માનું કામ થાય. અને સંસારમાં જાય તે સંસાર ઊભું થાય. અવિચારમાં હોય ત્યારે જગતમાં મન ભમે છે. આત્મવિચાર જાગતા જગત ખોટું લાગે છે. મનને જ્યાં ગમે ત્યાં જાય છે. એ મન ભમે છે ત્યારે બંધન થાય છે. મન આત્મવિચારમાં આવે તે લય થાય. મન જેવું છે તેવું જગત છે. આપ ભલા તે જગ ભલા. મન જે પ્રકુટિલત હોય તે બધું સારું થાય. એને વશ કરવું હોય તે જ્ઞાનીને બોધ સાંભળે. મનની વાસના-આસક્તિથી જ બંધ છે. જ્યાં મેહ નીકળી ગયે ત્યાં મેક્ષ છે. વિવેક વૈરાગ્ય હોય તે વાસના જાય. ચંદ્રને વાદળાં ઢાંકે છે તેમ અંતઃકરણને મલિન કરનાર આશા છે. અંતમુખવૃત્તિ થાય તે આખું જગત શૂન્ય લાગે, બ્રાંતિ જાય અને ઈન્દ્રિયે પણ રેકાય. વિષયવિકારે ન ઈન્દ્રિય જોડે, તે ઈલાં પ્રત્યાહાર .” (પાંચમી દષ્ટિ) આત્મામાં વૃત્તિ રહે તે એને પ્રત્યાહાર અંગ પ્રગટ થાય. આ સારું છે, આ ખોટું છે, આ મારું છે વગેરે વિકલ્પથી મન પાછું હ, એ વિકલ્પ ભુલાય તે નિર્વિકલ્પ સમાધિ થાય. ત્યાં આગળ મન લય થઈ જાય. જાગ્રત હોય ત્યારે મન ભટકે છે, સ્વપ્નાવસ્થામાં મૂઢ જેવું છે અને નિરાંતે ઊંઘે છે ત્યારે મડદા જેવું છે. એ સિવાય ચેથી ઉજાગરદશા છે, તે જ્ઞાન છે. મનની અશુદ્ધતા ક્ષય થઈ જાય તે નિર્મળ થાય. મનમાં કલેશ હોય ત્યાં સ સાર છે, ત્યાં જ બંધ છે. ચિત્તને આશ્રયે બધી પ્રવૃત્તિ થાય છે. જેટલો પુરુષાર્થ થાય તેટલે કરીને મનને પ્રથમ જીતે. દાંત પીસી, પુરુષાર્થ કરે. મન તે સ્વચ્છેદે વર્તતું હોય અને બહારથી મોટી મોટી વાત કરે છે, તેની તને શરમ કેમ નથી આવતી? પહેલાં પિતાને તે જીતતું નથી. મન વશ ન થયું તે બધાં સાધને નિષ્ફળ થાય, કલેશરૂપ થાય. મેક્ષ પ્રત્યે રુચિ થાય તે મોક્ષમાર્ગમાં જીવ ચોંટે. સત્પષના બધથી એને મેક્ષની રુચિ થાય અથવા સમકિત થાય. મનુષ્યભવમાં મોક્ષનું કામ કરવું છે. જ્ઞાનીની આજ્ઞામાં જ મારું હિત છે એમ થાય તે પછી સંસાર પિતાને ન લાગે. જ્ઞાનીની આજ્ઞામાં જેટલું જીવન જાય તેટલું સફળ છે. મનમાં ઉદ્વેગ, રાગદ્વેષનાં મોજાં ઊછળે નહીં તે મેક્ષ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy