________________
બધામૃત મનરૂપી મહવન છે. તેમાં વાસનારૂપી નદી છે. તેને શુભાશુભ બે તટ છે. એનાથી વાસનામાં જીવ તણાય છે. પ્રયત્ન કરે તે એ વાસનારૂપી નદીને ઉલ્લંઘી જાય. સારા વિચાર આવ્યા પછી અશુભ તટ મૂકીને શુભ તટ પર જવાય છે. (પૂર્વાર્ધ સમાપ્ત)
વીત્યે કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ;
તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.” શુભાશુભ ભાવ છૂટે તે શુદ્ધભાવ આવે.
લઘુતા આવે તે જીવમાં પ્રભુતા આવે છે. લઘુતા આવે તે જીવ કૃપાપાત્ર થાય છે. કૃપાળુદેવના યેગથી અંતે અગી ગુણસ્થાન પ્રાપ્ત થાય છે.
લધુતામાં પ્રભુતા વસે, પરમ કૃપાને વેગ;
પરમકૃપાળુ દેવને, યોગે સ્મરું અગ. ૧ (ઉત્તરાર્ધ) દિશાકાળથી જેનું માપ નીકળતું નથી એવા અનંત જ્ઞાનવાળા સિદ્ધને નમસ્કાર. હું બંધાયેલ છું અને કેમ છૂટું ? એમ જે વિચારે છે તે આ ગ્રંથને અધિકારી છે. જ્ઞાનીને અને અજ્ઞાનીને એ ગ્રંથ ગ્ય નથી. જ્ઞાનીને જરૂર નથી અને અજ્ઞાની જિજ્ઞાસા રહિત હોય તે પાત્ર નથી. પ્રભુની સાક્ષાત્ કૃપા થાય ત્યારે જીવને સત્સંગ કે સશાસ્ત્રગ મળે. ભવરૂપી સાગર ઓળંગવાને સશુરુ નાવિકરૂપ છે. અનાદિકાળના ભાગને મટાડવા સુવિચાર એ ઔષધ છે. “ઔષધ વિચાર ધ્યાન.” હું શાથી જન્મમરણ કરું છું? દુઃખ સહન કરું છું, તે હું કોણ છું? એમ પિતાનું સ્વરૂપ જાણવાના વિચાર કરે તે–
“જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન;
જે જ્ઞાને ક્ષય મેહ થઈ પામે પદ નિર્વાણ.” સંત એ ઝાડરૂપ છે. એ સંત ન હોય ત્યાં દિનભર રહેવું નહીં. ઝાડને જેમ ફળ અને છાયા છે તેમ સત્સંગ છે એ છાયા છે. એનું ફળ આવે તે ફળ છે. જીવને સદૂગુરુયોગે કષાય શમી જાય છે. મનુષ્યભવ મળે છે તે માત્ર આજીવિકા માટે જાય એ ઠીક નહીં. કંઈક કરવાનું છે. દેહમાં મહેમાન જેવા આવ્યા છીએ. દિવસ ઉપર દિવસો જાય છે. આયુષ્ય ચાલ્યું જાય છે. શું કરવા જન્મ્યા છીએ ? આ મનુષ્યભવ શા અર્થે જાય છે? એ બહુ વિચારવા જેવું છે.
એક ઘડી, આધી ઘડી, આધીમેં પુનિ આધ;
તુલસી સંગત સાધુકી, હરે કોટી અપરાધ.” કંઈ ન બને તે સત્સંગ કરે. તેથી ચેતવાનું બને છે. જીવે પિતાની મેળે ઘણું કર્યું છે, પણ જ્ઞાનીની આજ્ઞાએ કરે તો છૂટવાના ક્રમમાં આવે. ધર્મને એકડે જ્ઞાનીની આજ્ઞા છે, જ્ઞાનીને એક બોલ પણ મરતી વખતે યાદ આવે તે મરણ સુધરી જાય. ગમે હૈયાં જ્ઞાનીના વચને કામ આવે છે. જ્યાં જ્યાં જીવને વાસના છે ત્યાં ત્યાં જન્મવું પડે છે. માટે જ્ઞાનીનાં વચનમાં ચિત્ત રહે તે એની વાસના જાય.
૬૯ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૦)), ૨૦૦૮ આત્માના હિતને માટે કંઈ કરવા જેવું છે. જેને કંઈક પૂર્વના સંસ્કાર હોય તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org