SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ધામૃત [“લઘુયોગવાસિષ્ઠ—સાર” વંચતાં ૭૦ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૩, ૨૦૦૮ સત્યરુષનું કહેલું વચન આરાધે તે તેથી પુણ્ય બંધાય છે. ભવ કરવા પડે છે તે કેને કરવા પડે છે? હું કોણ છું? એને વિચાર જાગે તો તે સંસારગ મટાડવાનું ઔષધ છે. જીવને સુવિચારણા જાગે તે થોડું કહ્યું હોય તે પણ ઘણા વિચાર જાગે. સત્સંગના યેગે જીવ હિંમતવાળો થાય, એને કશી ઈચ્છા ન રહે અને મરણના પ્રસંગે હું મરતે નથી એમ થઈ જાય. સત્સંગે જીવને આપદ્ સંપદધામ લાગે. પુરુષો મૌન થઈ જાય તે પછી ભવતાપથી તપતા જ કોનું શરણ લે? ગ્ય જીવ હોય અને જ્ઞાનીને યોગ થાય તે તેમાં બધાં શાસ્ત્રો આવી જાય છે. ખરું કામ શિષ્ય કરવાનું છે. પુરુષ એક નિમિત્તરૂપ છે. શિષ્યની પ્રજ્ઞા જ પુરુષને ઓળખી લે છે. તીર્થંકર હતા તે પણ પકડીને આત્મા બતાવતા નહોતા. શાસ્ત્રોથી પણ આત્મા હાથે આવે એમ નથી. પિતાને પોતાનું વેદના થાય ત્યારે એળખાણ થાય એવું છે. સ્વસંવેદનગોચર પદાર્થ છે. અરૂપી પદાર્થ છે. બીજી કળાઓ ન સંભારે તે ભૂલી જાય છે, પણ જેને આત્માનું એાળખાણ થયું હોય તેને દિવસે દિવસે વૃદ્ધિ થતી જાય છે. જ્ઞાનકળા વધ્યા કરે છે, જેમકે– “ઓગણીસસે ને સુડતાલીસ, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું .” ચંદ્રકલાની જેમ જ્ઞાનજ્યા વધતી જાય છે. ગુરુના વચનથી ભ્રાંતિ ટળે તે આત્માની પ્રાપ્તિ થાય. આત્મા અત્યારે અશુદ્ધ છે, તેને લઈને કર્મ બંધાય છે અને તેથી પરિભ્રમણ થાય છે. આકાશ આદિ સર્વ પદાર્થને જાણનારે છે તે કદી મરે એ નથી, નિત્ય છે. ભીખ માગવી સારી પણ અજ્ઞાનમાં રહેવું સારું નથી. વ્યાધિ, પીડા એ બધાં કરતાં અજ્ઞાનને ઘણે ભય છે. “વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજે કઈ ભય હોય નહીં.” (૫૩૭). એ અજ્ઞાનને ભય લાગતો નથી! ૭૧ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૪, ૨૦૦૮ - પિતાનું સ્વરૂપ છે તે અવિનાશી છે, પાસે જ છે, દર લાગે છે, એ જ જીવન મેહ છે. આત્મા આત્મારૂપે ત્રણે કાળ રહે એવો છે. બીજા પદાર્થો ભાંગીને ભૂકો થાય, પણ આત્મા ત્રણે કાળ રહે એ છે. જ્ઞાનમાં આખું જગત દેખાય છે. જગત છે તે આત્મારૂપ લાગે છે; જ્ઞાન થાય તે તે આત્મારૂપ ન લાગે, ભિન્ન લાગે, ભ્રાંતિ ટળે, ભવભ્રમણ પણ જાય. આ મહ ભેગની વાસનાને લઈને છે. ભેગની વાસનાથી પ્રબળ બંધ થાય છે. ભેગથી વાસના ટળી જાય તો તેને ઉપશમભાવ આવે. હું દેહરૂપ નથી, દેહના ભંગ બંધનરૂપ છે, એમ લાગે તે વાસનામાં તણાય નહીં. વાસના ટળે તેથી ઉપશમભાવ આવે છે, તેથી મેક્ષ થાય. બ્રહ્મચર્યવ્રત ઉદ્ધાર કરે એવું છે. [“લઘુયોગવાસિષ્ઠ-સાર” વંચતાં ૭૨ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૫, ૨૦૦૮ આત્માનું જ્ઞાન થાય તે “આત્માથી સૌ હીન” લાગે. બીજે વૃત્તિ ન જાય તે સમાધિ છે. “જગત આત્મારૂપ માનવામાં આવે.” (૩૦૧). જ્ઞાનમાં બધું ભાસે છે. જ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy